રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સગીર દીકરી ઘરે હોય પાડોશી સગીરે ઘરમાં ઘુસી એકલતાનો લાભ લઇ દીકરીને મારી નાખવાની ધમકી આપી કપડાં ફાડી નિવસ્ત્ર કરી અવાજ કરીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે પોલીસે સગીર સામે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ભોગબનનાર સગીરાની માતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમમાં પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. દીકરો શાકભાજીની લારી ચલાવે છે. ગત 5 જુલાઈ 2026ના રોજ સાંજના 7થી 7:30 વાગ્યા દરમિયાન બન્ને સગીર વયની દીકરી ઘરે એકલી હતી અને આ સમયે નાની દીકરી પડોશમાં રમવા માટે ગઈ હતી અને મોટી દીકરી ઘરે એકલી હતી. મોટી દીકરી ઘરે એકલી હોવાની જાણ થતા નજીકમાં જ રહેતો 17 વર્ષીય સગીર ઘરે પહોંચ્યો હતો અને ભોગ બનનાર બાળકીને અવાજ કરીશ તો મારી નાખીશ કહી તેના કપડાં ફાડી નાખી નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ પછી થોડીવારમાં નાની દીકરી જે ઘરે રમવા ગઈ હતી ત્યાં પાડોશીએ મેગી બનાવી હોવાથી તેને મોટી બેનને પણ મેગી ખાવા માટે બોલાવવા જવાનું કહેતા નાની બહેન ઘરે પહોંચતા તેને આરોપીને નિર્વસ્ત્ર હાલતમાં જોઈ જતા ગભરાઈને પરત આવી પાડોશી મહિલાને જાણ કરતા તુરંત પાડોશી મહિલા સગીરાના ઘરે પહોંચી હતી પરંતુ આ સમયે આરોપી સગીર કપડાં પહેરી ઘરમાંથી બહાર નીકળી ગયો હતો અને થોડી વારમાં ભોગ બનનાર સગીરાનો ભાઈ પણ ઘરે સાંજના સમયે ધૂપ દિવા કરવા માટે આવતા બેનને રડતી જોઈ માતાને જાણ કરી હતી.માતાએ ઘરે આવી દીકરીને પૂછતાં ડરી ગયેલી હાલતમાં રડતા રડતા ભોગબનનાર દીકરીએ માતાને આપવીતી જણાવતા માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવો આઘાત લાગ્યો હતો અને તુરંત તેમના પતિને પણ બનાવ અંગે જાણ કરી તાલુકા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. સમગ્ર મામલે ભોગબનનારની માતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સગીરને સકંજામાં લઇ તેની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં આરોપી સગીર પણ પડોશમાં જ રહેતો હોવાનું અને પોતે પણ શાકભાજીની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
રાજકોટમાં સાસરિયાના ત્રાસનો ભોગ બંને બે પરિણીતા પહોંચી પોલીસ સ્ટેશને
રાજકોટમાં વધુ બે મહિલાઓ સાસરિયાના ત્રાસનો શિકાર બની છે ઘરેલુ હિંસાના બે ચોંકાવનારા કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં એક કિસ્સામાં પતિએ બીજા લગ્નની હકીકત છુપાવી દારૂના નશામાં ગર્ભવતી પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે જ્યારે બીજા કિસ્સામાં માત્ર ઘરખર્ચ અને કરિયાણાના પૈસા જેવી બાબતે પતિએ પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે બંને ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી ભૂમિબેન હર્ષદભાઈ અમરેલિયા ઉં.34એ પતિ હર્ષદ લવજીભાઈ અમરેલિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ હર્ષદે પોતાના આ બીજા લગ્ન હોવાની અને પ્રથમ પત્નીનું અવસાન થયું હોવાની ખોટી હકીકત જણાવી ભૂમિબેન સાથે ૨૧ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હર્ષદ દારૂના નશામાં અવારનવાર શંકા રાખી મારઝૂડ કરતો હતો. ભૂમિબેન