ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવાની સાથે તેમને મંજૂવતા પ્રશ્ર્નોનું પ્રશ્ર્નોત્તર દરમિયાન સમાધાન કરવામાં આવ્યું હતું. આ સાથે કૃષિલક્ષી યોજનાઓ, પ્રાકૃતિક અને બાગાયત ખેતી, કૃષિ ટેકનોલોજી સહિતના બાબતોને આવરી લેતું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેનો પણ મોટી સંખ્યમાં ખેડૂતોએ લાભ લીધી હતો. ધારાસભ્યશ્રીએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતમાં અર્થતંત્રનું ખેતી મહત્વનું પાસું છે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2005માં કૃષિ મહોત્સવ શરૂ કર્યો હતો. જેના આજે સારા પરિણામો મળ્યા છે. આધુનિક ખેતી અને ટેકનોલોજી અપનાવવાથી ખેતી ખર્ચ ઘટે અને આવક વધે છે અને ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે કૃષિ મહોત્સવ સહિતની યોજનાઓના માધ્યમથી પ્રયાસ કરવામાં આવ્યા છે. તેમણે ગાય આધારિત ખેતીની હિમાયત કરતા કહ્યું કે, સમય સાથે અનુકૂલન સાધવું પડે છે, ત્યારે ગાયના દૂધ માટે અને તેના લાલન-પાલન માટે ગાય હોસ્ટેલનો કોન્સેપ્ટ અપનાવવો જોઈએ. ખેતીમાં ખેડૂતોએ નવીનતમ બાબતો અપનાવવી જોઈએ, શરૂઆતમાં કદાચ થોડી નુકસાની વેઠવી પડે પણ સમય જતા તેના લાભ પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે સબમીશન ઓન એગ્રી. એક્સ્ટેન્શન માટે રૂ.50,000ના પુરસ્કાર સાથે આત્મા બેસ્ટ ફાર્મરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ પોંકિયા મંજુલાબેનને પશુપાલન માટે રૂ. 10,000ના પુરસ્કાર સાથે બેસ્ટ ફાર્મરનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે ખેડૂતોને ટ્રેક્ટર, રોટાવેટર, કલટીવેટર, પાવર થ્રેસર માટે યોજનાકીય લાભોનો વિતરણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ: ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાયું
