20 વર્ષથી બીમારીથી પીડાતા વૃધ્ધાએ ઝેર પી જીવ દીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે જીવરાજ પાર્કમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ અને 20 વર્ષથી બીમારીથી પીડાતા વૃધ્ધાએ ઝેર પી આપઘાત કરી લેતા બંનેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
- Advertisement -
રાજકોટના અંબિકા ટાઉનશીપ નજીક જીવરાજ પાર્કમાં ભારત ટાઉનશીપમાં રહેતાં દિલીપભાઈ હરજીભાઈ ચિત્રોડા ઉ.39એ ઘરે ઘઉંમાં નાંખવાનો ઝેરી પાવડર પી લઈ આપઘાત કરી લીધો હતો સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતાં બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભોજભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સંતાનમાં, એક પુત્ર અને પુત્રી છે દારૂ પીવાની કૂટેવ હતી તેમજ તે કામધંધો કરતા ન હોવાથી પિતાએ કામધંધો કરવાનું કહી ઠપકો આપતાં લાગી આવતાં તેમણે આ પગલું ભરી લીધું હતું.
જ્યારે 150 ફૂટ રીંગ રોડ ઉપર ન્યુ લક્ષ્મી સોસાયટીમાં રહેતા રમાબેન હરેશભાઈ લીંબાસીયા ઉ.58એ આજે ઝેરી પાવડર પી લેતાં સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું મોત નિપજયું હતું તાલુકા પોલીસના જમાદાર ભોજભાઈ સાહિતે તપાસ કરતાં વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું અને રમાબેન 20 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય તેને કારણે આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.