વડાપ્રધાન મોદીને મળ્યું ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સ્ન્માન : તેમણે કહ્યું આ કરોડો ભારતીયોનું સન્માન
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ ડીલ પર મહોર લાગી ગઈ છે. ભારત ઈન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલના વધારાના યુનિટ પૂરા પાડશે. ફિલિપાઈન્સ પછી ઈન્ડોનેશિયા તેને ખરીદનાર બીજો દેશ બન્યો છે. મંગળવારે જકાર્તામાં પીએમ મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને મળ્યા હતા. બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન અનેક મુખ્ય કરારો થયા હતા. ઈન્ડોનેશિયાએ ભારતીય ‘અસ્ત્ર’ એર-ટુ-એર મિસાઇલ ખરીદવાનો પણ નિર્ણય લીધો છે, જેનો ઉપયોગ ઓપરેશન સિંદૂર’માં કરવામાં આવ્યો હતો. દ્વિપક્ષીય બેઠક બાદ સંબોધન કરતા મોદીએ કહ્યું- આજે સવારે મને અત્યંત સ્નેહ અને આદર સાથે ઈન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યો. આ સન્માન કરોડો ભારતીયોનું છે. તે ઈન્ડોનેશિયાની જનતાની ભાવનાઓ અને આપણા બંને દેશો વચ્ચેના ગાઢ, ઐતિહાસિક સંબંધોને પ્રતિબિંબિત કરે છે. હું રાષ્ટ્રપતિ પ્રભોવો, ઈન્ડોનેશિયાની સરકાર અને અહીંના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ઉપરાંત, ભારત ઈન્ડોનેશિયાને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવામાં મદદ કરશે. આને ભારતની ચૂંટણી વ્યવસ્થામાં વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે. મંગળવારે સવારે જકાર્તામાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમને ભેટી પડ્યા હતા. ત્યારબાદ પીએમ જકાર્તાના રાષ્ટ્રપતિ ભવન ગયા, ત્યાં ગેસ્ટ બુકમાં સહી કર્યા પછી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. ત્યારબાદ પીએમ દિવસ દરમિયાન ઈન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન પણ જશે. ૯મી સદીમાં બનેલું આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે અને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ છે. ઇન્ડોનેશિયા દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેની સાંસ્કૃતિક વિરાસત પર હિન્દુ-બૌદ્ધ સભ્યતાની ગાઢ છાપ જોવા મળે છે. અહીં રામલીલા થાય છે, ગસ્ડ એરલાઈન છે અને નોટ પર ભગવાન ગણેશની તસવીર પણ છપાઈ ચૂકી છે.




