By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    1 hour ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    1 hour ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજેનું મોત
    15 minutes ago
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    50 minutes ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    2 hours ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    33 minutes ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    24 minutes ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    43 minutes ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!
AuthorParakh Bhattધર્મ

મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!

Khaskhabar Editor
Last updated: 2021/12/25 at 2:09 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

મહાભારતના યુધ્ધ વખતે શ્રીકૃષ્ણને બરાબર ખ્યાલ હતો કે જ્યાં સુધી ગુરૂ દ્રોણ પરાજિત નહીં થાય ત્યાં સુધી પાંડવોની જીત અસંભવ છે.

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

દ્રોણાચાર્યને શસ્ત્રહીન કરવા અશક્ય હતાં, જેની પાછળ તેમનું દ્રઢ મનોબળ અને ઉત્કૃષ્ટ યુધ્ધકલા કારણભૂત હતી, પરંતુ તેમની એકમાત્ર નબળાઈ તેમનો પુત્ર અશ્ર્વત્થામા હતો. કૃષ્ણ જાણતાં હતાં કે અશ્ર્વત્થામાનાં મૃત્યુનાં સમાચાર જ ગુરૂ દ્રોણને આહત કરી શકશે. પણ આ સમાચાર ફેલાવે કોણ? દ્રોણાચાર્ય શ્રીકૃષ્ણની યુધ્ધનીતિ વાકેફ હતાં આથી નજરે જોયા વગર કોઈની વાત પર ભરોસો કરી લે તેવા કાચાપોચા પણ નહોતા! કૃષ્ણે એક આખરી ઉપાય તરીકે યુધિષ્ઠિરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ. સૌ કોઈ યુધિષ્ઠિરની પ્રામાણિકતા અને સત્ય-ઉચ્ચારણની પ્રતિજ્ઞાથી વાકેફ હતાં. ‘અશ્વત્થામા’ નામક હાથીની હત્યા કરાવ્યા બાદ યુધિષ્ઠિર પાસે તેની ઘોષણા કરાવવામાં આવી. બીજી બાજુ, દ્રોણાચાર્યને પણ યુધિષ્ઠિરની સત્યવાણી પર પૂરેપૂરો ભરોસો! તેમને લાગ્યું કે પોતાનો પુત્ર અશ્વત્થામા હણાયો છે. પુત્રનાં મૃત્યુથી તેઓ ઘણા દુ:ખી થઈ ગયા. એ જ વખતે પાંચાલ નરેશ દ્રુપદનાં પુત્ર દ્રુષ્ટદ્યુમ દ્વારા તેમનો અંત આણવામાં આવ્યો.

Contents
મહાભારતના યુધ્ધ વખતે શ્રીકૃષ્ણને બરાબર ખ્યાલ હતો કે જ્યાં સુધી ગુરૂ દ્રોણ પરાજિત નહીં થાય ત્યાં સુધી પાંડવોની જીત અસંભવ છે.મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ

- Advertisement -

પિતાનાં વધની ખબર મળતાં જ અશ્ર્વત્થામા યુધિષ્ઠિરે ઉચ્ચારેલા અર્ધસત્યથી ખૂબ ગુસ્સો ભરાયો. તેનાં કપાળ પરનાં મણિને લીધે તે અજર-અમર હતો. પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને તેણે પાંડવપુત્રોની હત્યા કરી નાંખી. ફક્ત આટલેથી ન અટકતાં, તેણે અભિમન્યુની પત્ની ઉત્તરાનાં ગર્ભમાં ઉછરી રહેલ પુત્ર પરીક્ષિત પર બ્રહ્માસ્ત્ર છોડી તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો. અશ્વત્થામાનાં આ હિચકારી કૃત્યથી કૃષ્ણ અત્યંત રોષે ભરાયા અને તેમણે અશ્ર્વત્થામાનાં કપાળ પરથી મણિ ખેંચી કાઢી તેને શાપ આપ્યો કે યુગ-યુગાંતર સુધી તે બિમાર અવસ્થામાં ભટકતો રહેશે. તેના શરીરમાંથી પરૂ ઝરશે તથા અસહ્ય પીડાની સાથે દુર્ગંધ આવશે. દુનિયાની કોઈ તાકાત તેને આ નર્કસમાન પીડામાંથી મોક્ષ નહી અપાવી શકે. કળિયુગનાં અંત સુધી તેણે આ અવસ્થામાં પૃથ્વી પર ભ્રમણ કરતાં રહેવું પડશે. લોકો સાથે હળવા-મળવાની કે વાતો કરવાની સ્વતંત્રતા છીનવાઈ જશે અને તેનું સમગ્ર જીવન અંધકારમય બની જશે.

