By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    9 hours ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    9 hours ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    9 hours ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    9 hours ago
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    7 hours ago
    લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ
    9 hours ago
    ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા
    9 hours ago
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    4 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    10 hours ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    4 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    4 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    5 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    4 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    6 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્વ ફાઉન્ડેશનનાં પ્રમુખ ચૈતન્ય સિંહારે મહિલા આચાર્યને ચેનચાળા કર્યાં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સર્વ ફાઉન્ડેશનનાં પ્રમુખ ચૈતન્ય સિંહારે મહિલા આચાર્યને ચેનચાળા કર્યાં!
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

સર્વ ફાઉન્ડેશનનાં પ્રમુખ ચૈતન્ય સિંહારે મહિલા આચાર્યને ચેનચાળા કર્યાં!

Khaskhabar Editor
Last updated: 2022/08/05 at 5:55 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

અતુલ પંડિતે સર્વ ફાઉન્ડેશનને દત્તક આપેલી સરકારી શાળાનાં MoU તાત્કાલિક અસરથી
રદ્દ કરી દેવા અરજી

પાપ અતુલ પંડિતનું અને સજા ભોગવે શાળાની બહેનો-બાળકો : જાણીતા આર્કિટેક્ટ ચૈતન્ય સિંહારે સરકારી શાળા દત્તક લઈ તેનો નકશો બદલી નાખ્યો

- Advertisement -

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન અતુલ પંડિત મસમોટા કૌભાંડો કરી વિદેશ નાસી છૂટ્યા છે. હાલ શિક્ષણ સમિતિના ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા પાસે છે ત્યારે અતુલ પંડિતે થોડા સમય અગાઉ કરેલા એક કૌભાંડના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે. અતુલ પંડિતના પાપની સજા એક સરકારી શાળાની બહેનો-બાળકોને ભોગવવી પડી રહી છે. આ અંગે સરકારી શાળાનાં આચાર્યએ સર્વ ફાઉન્ડેશનનાં પ્રમુખ ચૈતન્ય સિંહાર વિરૂદ્ધ મહિલા આચાર્યને ચેનચાળા કર્યાની અને શાળામાં વધુ પડતી દખલગીરી કરવા બાબતની અરજી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ડે. કમિશનરથી લઈ ગુજરાતના શિક્ષણમંત્રી અને સચિવને કરી છે. ખાસ-ખબર દ્વારા થોડા સમય અગાઉ જ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે સર્વ ફાઉન્ડેશનને એક સરકારી શાળા દત્તક દેવાના નામે પાછલા બારણેથી પૈસા લઈ વેંચી મારી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. હવે અતુલ પંડિત દ્વારા જે સરકારી શાળા સર્વ ફાઉન્ડેશનને દત્તક આપવામાં આવી છે તે એમઓયુને તાત્કાલિક અસરથી રદ્દ કરવા ઉચ્ચસ્તર સુધી અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ સરકારી શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓના વાલીઓ સહિત આશરે 50થી વધુ લોકોએ સરકારી શાળા દત્તક લેનાર સર્વ ફાઉન્ડેશનના પ્રમુખ ચૈતન્ય સિંહાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો પણ કર્યા છે. રાજકોટના જાણીતા આર્કિટેક્ટ ચૈતન્ય સિંહારના ચારિત્ર સામે સરકારી શાળાનાં આચાર્ય, શિક્ષકો, વાલીઓના બેફામ આક્ષેપથી શિક્ષણજગત સ્તબ્ધ છે. શિક્ષણ સમિતિમાંથી માલ બનાવી અતુલ પંડિત તો વિદેશ ભાગી ગયા છે, પાછળથી તેમણે કરેલા કૌભાંડના એક પછી એક બહાર આવી રહ્યા છે ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક તટસ્થ તપાસ સમિતિ રચી શિક્ષણ સમિતિમાં ચાલતી ગેરરિતિ અટકાવી જરૂરી બની જાય છે.

ચૈતન્ય સિંહારનાં ચારિત્ર્ય સામે આક્ષેપથી શિક્ષણજગત સ્તબ્ધ

સર્વ ફાઉન્ડેશન સમાજસેવકોની નહીં, માત્ર બિલ્ડરોની સંસ્થા!

- Advertisement -

સર્વ ફાઉન્ડેશન રાજકોટના કોઈ સમાજસેવકોની નહીં, પરંતુ કેટલાંક બિલ્ડરોની એક સંસ્થા છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છ જેટલા લોકોએ સર્વ ફાઉન્ડેશન સંસ્થાના નામે રાજકોટ શિક્ષણ સમિતિ પાસેથી એક સરકારી શાળા દત્તક લીધી છે. શહેરના પોશ એરિયામાં આવેલી સરકારી શાળા બિલ્ડરોને દત્તક આપવા બદલ અતુલ પંડિતે તેમની પાસેથી પાછલા બારણે મસમોટી રકમ લીધાનું પણ ચર્ચાઈ રહ્યું છે એટલું જ નહીં, સર્વ ફાઉન્ડેશનના સભ્યો એટલે કે બિલ્ડરો દ્વારા આ સરકારી શાળામાં દર રવિવારે પાર્ટી અને ગેટ ટુ ગેધર પણ ગોઠવવામાં આવે છે, મહિલા આચાર્ય અને શિક્ષકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે વગેરેની ફરિયાદ પણ ઉઠી છે. શાળાના સીસીટીવી ચેક કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.

