પોરબંદર જિલ્લાના કિસાન સન્માન યોજનાના લાભાર્થી 44056 ખેડૂતોને રૂ.10.17 કરોડની સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમાં કરાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બિહારના ભાગલપુર ખાતેના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમ વરર્યુઅલ માધ્યમથી લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતો આધુનિક સાધનોના ઉપયોગથી ખેતી કરતો થયો છે. સરકારની ખેડૂતલક્ષી નીતિને કારણે ખેડૂતો સોઈલ હેલ્થ કાર્ડ, ખેડૂત લક્ષી યોજનાઓ અને ખેડૂતોને ખેતી માટેની જાણકારી મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતી સુધારો થયો છે. વધુમાં તેમણે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે જણાવ્યું હતું. કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સતત ચિંતા કરીને વિવિધ યોજનાઓ અને ઉત્પાદનના યોગ્ય ભાવે મળી રહે તે માટે ટેકાના ભાવે ખેત ઉત્પાદનો ખરીદી સહિતની ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવીને ખેડૂતની આવકમાં વધારો થયો છે. બિહારના ભાગલપુર ખાતેથી પી.એમ. કિસાન સન્માન નીધિ (ઙખ-ઊંઈંજઅગ) યોજના અંતર્ગત 19મા હપ્તા સ્વરૂૂપે ડીબીટી મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વરર્યુઅલ માધ્યમથી 9.7 કરોડથી વધુ ખેડૂતોને કુટુંબોને 22 હજાર કરોડથી વધુની સહાયની ચુકવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના કિસાન સન્માન યોજનાના લાભાર્થી 44056 ખેડૂતોને રુ.10.17 કરોડની સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવી હતી. અને પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. મહાનુભાવોના હસ્તે જિલ્લાના 16 ખેડૂતોને વિવિધ યોજનાઓ માટે કુલ રૂ .776076ની સહાયના હુકમો આપવામાં આવ્યાં હતાં.
આ કિસાન સન્માન સમારોહમાં રામભાઇ મોકરિયા, જિલ્લા કલેકટર એસ ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અવળાભાઈ ઓડેદરા, તાલુકા ન્યાય સમિતિ ચેરમેન હંસાબેન માવદીયા, તાલુકા કારોબારી સમિતિ અધ્યક્ષ વિરમભાઈ ચુડાવદરા સહિતનાં ખેડૂતો, અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.