અશ્ર્વત્થામાને મળેલ આ શાપને લીધે તેનો દેહ હજુ પણ પૃથ્વી પર ભટક્યા કરતો હોવાની માન્યતા સેવાઇ રહી છે. મધ્યપ્રદેશનાં બુરહાનપુરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા આસીરગઢ કિલ્લામાં સ્થિત શિવમંદિર આજે પણ અશ્વત્થામાની હાજરી પૂરાવે છે. માનવામાં આવે છે કે દરરોજ વહેલી સવારે અશ્વત્થામા અહીં ભગવાન શિવની આરાધના કરવા માટે પ્રગટ થાય છે. કિલ્લાની અંદર એક તળાવ પણ આવેલું છે, જ્યાં સ્નાન કર્યા બાદ તે મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. આસીરગઢ કિલ્લો દરિયાની સપાટીથી 750 ફૂટ ઉપર આવેલા સાતપુડા પહાડોનાં શિખર પર નિર્માણ થયેલો છે. ઉનાળાની ઋતુમાં અહીં ધોમધખતો તાપ પડતો હોવા છતાં તળાવનું પાણી ક્યારેય સૂકાયેલું નથી જોવા મળ્યું! તળાવથી થોડે જ આગળ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, જેની ચારેબાજુ ઉંડી ખીણો પથરાયેલી છે. કિવદંતી અનુસાર, આ તમામ ખીણોમાંથી કોઈ એક ખીણમાં આવેલો ગુપ્ત રસ્તો ખાંડવ વન (ખંડવા જિલ્લા)માંથી પસાર થઈને સીધો મંદિરનાં પટાંગણ સુધી પહોંચે છે. આ રસ્તે થઈને અશ્વત્થામા મંદિરમાં પ્રવેશ કરે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, મંદિરની અંદર પશુ-પંખીઓનું પણ નામોનિશાન જોવા નથી મળતું! અહીંયા કોઈ પ્રકારની કૃત્રિમ લાઈટ કે ઈલેક્ટ્રીસિટી ગોઠવવામાં નથી આવી, છતાં દરરોજ અચૂકપણે કોઈ અજાણ શક્તિ શિવલિંગ પર તાજા પુષ્પ અને ગુલાલ ચઢાવી જાય છે!

બુરહાનપુરનો ઇતિહાસ 5000 વર્ષ પહેલાના મહાભારતકાળથી ચાલ્યો આવે છે. આ વિસ્તાર પહેલાનાં સમયમાં ખાંડવ વનનાં નામે ઓળખાતો. આસીરગઢ કિલ્લાનું નિર્માણ ત્યાંના રાજા આસા આહિરને હસ્તે કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1380માં ફારૂખી વંશનાં બાદશાહોએ તેનું પુનરૂધ્ધાર કરાવ્યો હોવાની સાબિતી મળી આવી છે. દર વર્ષે હજારો લોકો દૂર-દૂરથી બુરહાનપુરનાં આ પ્રાચીન શિવ મંદિરનાં દર્શનાર્થે આવે છે. સૌથી વધુ ભીડ શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન જોવા મળતી હોય છે. પરંતુ અશ્ર્વત્થામાની દંતકથાને કારણે સંધ્યા સમય પછી અહીંયા માણસ તો દૂર, ચકલું પણ નથી ફરકતું!

