હનુમાનમઢી પાસે રહેતા દંપતી વિરૂધ્ધ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
બચતના, દાગીના ગીરવે મુકી, બેન્કમાંથી લોને લઈ પૈસા આપતા હતા
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ | રાજકોટ
રાજકોટના યુનિવર્સિટી રોડ પરની શારદાનગર સોસાયટીમાં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતાં કરણરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાને અવધના ઢાળિયા અને હિરાસરમાં આવેલી અંદાજે ૬૦૦ કરોડની જમીનના સોદામાં કમિશનની લાલચ આપી તેના પરિચિત નિરંજની સોસાયટીમાં રહેતા આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દિપાબેનએ અઢી કરોડ ખંખેરી લીધાની યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૩માં તેના પત્ની કૃપાબા આત્મિય સ્કુલમાં નોકરી કરતા ત્યારે ત્યાં જ નોકરી કરતા દિપાબેન સાથે મિત્રતા થઈ હતી. એટલું જ નહીં બંને પરિવાર વચ્ચે એકબીજાના ઘરે આવવા-જવાના સંબંધ પણ બંધાયા હતા 2024માં આશિષ અને તેની પત્નીએ ઘરે આવી 20 હજાર ઉછીના માગ્યા હતા. જે બે-ત્રણ દિવસમાં પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો ત્યાર પછી 65 હજાર કટકે-કટકે લીધા હતા. જેના બદલામાં આપેલો ચેક બાઉન્સ થયો હતો. આ પછી બંને તેના ઘરે આવ્યા હતા અને આશિષે કહ્યું કે તે એકઝિબિશન અને જમીન મકાનની દલાલીનું કામ કરે છે. તેના મિત્ર મુકેશ રાદડિયા પાસે કાલાવડ રોડ પરના અવધના જમીનનું પાસેની અંદાજે 110 કરોડનું કામ આવ્યું છે. આ જમીન કિશોર કોટેચાના નામની છે. જમીન વાંધાવાળી છે હાલમાં તેને કિશોર કોટેચાનો નંબર ,મળતો નથી મુંબઈ રહેતી દફતરી નામની પાર્ટીને જમીન લેવી છે વધુમાં જણાવ્યું છે કે તેણે ગુગલમાં સર્ચ કરી કિશોર કોટેચાની ઓફિસ નંબર શોધી આશિષને આપ્યો હતો. આ પછી તેને તે અવધના ઢાળિયા પાસેની જમીન બતાવવા લઈ ગયો હતો. બાદમાં આશિષ અને તેની પત્ની ફરીથી તેના ઘરે આવ્યા હતા. બંનેએ કહ્યું કે આપણે આ નોકરી કરીને પૈસાવાળા નહીં થઈએ, જમીનનો સોદો કરવામાં કાંઈ ખોટું નથી. આ પછી જમીનની દલાલીમાં દલાલ મુકેશભાઈને આપવાની થતી પ૦ ટકા રકમ તેને આપવાની લાલચ આપી હતી.
- Advertisement -
વધુમાં આશિષે તેને હિરાસર પાસે આવેલી રૂા.૫૦૦ કરોડથી વધુની જમીનની દલાલીમાં પણ ભાગ આપવાની અને ત્યાં ભાગીદારીમાં હોટલ બનાવવાની લાલચ આપ્યાનું જણાવ્યું હતું. સાથો-સાથ બંને મળી રોકાણ કરશે તેમ પણ કહ્યું હતું. જે પૈસા આવે તેમાં બંને દંપતીની ૫૦-૫૦ ટકા ભાગીદારી રહેશે તેમ કહેતાં કટકે-કટકે રૂા.૨.૪૯ કરોડ આપ્યા હતા. પરંતુ આજ સુધી તેની રકમ કે દલાલીની રકમ નહીં આપતાં અને જૂદા-જૂદા બહાના બતાવતાં હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી તેણે આશિષને પોતાની બચતના પૈસા આપી દીધા હતા. ક્રેડિટ કાર્ડમાંથી પણ પૈસા ઉપાડી આપ્યા હતા. સોનાના ઘરેણા ગીરવી મુકી, પોતાના અને પરિવારના સભ્યોના નામે લોન લઈ તેને પૈસા આપતા રહ્યા હતા. તેણે આશિષના કહ્યા મુજબ મુંબઈના ડેરલ યાર્ડલી, હસબીન અંસારી અને જયપ્રકાશ તિવારી ઉપરાંત રામચંદ્રાણી દિપક, બલદેવ અભિષેક નરેન્દ્રભાઈ વગેરેના ખાતામાં અને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જયારે હાર્દિક ઝાલાવડીયા ક્રેડિટ કાર્ડમાંથી સ્વાઈપ કરવાનું કામ કરતો હોવાનું પણ જણાવાયું છે. એક વખત આશિષ પાસે પોતાના પૈસાની ઉઘરાણી કરતાં બેન્કમાં ચેક જમા કરાવ્યા બાદ અપાતી 1.40 કરોડની ખોટી સ્લિપ મોકલી હતી. જેમાં બેન્કના સિક્કા પણ મારેલા હતા અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




