જૂનાગઢ ગિરનારી ગ્રૂપ,GMIRS કોલેજ, સિવિલ હોસ્પિટલની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વર્તમાન સંજોગોમાં દેશમાં પ્રવર્તમાન જે સ્થિતિનું સર્જન થયું છે, તો જાંબાઝ સૈનિકો માટે તેમજ ઘાયલ નાગરિકો માટે તાત્કાલીક રક્ત ઉપલબ્ધ થાય તે માટે જિલ્લામાં રક્તની ઉપલબ્ધતાં હોય તે જરૂરી છે. ગિરનારી ગ્રૂપ દ્રારા સામાજિક સેવાના કર્યો સાથે રક્ત એકત્ર કરવાનું માનવતાનું કામ કરે છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં જો કોઈ એવી વિપરિત પરિસ્થિતિનું નિર્માણ થાય તો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા અને દેશના સૈનિકોને રક્તની જરૂર પડે તે માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રક્ત આપવાનું કાર્ય શરૂ છે. ગ્રૂપના કિર્તીભાઈ પોપટે અપીલ કરતાં જણાવ્યું છે કે, રક્તદાન એ દેશભક્તિ દર્શાવવાનું જ એક માધ્યમ છે. દેશની સીમા પર દેશના રખોપાં કરતાં પ્રહરીઓ માટે તેમજ ઘાયલ નાગરિકો માટે આપણે પૂરતાં પ્રમાણમાં રક્તનો પુરવઠો બનાવી રાખીએ તે સાંપ્રત સ્થિતિમાં જરૂરી છે. એટલા માટે સિવિલ હોસ્પિટલમાં 7 બોટલ સહિત પ્રાઇવેટ બ્લડ બેંકમાં ગ્રુપના સમીરભાઈ દવે, જીગાભાઈ વ્યાસ, સંદીપભાઈ ધોરડા, મોહનભાઈ ચુડાસમા, નિકુંજભાઈ સોજીત્રા, સંજયભાઈ બુહેચા સહિતના સભ્યો દ્વારા એક જ કલાકમાં 11 બોટલ રક્ત જમા કરાવવામાં આવેલ હતું. આ સમયે સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.