- Advertisement -

હિંદુ વેદ-પુરાણોમાં કુલ આઠ અમર પાત્રોમાંનું એક પાત્ર એટલે અશ્વત્થામા. તેમના ઉપરાંત રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને ઋષિ માર્કંડેયને પણ અમર હોવાનું વરદાન પ્રાપ્ત છે. નીચેનાં શ્લોકમાં તેમનાં અમર હોવાની વાત કહેવાઈ છે :

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:
कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन: ॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित ॥ 

આસીરગઢના શિવ-મંદિર ઉપરાંતનાં અન્ય છ મંદિરોમાં અશ્વત્થામા દર્શન કરવા આવે છે. મધ્યપ્રદેશનાં જબલપુર ખાતેનાં જ અન્ય એક સ્થળ પર અશ્વત્થામાની હાજરીનો અનુભવ કરવામાં આવ્યો છે. શહેરના ગોરીઘાટ (નર્મદા નદી)નાં કિનારે અશ્વત્થામા પોતાનાં કપાળ પરથી વહી રહેલા લોહીને અટકાવવા યાત્રિકો પાસેથી હળદર અને તેલની માંગણી કરતો નજરે ચડે છે. ત્યાંના સ્થાનિક લોકો પાસે તેમની પુષ્કળ આપવીતી સાંભળવા મળે છે. કેટલાક કહે છે કે તેમનાં પરદાદાઓએ અશ્વત્થામાને સદેહે નિહાળ્યો છે! અન્ય ગામવાસીનું કહેવું એમ પણ છે કે તેઓ જ્યારે નદીકિનારે માછલી પકડવા ગયા ત્યારે કોઈક અદ્રશ્ય તાકતે પાછળથી આવીને તેમને પાણીમાં જોરથી ધક્કો માર્યો! સ્થાનિક લોકોનું માનવું છે કે જે વ્યક્તિ એક વાર અશ્વત્થામાને તેનાં મૂળ અવતારમાં જોઈ લે છે, તેનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે.
આ ઉપરાંત, કાનપુરનાં શિવરાજપુરમાં ગંગા નદીથી બે કિલોમીટર દૂર આવેલા શિવ-મંદિર વિશેની કથાઓ તો વધુ પ્રગાઢ છે. મંદિરનું નિર્માણ ખુદ દ્રોણાચાર્યનાં હસ્તે થયું હોવાની માન્યતા છે. અશ્વત્થામાનું જન્મ-સ્થળ મનાતું આ મંદિર, દરરોજ સાંજે આઠ વાગ્યાથી વહેલી સવાર ચાર વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે. અહીં શિવલિંગ પર ફક્ત ગંગાજળ ચઢાવવાની પ્રથા ચાલી આવે છે. પૂજારી દ્વારા રાખવામાં આવેલા સફેદ ફૂલોમાંથી એક ફૂલનો રંગ બદલીને લાલ થઈ જાય છે. મંદિર ખોલતાંની સાથે જ શિવલિંગ પર બિલ્લી પત્ર, ભાંગ-ધતૂરો, કેસર, ચોખા અર્પણ થયેલ જોવા મળે છે. દરરોજ રાત્રે બારથી એક વાગ્યાની વચ્ચે અશ્વત્થામા અહીં શિવલિંગની પૂજા કરવા માટે હાજર થાય છે, તેવી સ્થાનિક લોકોની માન્યતા છે!

પિતાનાં વધની ખબર મળતાં જ અશ્ર્વત્થામા યુધિષ્ઠિરે ઉચ્ચારેલા અર્ધસત્યથી ખૂબ ગુસ્સો ભરાયો, તેનાં કપાળ પરનાં મણિને લીધે તે અજર-અમર હતો. પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને તેણે પાંડવપુત્રોની હત્યા કરી નાંખી, અશ્વત્થામાનાં આ હિચકારી કૃત્યથી કૃષ્ણ અત્યંત રોષે ભરાયા અને તેમણે અશ્ર્વત્થામાનાં કપાળ પરથી મણિ ખેંચી કાઢી તેને શાપ આપ્યો કે યુગ-યુગાંતર સુધી તે બિમાર અવસ્થામાં ભટકતો રહેશે. તેના શરીરમાંથી પરૂ ઝરશે તથા અસહ્ય પીડાની સાથે દુર્ગંધ આવશે.

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓમિક્રોને નાતાલના આનંદને ફીકો પડ્યો, વૈશ્વિક સ્તરે હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
Next Article ઝિણા અને ગાંધી અસાધારણ સામ્ય અને વિરોધાભાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજેનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?