જ્યારે ગર્ભવતી હતા ત્યારે બાળક ન રાખવા દબાણ કરાતું હતું. એટલું જ નહીં, ગર્ભાવસ્થાના આઠમા મહિનામાં નશાની હાલતમાં હર્ષદે ધક્કો મારતા ભૂમિબેન નીચે પટકાઈ ગયા હતા દીકરીના જન્મ બાદ પણ ત્રાસ ચાલુ રહેતા ભૂમિબેનને આઘાતમાં ‘બ્રેઈન સ્ટ્રોક’ આવ્યો હતો અને આઈસીયુમાં સારવાર લેવી પડી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પતિ તેમને માવતરે મૂકી ગયો હતો અને હવે પરત રાખવાનો ઇનકાર કરી છૂટાછેડા માટે દબાણ કરી રહ્યો છે. ગત 4 જુલાઈની રાત્રે આરોપી હર્ષદ સસરાના ઘરે પહોંચ્યો હતો અને ગાળાગાળી કરી દીકરીને પરાણે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારે તુરંત ‘૧૧૨’ નંબર પર પોલીસને ફોન કરતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જયારે ગાંધીગ્રામ વિસ્તારના વેદ એપાર્ટમેન્ટમાં રહેતા તૃપ્તીબા મહાવીરસિંહ જાડેજાએ તેમના પતિ મહાવીરસિંહ ભૂપતસિંહ જાડેજા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તૃપ્તીબાના લગ્ન આશરે 14 વર્ષ પહેલાં થયા હતા. અગાઉ પણ સાસરિયાંના ત્રાસના કારણે તેમણે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે. ઘરનું કરિયાણું, શાકભાજી લાવવા અને રોજિંદા ઘરખર્ચ માટે પૈસા આપવાની બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. ગત 3 જુલાઈના રોજ આ જ મુદ્દે ફરી બોલાચાલી થઈ હતી ઉશ્કેરાયેલા પતિ મહાવીરસિંહે પત્નીને બિભત્સ અપશબ્દો કહી, “તે મારી જિંદગી બગાડી નાખી છે” તેમ કહીને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપીને પિયર ભેગી થઈ જવા ફરમાન કર્યું હતું. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પતિ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બુટલેગર ટોળકી સામે નોંધાયેલા ગુજસીટોકમાં વધુ એક ઝડપાયો : ધરપકડનો આંક 11 પર પહોંચ્યો : હજુ 3 આરોપીની શોધખોળ
- Advertisement -
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી ગેંગના 20 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 10 આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં 6 આરોપીઓ જેલમાં બંધ હોવાથી તેમનો કબ્જો મેળવી ફરાર 4 પૈકી એક આરોપી જૂનાગઢના કરણ ઉર્ફે કાલિયો સામતની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ટોળકીના મુખ્ય સંચાલકો ફિરોઝ ઉર્ફે ફીરીયો હાસમ મેણુ અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા છે. આ ગેંગ વર્ષ 2017થી 2026 દરમિયાન સક્રિય રહીને રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્ય, વલસાડ, વડોદરા ગ્રામ્ય, ખેડા અને સુરેન્દ્રનગર જેવા અનેક જિલ્લાઓમાં દારૂ સહિતના ગુનાહિત નેટવર્ક ચલાવતી હતી આ સાથે ધરપકડનો આંક 11 પર પહોંચ્યો છે હજુ 6 આરોપીઓનો જેલમાંથી કબ્જો લેવામાં આવશે જયારે આ ગુનામાં વોન્ટેડ 3 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
નવાગામ આણંદપરમાં બ્રહ્માણી માતાજીના મંદિરે દર્શન કરવા આવેલો શખ્સ 1.95 લાખની મતા ચોરી ગયો
રાજકોટના નવાગામ આણંદપરના ખોડિયાર પાર્કમાં રહેતા અને ખેતી કરતા જસમતભાઈ દયાળજીભાઈ પરસાણા ઉ.47એ 1.95 લાખની ચોરી અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણવ્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી રોડ ખાતે પરસાણા પરિવારના સુરાપુરા દાદાનું મંદિરની બાજુમાં અમારા પરીવારના કુળદેવી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલ છે જે મંદિરની સાળ સંભાળ અમારા કુટુંબી ટપુભાઈ પરસાણા કરે છે ગત તારીખ 5ના રોજ હું ગોંડલ ખાતે હતો ત્યારે ટપુભાઇનો ફોન આવેલ અને જણાવેલ કે હું બપોરે જમતો હતો ત્યારે એક ભાઇ આવેલ જેઓ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે મારી પાસેથી આપણા મંદિરની ચાવી લઇ ગયેલ હતા અને ઘણો સમય થવા છતા તે ચાવી પરત આપવા આવેલ નહી જેથી મે મં દિર પાસે જઇને જોતા મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને મંદિરની અંદર જઇને જોતા ચાંદીનું એક મોટુ છત્તર તથા એક ફળુ ખેતલાઆપા વાળુ જોવા મળેલ નહી જેથી તમે જલ્દી આવો જેથી હું તરત જ ગોંડલથી રાજકોટ આવ્યો હતો અને મંદિરમાં જોયુ તો મંદિરમાથી એક ચાંદીનુ મોટુ છત્તર તથા ખેતલાઆપાનું ફળુ જે બન્ને વસ્તુનું વજન આશરે એક કિલોગ્રામ જેની કિંમત 1.95 લાખ ગણાય જેને મંદિરમાં દર્શન કરવા આવેલ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આંબેડકરનગરમાં જુગાર રમતી 3 મહિલા સહીત 5 ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે એમ કૈલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ કે બી શેખલીયા, જયદીપસિંહ ભટ્ટી અને અલ્કાબેન ટીલાવત સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ શેખલીયાને મળેલી બાતમી આધારે આંબેડકરનગરમાં લક્ષ્મીબેનના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા લક્ષ્મીબેન વાલજીભાઇ ગોહિલ, પ્રભાબેન વસંતભાઈ રાખોલીયા, સંગીતાબેન વિનેશભાઈ બથવાર, હસુભાઈ ચનાભાઈ પરમાર અને મયુરસિંહ કનકસિંહ સેલારાની ધરપકડ કરી રોકડા 26,800 કબ્જે કર્યા છે.
ગોંડલના કારખાનેદારને ઝેરી દવા પીવા મજબુર કરનાર રાજકોટના વ્યાજખોર સામે ફરિયાદ
ગોંડલના કારખાનેદારે રાજકોટના કણકોટ ગામે રહેતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે કારખાનામાં નુકસાની જતા યુવાને કણકોટના શખ્સ પાસેથી 7 લાખ 30% વ્યાજે લીધા હતા જેની સામે યુવાને પત્નીના દાગીના ગીરવે મૂકી 3 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 12 લાખની ઉઘરાણી કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા ગોંડલ બી ડિવિઝન પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોનદી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ કાલાવડ પંથકના વતની અને હાલ ગોંડલના ગુંદાળા ચોકડી નજીક ઉર્જા સોસાયટીમાં રહેતા અને ત્રણ વર્ષ પહેલા ગુંદાળા ગામ પાસે આવેલ રાધે ઇન્સ્ટ્રીઝ એરીયામા બાયોકોલનું કારખાનુ ભાગીદારીમા શરૂ કરનાર કારખાનેદાર બિપીનભાઇ જયંતીભાઈ ઉર્ફે દિનેશભાઈ ઠુમ્મરએ રાજકોટના કણકોટ ગામે રહેતા વ્યાજખોર વિશાલ ઉર્ફે વિર કિશોર સોંદરવા સામે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ધંધામાં નુકશાની જતા છ માસ પૂર્વે કારખાનું બંધ કરી દીધૂ હતું કારખાનુ બંધ થયા બાદ ભાગીદારોને નુકશાનીના રૂપીયા ચુકવવા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા વિશાલ જેને અગાઉ શાપર પાનની દુકાન હોય તે પરિચયમા આવ્યો હતો તેની પાસેથી પહેલા 1 લાખ 30 ટકા વ્યાજે ઓગષ્ટ 2025મા લીધા હતા વિશાલે વ્યાજ પેટે 30 હજાર કાપી 70 હજાર મોટાબાપાના દિકરા દક્ષેશ ઠુંમરના નંબર પર ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા બાદ અલગ અલગ સમયે વિશાલ પાસેથી કુલ 7 લાખ વ્યાજે લીધા હતા વ્યાજખોર વ્યાજના રૂપીયા માટે અવાર નવાર ફોન કરી તથા ઘર પાસે આવી, રૂબરૂ મળી ગાળો આપી મોતનો ભય બતાવી બળજબરીથી વ્યાજની ઉઘરાણી કરતો હતો જેથી પત્નીના સોનાના દાગીના ગીરવે મુકી 3 લાખ 3 મહિના પહેલા આંગડીયા મારફતે વિશાલને મોકલ્યા હતા. બાદ વિશાલને 4 લાખ દેવાના બાકી રહેતા હતા પરંતુ વિશાલે બે કોરા ચેક લીધેલ અને વ્યાજ સહિત તેને 12 લાખ આપવાના રહેશે તેવું લખાણ કરાવી લીધું હતું. વિશાલ વારંવાર પૈસાની ઉઘરાણી કરતો હોય પણ પૈસાની સગવડતા ન હોય જેથી ગઈ તા.29ના બપોરે ઘરેથી નીકળી ગુંદાળા ચોકડી ખાતે આવેલ એગ્રોની દુકાનમાંથી ઝેરી દવા ખરીદી જામવાડી ગામ આગળ નેશનલ હાઇવે ઉપરથી વોરા કોટડા રોડ ઉપર કારમા ધમકીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી બાદ પત્નીને ફોનથી દવા પી લીધાની જાણ કરી હતી. જેથી તુરંત જ પરીજનો દોડી આવ્યા હતા અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જે બાદ યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં અરજી કરી હતી તેમ છતાં વ્યાજખોર પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો અંતે ગોંડલ બી.ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર વિશાલ સોંદરવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કારમાં બનાવેલા ચોરખાનામાં સંતાડેલા 3.71 લાખના દારૂ સાથે એક ઝડપાયો
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે કુવાડવા જીઆઇડીસી પાસે વોચ ગોઠવી કાર અટકાવી જડતી લેતા કારમાં સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી 3,70,800 રૂપિયાની કિંમતની દારૂની 120 બોટલ મળી આવતા પોલીસે નાગેશ્વર વિસ્તારમાં રહેતા શખ્સની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહીત 13,80,800 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે પકડાયેલા શખ્સ સામે અગાઉ દાહોદમાં દારૂનો એક કેસ નોંધાઈ ચુક્યો છે. રાજકોટમાં દારૂનું દુષણ ડામી દેવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી બસિયાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના નવનિયુક્ત પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના રાજેશભાઈ ચાવડા અને અનિલભાઈ સોનારાને બાતમી મળી હતી કે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપરથી એક કાર રાજકોટ તરફ આવી રહી છે અને તેમાં મોંઘીદાટ વિદેશી દારૂનો જથ્થો છે આ બાતમી આધારે સ્ટાફે કુવાડવા જીઆઇડીસી પાસે વોચ ગોઠવી બાતમીવાળી કાર અટકાવી કોર્ડન કરી જડતી લેતા સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી 3,70,800 રૂપિયાની દારૂની 120 બોટલ મળી આવતા કારચાલકને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પોતે નાગેશ્વર વિસ્તારના શંખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હિતેશ સવદાસ મોઢવાડીયા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહીત 13.81 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે હિતેશ સામે અગાઉ આ જ વર્ષમાં દાહોદમાં દારૂનો એક ગુનો નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.