સર્વ ફાઉન્ડેશને દત્તક લીધેલી શાળામાં ચૈતન્ય સિંહારનાં કારીગરોનો કબ્જો

સર્વ ફાઉન્ડેશનના પ્રમુખ ચૈતન્ય સિંહાર દ્વારા જે સરકારી શાળા દત્તક લેવામાં આવી છે તેમા તેના કારીગરોએ કબ્જો કરી લીધો છે. ચૈતન્ય સિંહારની સાઇટ પર કામ કરતા કારીગરો ગેરકાયદે આ સરકારી શાળાના વર્ગખંડમાં વસવાટ કરવા લાગ્યા છે અને મોટાભાગની જગ્યા પચાવી પાડી છે. સર્વ ફાઉન્ડેશનના સભ્યો પણ આ સરકારી શાળાનો અંગત કામકાજ માટે ઉપયોગ કરે છે. આ શાળાના આચાર્ય અને શિક્ષકોએ આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહતા તેથી સર્વ ફાઉન્ડેશનના સભ્યોની આ સરકારી શાળામાં દખલગીરી વધતા નાછૂટકે તેની સાથે સંકળાયેલાઓએ શિક્ષણ સમિતિ અને સર્વ ફાઉન્ડેશન વચ્ચે સરકારી શાળા દત્તક આપવાના એમઓયુ રદ્દ કરવા અપીલ કરી છે.

સર્વ ફાઉન્ડેશન વિરુદ્ધ કરવામાં આવેલી અરજીના મુખ્ય મુદ્દાઓ

સર્વ ફાઉન્ડેશન સાથે રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા શાળા દત્તક આપવાનો એમઓયુ કરવામાં આવેલો છે. સર્વ ફાઉન્ડેશન દ્વારા એક સરકારી શાળા દત્તક લઈ તેમાં બિનજરૂરી દખલગીરી કરવામાં આવતા સર્વ ફાઉન્ડેશન સાથે સરકારી શાળા દત્તક આપ્યાનો એમઓયુ તાત્કાલિક અસરથી રદ્દ કરવા ઉચ્ચ અધિકારીઓને જે અરજી કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે,

1. અમારી શાળાના પ્રજ્ઞા ક્લાસરૂમમાં અમારી જાણ બહાર તેમણે પ્રજ્ઞાનું સાહિત્ય જેમ કે પ્રજ્ઞા રેન્ક, લેડર, છાબડીઓ, ખીતીઓ, બાળકોની પ્રોફાઈલ દૂર કરી અમારી જાણ બહાર નાશ કરી દીધેલું છે જેની માઠી અસર અમારા પ્રજ્ઞા શિક્ષણ કાર્ય પર પડેલ છે. પ્રજ્ઞા અભિગમ સરકારશ્રીનો અભિગમ હોય અને અમારે તો સરકારશ્રીના નિયમ મુજબ ચલાવવાનો હોય તેવું તેમને વારંવાર જણાવવા છતાં તેમણે મનમાની કરી અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અહીત કરેલું છે.

2. જ્ઞાનકુંજ પ્રોજેક્ટના પ્રોજેક્ટર તથા હોમ થિયેટરના સ્પીકર્સને પણ નુકસાન પહોંચાડલું છે. આ ઉપરાંત અમારા ખોયા પાયા સ્ટોલ, અક્ષયપાત્ર, રામ હાટ જેવી વ્યવસ્થાને પણ વેરવિખેર કરી નાખેલા છે.

3. તેઓએ અગાસી ઉપર ખોદકામ કરી વરસાદના સમયે અગાસીની છત તોડી નાખેલી હોવાથી અમારા કોમ્પ્યુટર લેબમાં પાણી પડેલું જેના કારણે હાલમાં જ અમારી શાળાને દાનમાં મળેલા 15 કોમ્પ્યુટર તથા શાળાના જૂના 12 કોમ્પ્યુટર આમ 27 કોમ્પ્યુટરને તથા ઈલેકટ્રીક બોર્ડને બધું જ શોર્ટ-સર્કિટ થવાથી નુકસાન પહોંચાડેલું છે. શાળાના ટેબલ અને ફર્નીચરને તેઓએ નષ્ટ કરેલા છે. જેના કારણે હાલ અમારા બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપી શકાય તેમ નથી અને તેમાં ખલેલ પહોંચાડી છે.

4. શાળાના મકાન કે મેદાનમાં કોઈ પણ પરવાનગી વગર છેલ્લાં છ માસમાં તેમની મનમાનીથી તેઓએ ફેરફાર કરેલ છે, જેવી કે શાળાના રંગરોગાન કે જે માત્ર ત્રણ માસ પહેલાં જ કરેલું હતું. તેના પર તેમણે નવું રંગરોગાન કર્યું છે. જે પણ શાળાના નીતિ નિયમો મુજબ નથી. શાળાની સેનિટેશન વ્યવસ્થા વખોડી નાખી છે જેને લઈ શાળાના તમામ શિક્ષિકા બહેનો શિક્ષક ભાઈઓ તથા 890 બાળકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે.

5. અમારી શાળાની પાણીની વ્યવસ્થા પણ તેઓ દ્વારા ખૂબ ખરાબ રીતે દખલગીરી કરીને ખોરવી નાખી છે. શાળાનું તમામ પ્લમ્બિંગ કામ, ઠંડા પાણીનું ફ્રીઝ, આરો પ્લાન્ટ બધું જ વિખેરી નાખેલું છે જેના કારણે અમે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પાયાની સુવિધામાં તકલીફ પડી રહી છે અને બાળકો હેરાન થઈ રહ્યા છે.

6. સરકારશ્રીના નિયમ મુજબ શાળાની અંદર જે કાંઈ પેઈન્ટિંગ કરેલા હતા, શાળાના શિક્ષકોની માહિતી, શાળાના તમામ બ્લેકબોર્ડ, સુચના બોર્ડ, એસએમસી કમિટીની વિગત આ ઉપરાંત સમયે-સમયે સરકારે આપેલ સૂચના મુજબના પોસ્ટર્સ જે શાળામાં લગાડેલા હતા તે તેઓએ નિકાળી અને નષ્ટ કરેલું છે.

7. શાળાના મકાનનો ઉપયોગ તેઓ અમારી જાણ બહાર એમના ગેટ ટુ ગેધર અને પોતાના અંગત આયોજન માટે રાખી શાળાને ગંદી કરવામાં આવે છે અને મિજબાનીઓ કરવામાં આવે છે. શાળા પરિસરમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલું છે અને શાળાનો બગીચો જે શાળાના સમય બાદ અમે વિકસાવેલો છે તેમને પણ તેઓ નષ્ટ કરી રહ્યા છે.

8. શાળાનું તમામ ઈલેકટ્રીક ફીટીંગ ટ્યુબલાઈટો, પંખા, ઈલેકટ્રીક બોર્ડ બધું જ તેઓએ કાઢી અને તેમની મનમાની મુજબ જે શાળાની જરૂરિયાત અને નિયમ મુજબ નથી તેવી રીતે કરેલું છે. શાળાના 10 પંખા ગાયબ થયેલા છે. અમારા બધા જ પંખાઓ ચાલુ હતા, જે ચાલુ પંખામાંથી હવે તેઓએ 10 પંખા ગાયબ કરી અને બાળકોને પંખા ન નાખવાના કારણે ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે. શાળાની ચાવી જ્યારથી તેમને સોંપવામાં આવી છે ત્યારથી શાળાની ઘણી બીજી વસ્તુઓ પણ ગાયબ થયેલી જાણ પડી છે. સરકારશ્રીના નિયમોને ધ્યાનમાં લેવા કરાર થયા હોવા છતાં પણ અમે તેમનું ધ્યાન દોરતાં તેઓએ સતત તેમનું ઉલ્લંઘન કરેલ છે. અમે જ્યારે તેઓનું ધ્યાન દોરીએ છીએ ત્યારે તેઓ અમને અપમાનિત કરી અને જિલ્લા બહાર બદલી કરી નાખવાની ધમકીઓ આપે છે.

9. છેલ્લે તો તેઓનું વર્તન તમામ સીમાઓને પાર કરી ચાલુ શાળા દરમિયાન એક મહિલા આચાર્ય કર્મચારી સાથે ન છાજે તેવું વર્તન કર્યું છે. તારીખ 24-07-22એ 1-30 કલાકે સર્વ ફાઉન્ડેશનના પ્રમુખ મેમ્બર દ્વારા ચાલુ ફરજ પર શાળાના આચાર્ય મહિલા સાથે તેમની માનહાનિ થાય તેવી રીતે તેમને સ્પર્શ કરેલ જે ખરેખર અતિદુ:ખની વાત છે. આ પરથી જો ખુદ આચાર્યની સલામતી જોખમાતી હોય તેવું સતત આચાર્ય અનુભવી રહ્યા છે.

You Might Also Like

મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે

વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ

ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન

રાજુલામાં મતાધિકાર પર તરાપ? 1800 વાંધા અરજીઓથી ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

TAGGED: ATULPANDIT, CHETANYASINHAR, Rajkot, SURVEYFOUNDATION
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરેશ ડોબરિયા દ્વારા લગ્ન સહાય યોજનાનાં નામે કરોડોની છેતરપિંડી
Next Article શિક્ષણ સમિતિનાં ચેરમેનને હટાવો: ‘આપ’નું એલાન-એ-જંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ
મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે
વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ
ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન
રાજુલામાં મતાધિકાર પર તરાપ? 1800 વાંધા અરજીઓથી ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મોરબી

વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?