રાત્રે 12 વાગ્યે ડીજે, માઇક બંધ કરી દેવા, ધાર્મિક ઉત્સવની મર્યાદામાં સિંગર્સ ગીતો ગાય તેવું પોલીસ કમિશનરનું સૂચન
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા નવરાત્રિના પર્વને લઇ ખાનગી ગરબાના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી નવરાત્રી દરમિયાન આયોજકોએ કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગે ચર્ચાઓ કરી સૂચનો આપવામાં આવ્યા હતા.
- Advertisement -
શહેરમાં 30 અર્વાચીન રાસોત્સવ તેમજ 550 જેટલી પ્રાચીન ગરબી યોજાશે. નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યે ડીજે, માઇક બંધ કરી દેવા, ધાર્મિક ઉત્સવની મર્યાદામાં સિંગર્સ ગીતો ગાય તથા ગરબામાં કોઈ પણ મેડિકલ ઇમરજન્સી સર્જાઈ તો તમામ વ્યવસ્થા રાખવી, તાત્કાલિક ઈઙછ આપી શકે તેવા લોકો આયોજનમાં હાજર રહે ટ્રેનિંગ મેળવી લે તો કોઈને મદદરૂપ થઇ શકે. સર્વે આયોજકોને કાયદામાં રહીને તહેવારોની ઉજવણી કરવામાં સુચન કરવામાં આવ્યું છે.