અ ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓએ બાપ્પાના દર્શનનો લ્હાવો લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
શહેરના ત્રિકોણ બાગ કા રાજાનું જાજરમાન આયોજન તા. 7થી 17 સુધી કરવામાં આવ્યું છે ત્યારે દરરોજ ધૂન-ભજન, મહાઆરતી, ગણેશવંદના, લોકડાયરો, મ્યુઝિકલ શો, મહારક્તદાન કેમ્પ સહિતના આયોજનો કરવામાં આવે છે. ત્રિકોણ બાગ કા રાજાના દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
- Advertisement -
દરરોજ અનેક સમાજના મહાનુભાવો, સામાજિક, રાજકીય અગ્રણીઓ પણ હાજર રહી મહાઆરતીનો લ્હાવો લેતાં હોય છે ત્યારે ગઈકાલે ત્રિકોણ બાગ ખાતે હિન્દુ-મુસ્લિમ સમન્વય જોવા મળ્યો હતો. ગઈકાલની મહાઆરતીમાં એ ડીવીઝન પી.આઈ. રવિ બારોટ, પી.આઈ. દેસાઈ સહિતનો પોલીસ સ્ટાફ અને હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહી બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા.