By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    18 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    18 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    19 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!
AuthorParakh Bhattધર્મ

મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!

Khaskhabar Editor
Last updated: 2021/12/25 at 2:09 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

મહાભારતના યુધ્ધ વખતે શ્રીકૃષ્ણને બરાબર ખ્યાલ હતો કે જ્યાં સુધી ગુરૂ દ્રોણ પરાજિત નહીં થાય ત્યાં સુધી પાંડવોની જીત અસંભવ છે.

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

દ્રોણાચાર્યને શસ્ત્રહીન કરવા અશક્ય હતાં, જેની પાછળ તેમનું દ્રઢ મનોબળ અને ઉત્કૃષ્ટ યુધ્ધકલા કારણભૂત હતી, પરંતુ તેમની એકમાત્ર નબળાઈ તેમનો પુત્ર અશ્ર્વત્થામા હતો. કૃષ્ણ જાણતાં હતાં કે અશ્ર્વત્થામાનાં મૃત્યુનાં સમાચાર જ ગુરૂ દ્રોણને આહત કરી શકશે. પણ આ સમાચાર ફેલાવે કોણ? દ્રોણાચાર્ય શ્રીકૃષ્ણની યુધ્ધનીતિ વાકેફ હતાં આથી નજરે જોયા વગર કોઈની વાત પર ભરોસો કરી લે તેવા કાચાપોચા પણ નહોતા! કૃષ્ણે એક આખરી ઉપાય તરીકે યુધિષ્ઠિરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ. સૌ કોઈ યુધિષ્ઠિરની પ્રામાણિકતા અને સત્ય-ઉચ્ચારણની પ્રતિજ્ઞાથી વાકેફ હતાં. ‘અશ્વત્થામા’ નામક હાથીની હત્યા કરાવ્યા બાદ યુધિષ્ઠિર પાસે તેની ઘોષણા કરાવવામાં આવી. બીજી બાજુ, દ્રોણાચાર્યને પણ યુધિષ્ઠિરની સત્યવાણી પર પૂરેપૂરો ભરોસો! તેમને લાગ્યું કે પોતાનો પુત્ર અશ્વત્થામા હણાયો છે. પુત્રનાં મૃત્યુથી તેઓ ઘણા દુ:ખી થઈ ગયા. એ જ વખતે પાંચાલ નરેશ દ્રુપદનાં પુત્ર દ્રુષ્ટદ્યુમ દ્વારા તેમનો અંત આણવામાં આવ્યો.

Contents
મહાભારતના યુધ્ધ વખતે શ્રીકૃષ્ણને બરાબર ખ્યાલ હતો કે જ્યાં સુધી ગુરૂ દ્રોણ પરાજિત નહીં થાય ત્યાં સુધી પાંડવોની જીત અસંભવ છે.મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ

- Advertisement -

પિતાનાં વધની ખબર મળતાં જ અશ્ર્વત્થામા યુધિષ્ઠિરે ઉચ્ચારેલા અર્ધસત્યથી ખૂબ ગુસ્સો ભરાયો. તેનાં કપાળ પરનાં મણિને લીધે તે અજર-અમર હતો. પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને તેણે પાંડવપુત્રોની હત્યા કરી નાંખી. ફક્ત આટલેથી ન અટકતાં, તેણે અભિમન્યુની પત્ની ઉત્તરાનાં ગર્ભમાં ઉછરી રહેલ પુત્ર પરીક્ષિત પર બ્રહ્માસ્ત્ર છોડી તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો. અશ્વત્થામાનાં આ હિચકારી કૃત્યથી કૃષ્ણ અત્યંત રોષે ભરાયા અને તેમણે અશ્ર્વત્થામાનાં કપાળ પરથી મણિ ખેંચી કાઢી તેને શાપ આપ્યો કે યુગ-યુગાંતર સુધી તે બિમાર અવસ્થામાં ભટકતો રહેશે. તેના શરીરમાંથી પરૂ ઝરશે તથા અસહ્ય પીડાની સાથે દુર્ગંધ આવશે. દુનિયાની કોઈ તાકાત તેને આ નર્કસમાન પીડામાંથી મોક્ષ નહી અપાવી શકે. કળિયુગનાં અંત સુધી તેણે આ અવસ્થામાં પૃથ્વી પર ભ્રમણ કરતાં રહેવું પડશે. લોકો સાથે હળવા-મળવાની કે વાતો કરવાની સ્વતંત્રતા છીનવાઈ જશે અને તેનું સમગ્ર જીવન અંધકારમય બની જશે.

અશ્ર્વત્થામાને મળેલ આ શાપને લીધે તેનો દેહ હજુ પણ પૃથ્વી પર ભટક્યા કરતો હોવાની માન્યતા સેવાઇ રહી છે. મધ્યપ્રદેશનાં બુરહાનપુરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા આસીરગઢ કિલ્લામાં સ્થિત શિવમંદિર આજે પણ અશ્વત્થામાની હાજરી પૂરાવે છે. માનવામાં આવે છે કે દરરોજ વહેલી સવારે અશ્વત્થામા અહીં ભગવાન શિવની આરાધના કરવા માટે પ્રગટ થાય છે. કિલ્લાની અંદર એક તળાવ પણ આવેલું છે, જ્યાં સ્નાન કર્યા બાદ તે મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. આસીરગઢ કિલ્લો દરિયાની સપાટીથી 750 ફૂટ ઉપર આવેલા સાતપુડા પહાડોનાં શિખર પર નિર્માણ થયેલો છે. ઉનાળાની ઋતુમાં અહીં ધોમધખતો તાપ પડતો હોવા છતાં તળાવનું પાણી ક્યારેય સૂકાયેલું નથી જોવા મળ્યું! તળાવથી થોડે જ આગળ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, જેની ચારેબાજુ ઉંડી ખીણો પથરાયેલી છે. કિવદંતી અનુસાર, આ તમામ ખીણોમાંથી કોઈ એક ખીણમાં આવેલો ગુપ્ત રસ્તો ખાંડવ વન (ખંડવા જિલ્લા)માંથી પસાર થઈને સીધો મંદિરનાં પટાંગણ સુધી પહોંચે છે. આ રસ્તે થઈને અશ્વત્થામા મંદિરમાં પ્રવેશ કરે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, મંદિરની અંદર પશુ-પંખીઓનું પણ નામોનિશાન જોવા નથી મળતું! અહીંયા કોઈ પ્રકારની કૃત્રિમ લાઈટ કે ઈલેક્ટ્રીસિટી ગોઠવવામાં નથી આવી, છતાં દરરોજ અચૂકપણે કોઈ અજાણ શક્તિ શિવલિંગ પર તાજા પુષ્પ અને ગુલાલ ચઢાવી જાય છે!

બુરહાનપુરનો ઇતિહાસ 5000 વર્ષ પહેલાના મહાભારતકાળથી ચાલ્યો આવે છે. આ વિસ્તાર પહેલાનાં સમયમાં ખાંડવ વનનાં નામે ઓળખાતો. આસીરગઢ કિલ્લાનું નિર્માણ ત્યાંના રાજા આસા આહિરને હસ્તે કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1380માં ફારૂખી વંશનાં બાદશાહોએ તેનું પુનરૂધ્ધાર કરાવ્યો હોવાની સાબિતી મળી આવી છે. દર વર્ષે હજારો લોકો દૂર-દૂરથી બુરહાનપુરનાં આ પ્રાચીન શિવ મંદિરનાં દર્શનાર્થે આવે છે. સૌથી વધુ ભીડ શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન જોવા મળતી હોય છે. પરંતુ અશ્ર્વત્થામાની દંતકથાને કારણે સંધ્યા સમય પછી અહીંયા માણસ તો દૂર, ચકલું પણ નથી ફરકતું!

