ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આગામી લોકસભાને લઈને રાષ્ટ્રીય કાર્યક્રમ મંડળ સશક્તિકરણ તેમજ કાર્યશાળા જુનાગઢ મહાનગર ખાતે યોજાઇ હતી.
ભારત દેશના કુલ 16,185 મંડળોમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મંડળ શક્તિ કરણ અભિયાન યોજવામાં આવેલ હતું જેમાં ભાજપ યુવા મોરચા જુનાગઢ મહાનગર દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા તેમજ લોકસભા ઇલેક્શન પહેલા ભારતીય જનતા યુવા મોરચાના મંડળને સશક્ત કરવા માટેની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પુનિતભાઈ શર્મા પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડીયા તેમજ યુવા મોરચાના અધ્યક્ષ વિનસભાઈ હદવાણીની ઉપસ્થિતિમાં યુવા મોરચા જુનાગઢ મહાનગરની મંડળ સશક્તિકરણની બેઠક યોજાઇ હતી.
યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમ મંડળ અને સશક્તિકરણ તેમજ કાર્યશાળા જૂનાગઢમાં યોજાઇ
