લાંબા સમયથી જેલવાસ ભોગવતા ચાર પાકા કામના કેદીઓ થયા મુક્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ-475ની જોગવાઈઓને આધિન રહીને નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ 473 હેઠળ રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ, રાજકોટ મધ્યસ્થ જેલના આજીવન કેદના પાકા કામના ચાર કેદીઑને સજા માફીનો લાભ મળવા પામ્યો છે
- Advertisement -
રાજકોટ જિલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે લાંબા સમયથી સજા ભોગવતા હોય તેમજ જેલમાં સારી વર્તણૂક હોય તેવા ચાર કેદીઓ ધીરૂભાઇ નનકાભાઇ ધાખડા, સઇદ આદમભાઇ વરામ, જયેન્દ્રસિંહ નારૂભા ઝાલા અને હિતેષ મનુભાઇ જાદવને સજાનો બાકીનો ભાગ શરતોને આધિન માફ કરીને તાત્કાલીક અસરથી જેલ મુક્ત કરવા રાજ્ય સરકારશ્રી દ્વારા હુકમ કરવામા આવેલ હતો જે અન્વયે ઉપરોક્ત બંદીવાન ચારેય કેદીઓને આજે બપોરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા તમામ કેદીઓ બહાર નીકળી સમાજમાં સારું કાર્ય કરી સમાજને ઉપયોગી થઈ પરિવાર સાથે બાકીન જિંદગી સુખી સંપન્ન રીતે વિતાવે તેવી અપીલ જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.