ગુજરાત સયુંકત કિસાન મોરચો અને ઘેડ વિકાસ સમિતિએ ખેડૂતોના પ્રશ્ર્ને રોષ પ્રગટ કર્યો
કેશોદના બામણાસામાં કોંગ્રેસ, આપ સાથે ખેડૂત આગેવાનો ઉમટી પડ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લા સાથે સમગ્ર સોરઠ પંથકમાં ઘણા સમયથી ખેડૂતોની સમસ્યા વધી છે જેમાં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદના લીધે ઘેડ પંથકના વિસ્તારો જળબંબાકાર થતા તારજી સર્જાય હતી જેમાં ખેતી પાકને નુકશાન સાથે જમીનો ધોવાણ થયું હતું અને ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સેટિવ ઝોનમાં 196 ગામની યાદી સાથે જાહેર થતા ખેડૂતોમાં રોષ પ્રગટ્યો છે અને તમામ પક્ષના નેતાઓએ ઇકોઝોનનો વિરોધ કરી રહ્યા છે જયારે બીજી તરફ સોરઠ પંથકમાં ચોમાસાની વિદાઈ સમયે એક થી પાંચ ઇંચ વરસાદ પડતા તૈયાર થયેલ ખેતી પાકને ભારે નુકશાન થતા વિપક્ષ મેદાનમાં ઉતર્યું છે અને સરકાર સામે ખેડૂત સંમેલન સાથે વિરોધ પ્રદર્શિત કરીને ખેડૂતોને ન્યાય આપોની બુલંદ માંગ ઉઠવા પામી છે આમ ત્રણ મુદ્દાની સમસ્યા સાથે સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે જોકે સરકારે પણ પાક નુકશાની બાબતે પેકેજ જાહેર કર્યું છે તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ પણ 4 કરોડની બજેટમાં જોગવાઈ કરીને ઘેડ પંથકની સમસ્યા ઉકેલ આવે તેવા પ્રયાસો હાથધર્યા છે ત્યારે હજુ ઇકોઝોન સમસ્યા હજુ ઉભી છે તેનો કોઈ નિવેડો આવ્યો નથી.
આજ રોજ જૂનાગઢ જિલ્લાના બામણાસા ગામના વેરાવરી ધામ ખાતે ગુજરાત સયુંકત કિસાન મોરચો અને ઘેડ વિકાસ સમિતિ દ્વારા ખેડૂત મહાપંચાયત યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના કિશાન આગેવાનો ખેડૂતો હાજર રહીને સરકાર સામે આકાર પ્રહારો કર્યા હતા અને તમામ નેતાઓ ખેડૂતોના પ્રશ્ને રોષ પ્રગટ કર્યો હતો જયારે ગુજરાત કિશન સેલના પાલ આંબલીયાએ કહ્યું હતું કે, ખેડૂત મહાપંચાયતના આયોજનથી સરકાર ફફડી ઉઠતા કૃષિ પેકેજ જાહેર કર્યું આ ખેડૂત પંચાયતના મહા સંમેલનમાં ઘેડના ખેડૂતોની મુશ્કેલી, ઈકો ઝોન, લીલો દુષ્કાળ, ભુલ ભરેલી જમીન માપણી સહિતના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને સરકાર સામે આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ ખેડૂત પુત્ર બજરંગ પુનિયા, કિસાન મોરચાના ક્ધવીનર યોગેન્દ્ર યાદવ,ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવિણ રામ, હીરાભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, લલિત વસોયા સહીતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જયારે ખેડૂત મહાપંચાયતના સંમેલનમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ર્નો જેવા કે ઘેડના પ્રાણપ્રશ્ર્નો, નદીઓમાં ડાઇંગ ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતો કેમિકલ કચરો, ઇકો સેન્સેટિવ જોન, અતિવૃષ્ટિ, લીલો દુષ્કાળ, ચાલુ વર્ષનું ખેડૂતોનું દેવું માફ, ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી વગેરે મુદ્દાઓને લઈને આગેવાનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે પ્રહારો કર્યા હતા અને જ્યાં સુધી તમામ પ્રશ્ર્નોનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ખેડૂતો શાંતીથી નહી બેસે તેમ તમામ આગેવાનો સુર વ્યક્ત કર્યો હતો અને ખડૂતોના પ્રાણ પ્રશ્ર્ને સરકાર દ્વારા વેહલી તકે તમામ સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચુકવવાની માંગણી કરવામાં આવી હતી.
સરકાર ખેડૂતો માટે ચિંતિત: ખેતી પાક પેકેજ અને ઘેડ સમસ્યા માટે બજેટમાં જોગવાઈ કરી
- Advertisement -
સોરઠ પંથકમાં ખેડૂતોને થયેલ નુકશાની અને સમસ્યા મુદ્દે સરકરે ચિંતા વ્યક્ત કરી છે જેમાં ચોમાસાની વિદાઈ સમયે પડેલા ભારે વરસાદના લીધે જે ખેતી પાકને નુકશાન થયું છે તેના માટે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમજ વર્ષોથી ચોમાસાની સીઝનમાં ભારે વરસાદના લીધે ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ઘુસી જવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવે તેના માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રૂ.4 કરોડની બજેટમાં જોગવાઈ કરીને ઘેડના પ્રશ્ર્નોનો ઉકેલ આવે તેવા પ્રયાસો શરુ કર્યા છે.હવે જોવાનું રહ્યું કે, ખેડૂતોને કેટલી સહાય મળે છે અને ઘેડ સમસ્યા ક્યારે ઉકેલાશે તેના ઉપર ધરતી પુત્રો રાહ જોઈને બેઠો છે.