દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 10 સંક્રમિત : દેશમાં ઓમિક્રોનના કુલ 78 કેસ
ખાસ-ખબર સંવાદદાતા
ગુરુવારે દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા કેસ મળી આવ્યા છે. આ સાથે ઓમિક્રોનના કુલ કેસ વધીને 10 થઈ ગયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને કહ્યું કે આ 10માંથી 1 વ્યક્તિ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયો છે. LNJP હોસ્પિટલમાં 9 લોકોની સારવાર ચાલી રહી છે. કોઈપણ કેસ ગંભીર નથી. હવે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 78 થઈ ગયા છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાના કેસ ફરી ભયભીત કરી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય મુજબ ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 9,974 કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 343 લોકોના મોત પણ થયા હતા, જે ગઇકાલના આંક કરતાં 96 વધારે છે. જો કે આ દરમિયાન 7,948 લોકો સાજા પણ થયા હતા.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4006 કેસ નોંધાયા હતા અને 125 લોકોના મોત થયા હતા. કેરળમાં છેલ્લા બે દિવસની અંદર નવા કેસમાં 2000થી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઇકાલે પણ કેરળમાં ઓમિક્રોનના પાંચ કેસ સામે આવ્યા છે.
- Advertisement -
મહારાષ્ટ્રમાં આવતા મહિને ઓમિક્રોનની લહેર ત્રાટકશે?
કોરોનાનો નવો વેરિયન્ટ હવે ડરાવા લાગ્યો છે. દેશમાં હવે ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 78 થઈ ગઈ છે. સૌથી વધારે 32 કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં જાન્યુઆરીમાં ઓમિક્રોનની લહેર આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. મુંબઈમાં આજથી 31 ડિસેમ્બર સુધી 144 કલમ લગાવી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ઘણાં નવા પ્રતિબંધ લગાવાવામાં આવ્યા છે.
બાળકો માટે વૅક્સિન અને બુસ્ટર ડોઝ બાબતે ટૂંક સમયમાં જ નિર્ણય
કેન્દ્ર સરકાર વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિનેશન યોજનાની સમીક્ષા કરશે. સરકારે ડિસેમ્બરના અંત સુધીમાં જ દેશની 65% પુખ્ત વસતિને બંને ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારની સમીક્ષામાં બાળકોને વેક્સિન આપવા અને પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન અંગેની સ્થિતિ ડિસેમ્બરના અંત સુધીમાં સ્પષ્ટ થઈ જશે. હાલમાં અમારી પ્રાથમિકતા પુખ્ત વયના લોકોમાં બીજા ડોઝના કવરેજને વધારવાની છે. એમાં જોખમ ધરાવતા લોકોનો પણ સમાવેશ થશે. સરકારી ડેટા અનુસાર, બુધવાર સુધીમાં દેશભરમાં 135 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 87.5% લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 56% લોકોને બંને ડોઝ અપાઈ ગયા છે.
- Advertisement -
મુંબઈમાં ન્યૂ યરની ઉજવણી પર ગ્રહણ
31મી સુધી કલમ 144 લાગુઆ વર્ષે ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ અને રાજ્યમાં વધતાં કેસોને ધ્યાને રાખી 31 ડિસેમ્બર સુધી ધારા 144 લગાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 42 ટકા ઓમિક્રોન મામલાઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેના લીધે આ વર્ષે મુંબઈમાં ખુલ્લી જગ્યા પર નવા વર્ષની ઉજવણી કરવી મુશ્કેલ બનશે. હકીકતે દેશમાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ મહારાષ્ટ્રમાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથા વધુ મામલાઓ મુંબઈમાં સામે આવ્યાં છે. જેના કારણે પ્રશાસને 31 ડિસેમ્બર સુધી એટલે કે 16 દિવસ સુધી ધારા કલમ 144 લાગુ કરી દીધી છે. આવી સ્થિતિમાં ન્યુ યરની ઉજવણી ઉપર ગ્રહણ લાગી ગયુ છે.
આ પણ વાંચો – ઓમિક્રોન : માત્ર 20 જ મિનિટમાં મળી જશે ટેસ્ટનું રિઝલ્ટ
https://khaskhabarrajkot.com/2021/12/13/omicron-test-res…-just-20-minutes/