તમામ મુસાફરો જીવના જોખમે બસનો કાચ તોડી બહાર નીકળ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઈવે પર ફરી એકવાર કાળમુખી આગનો બનાવ જોવા મળ્યો છે. સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી એસી સ્લીપર કોચ બસમાં અચાનક ભાષણ આગ ફાટી નીકળતાં હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. જોકે, બસના ચાલકની સમયસૂચકતા અને સ્થાનિક લોકોની તત્પરતાને કારણે બસમાં સવાર તમામ 28 મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને એક બહુ મોટી જાનહાનિ ટળી છે.
સોમવારે બપોરે 4:30 વાગ્યાના અરસામાં સુદામા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ સાંગાણી હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના એન્જિનને ભાગમાંથી જોરદાર ધુમાડા નીકળતા દેખાયા હતા. બસ ચાલક રાજુભાઈ ઓડેદરાને તુરંત જોખમનો અહેસાસ થતાં તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બસને નજીકની એક હોટેલ પાસે સાઈડમાં ઊભી રાખી દીધી હતી.
કાચ તોડી મુસાફરોને બહાર કઢાયા પણ જોતજોતામાં બસ ભીષણ આગને લીધે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ અંદર રહેલા મુસાફરોમાં ચીસાચીસ અને ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ચાલક રાજુભાઈ, ક્લિનર તેમજ આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવીને બસના કાચ તોડી નાખ્યા હતા અને અંદર ફસાયેલા તમામ 28 મુસાફરોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. મુસાફરો નીચે ઉતર્યાના ગણતરીના સમયમાં જ આગની જવાળાઓએ આખી બસને લપેટમાં લઈ લીધી હતી હાઇવે પર બસ ભડભડ સળગતી હોવાના ભયાનક દ્રશ્યો સર્જાયા મુસાફ સુરહ્યા છે, પરંતુ તેમની તમામ સુરસામાન બળીને ખાક થયો હતો.



