થોડા સમય અગાઉ ડેમની મરામત કરી પણ રેલિંગનું કામ ન થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
વંથલીના શાપુર ઓઝત વિયર ડેમ પર આવેલ શાપુર અને નાના કાજલીયારા ગામને જોડતા પુલ પર ઘણા સમયથી રેલીંગ તૂટેલ હાલતમાં છે આ પુલ સાંકડો હોવાના લીધે આકસ્મિક બનાવ બનવાની શક્યતા છે આ રેલીંગ તૂટી જતા કોઈ અકસ્માત ન બને તે માટે નાના કાજલીયારા ગામના માજી સરપંચ દ્વારા ગયા વર્ષે લોખંડના તાર લગાવવામાં આવ્યા છે.
- Advertisement -
થોડા સમય પહેલા આ ડેમના મરામતની કામગીરી કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓને આ તૂટેલ રેલીંગ નહી દેખાઈ હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે. થોડા દિવસોમાં હવે ચોમાસુ બેસી જશે અને ભારે વરસાદને કારણે ઓઝત નદીમાં અવારનવાર ભારે જળપ્રવાહની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે કોઈ ગંભીર દુર્ઘટના બને તે પહેલાં આ પુલના રેલિંગની કામગીરી પૂરી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ અંગે સિંચાઈ વિભાગના એચ. કે. ઉકાણીએ જણાવ્યું હતું કે આ તૂટેલ રેલીંગના સમારકામ કરવા માટે કર્મચારી સાથે વાત કરી છે અને ટૂંક સમયમાં ચોમાસા પહેલા આ કામગીરી પૂરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.