એક કિમીના વિસ્તારમાં ધુમાડો ફેલાયો : દુર્ઘટનામાં 4 કામદારનાં મોતની શક્યતા, 15થી વધુ કામદારો ઈજાગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
પંચમહાલની બહુમાળી ઈમારત ધરાવતી જીએફએલ કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ ફાટી નીકળી છે. જ્વલનશિલ કેમિકલ બનાવતી કંપનીમાં ભયાનક વિસ્ફોટ થતા ફાયર વિભાગ દોડતુ થયુ છે. આ આગ એટલી મોટી છે કે, એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો ધુમાડો ફેલાયો હતો. આગનુ સાયરન વાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા.
જોકે, કંપની બ્લાસ્ટમાં મોટી જાનહાનિની શક્યતાઓ છે. ઘોઘંબાના રણજિત નગર પાસે જીએફએલ કંપની આવેલી છે. કંપનીના જીપીપી-1 નંબરના પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આગની જ્વાળાઓ આકાશ દેખાય ત્યાં સુધી પ્રસરી હતી. આ કંપનીમાં જ્વલનશિલ કેમિકલ બનાવવામાં આવે છે, જેને પગલે બ્લાસ્ટની તીવ્રતા વધુ છે. કિલોમીટરના વિસ્તાર સુધી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. સુરક્ષા માટો જિલ્લા પોલીસ વડાએ મોટો કાફલો કંપની પાસે ગોઠવી દીધો છે. હાલ આ ઘટનામાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની અને ચાર કામદારોના મોતની આશંકા છે. જોકે, ચોક્કસ આંકડો હજી સામે આવ્યો નથી.
- Advertisement -
આ પણ વાંચો : પંચમહાલના સાદરા ગામની ગ્રામ પંચાયત વિસ્તારમાં કેનાલ છલકાતા પાણીનો વેડફાટ
https://khaskhabarrajkot.com/2021/12/15/canal-overflowin…ge-of-panchmahal/