ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યા ખાતે હાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને આગામી 22 જાન્યુઆરીનાં રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે, ત્યારે આ પાવન અવસરને લઈ રંગીલુ રાજકોટ પણ રામમય બની ગયું છે. શહેરના નાનામૌવા રોડ પરના સિલ્વર હાઇટ્સ બિલ્ડીંગ બહાર ભગવાન રામનાં 250 ફૂટનાં વિશાળ કટઆઉટે આકર્ષણ જમાવ્યું છે. તેમજ અનેક બિલ્ડીંગો પર કેસરીયો લહેરાતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટનાં નાનામૌવા રોડ ખાતે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચુ સિલ્વર હાઇટ્સ બિલ્ડીંગ આવેલું છે. અહીંના રહેવાસીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસ અને ગણતંત્ર દિવસે 250 ફૂટનો તિરંગો ધ્વજ લહેરાવવામાં આવે છે, ત્યારે હાલ ચાલી રહેલા રામોત્સવમાં પણ આ બિલ્ડીંગનાં રહેવાસીઓ સહભાગી થયા છે. સિલ્વર હાઇટ્સ પર જયશ્રી રામ લખેલું ભગવાન રામનું 250 ફૂટની લંબાઈનું કટઆઉટ લગાવાયું છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંથી પસાર થતા લોકો આ અદ્ભૂત કટઆઉટ નિહાળવા ઉભા રહી જાય છે.
શહેરના નાનામૌવા રોડ પરના બિલ્ડિંગ પરનાં શ્રીરામનાં 250 ફૂટનાં પોસ્ટરે આકર્ષણ જમાવ્યું
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-19-at-12.09.02-PM-1.jpeg)