- Advertisement -

હિંદુ વેદ-પુરાણોમાં કુલ આઠ અમર પાત્રોમાંનું એક પાત્ર એટલે અશ્વત્થામા. તેમના ઉપરાંત રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને ઋષિ માર્કંડેયને પણ અમર હોવાનું વરદાન પ્રાપ્ત છે. નીચેનાં શ્લોકમાં તેમનાં અમર હોવાની વાત કહેવાઈ છે :

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:
कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन: ॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित ॥ 

આસીરગઢના શિવ-મંદિર ઉપરાંતનાં અન્ય છ મંદિરોમાં અશ્વત્થામા દર્શન કરવા આવે છે. મધ્યપ્રદેશનાં જબલપુર ખાતેનાં જ અન્ય એક સ્થળ પર અશ્વત્થામાની હાજરીનો અનુભવ કરવામાં આવ્યો છે. શહેરના ગોરીઘાટ (નર્મદા નદી)નાં કિનારે અશ્વત્થામા પોતાનાં કપાળ પરથી વહી રહેલા લોહીને અટકાવવા યાત્રિકો પાસેથી હળદર અને તેલની માંગણી કરતો નજરે ચડે છે. ત્યાંના સ્થાનિક લોકો પાસે તેમની પુષ્કળ આપવીતી સાંભળવા મળે છે. કેટલાક કહે છે કે તેમનાં પરદાદાઓએ અશ્વત્થામાને સદેહે નિહાળ્યો છે! અન્ય ગામવાસીનું કહેવું એમ પણ છે કે તેઓ જ્યારે નદીકિનારે માછલી પકડવા ગયા ત્યારે કોઈક અદ્રશ્ય તાકતે પાછળથી આવીને તેમને પાણીમાં જોરથી ધક્કો માર્યો! સ્થાનિક લોકોનું માનવું છે કે જે વ્યક્તિ એક વાર અશ્વત્થામાને તેનાં મૂળ અવતારમાં જોઈ લે છે, તેનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે.
આ ઉપરાંત, કાનપુરનાં શિવરાજપુરમાં ગંગા નદીથી બે કિલોમીટર દૂર આવેલા શિવ-મંદિર વિશેની કથાઓ તો વધુ પ્રગાઢ છે. મંદિરનું નિર્માણ ખુદ દ્રોણાચાર્યનાં હસ્તે થયું હોવાની માન્યતા છે. અશ્વત્થામાનું જન્મ-સ્થળ મનાતું આ મંદિર, દરરોજ સાંજે આઠ વાગ્યાથી વહેલી સવાર ચાર વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે. અહીં શિવલિંગ પર ફક્ત ગંગાજળ ચઢાવવાની પ્રથા ચાલી આવે છે. પૂજારી દ્વારા રાખવામાં આવેલા સફેદ ફૂલોમાંથી એક ફૂલનો રંગ બદલીને લાલ થઈ જાય છે. મંદિર ખોલતાંની સાથે જ શિવલિંગ પર બિલ્લી પત્ર, ભાંગ-ધતૂરો, કેસર, ચોખા અર્પણ થયેલ જોવા મળે છે. દરરોજ રાત્રે બારથી એક વાગ્યાની વચ્ચે અશ્વત્થામા અહીં શિવલિંગની પૂજા કરવા માટે હાજર થાય છે, તેવી સ્થાનિક લોકોની માન્યતા છે!

પિતાનાં વધની ખબર મળતાં જ અશ્ર્વત્થામા યુધિષ્ઠિરે ઉચ્ચારેલા અર્ધસત્યથી ખૂબ ગુસ્સો ભરાયો, તેનાં કપાળ પરનાં મણિને લીધે તે અજર-અમર હતો. પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને તેણે પાંડવપુત્રોની હત્યા કરી નાંખી, અશ્વત્થામાનાં આ હિચકારી કૃત્યથી કૃષ્ણ અત્યંત રોષે ભરાયા અને તેમણે અશ્ર્વત્થામાનાં કપાળ પરથી મણિ ખેંચી કાઢી તેને શાપ આપ્યો કે યુગ-યુગાંતર સુધી તે બિમાર અવસ્થામાં ભટકતો રહેશે. તેના શરીરમાંથી પરૂ ઝરશે તથા અસહ્ય પીડાની સાથે દુર્ગંધ આવશે.

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોના મહામારીની અસર: 50 કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાયા
Next Article ઝિણા અને ગાંધી અસાધારણ સામ્ય અને વિરોધાભાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?