જૂનાગઢ ટીપી સ્કીમ મુદ્દે ગુજરાત ભારતીય કિશાનના આગેવાનોની CM સાથે બેઠક
મુખ્યમંત્રીએ રૂબરૂ બોલાવી આગેવાનોને ટીપી સ્કીમ મુદ્દે ખાતરી આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટી.પી.સ્કીમ બનાવામાં આવી હતી એ ટી.પી.સ્કીમમાં ખેડૂતોની મહામૂલી જમીન 40 % કપાત થવાને લીધે ઝાંઝરડા, જોશીપુરા, ખલીલપુર સુખપુર સહીતના ખેડૂતોની જમીન કપાત થવાને કારણે ખેડૂતોએ ટી.પી.સ્કીમનો વિરોધ કરીને રેલી, ધરણા આવેદન સાથે વિરોધ પ્રદર્શન યોજી સરકાર સુધી પોતાનો અવાજ પોહાચાડવાનો પ્રયત્ન કર્યો હતી અને ટી.પી.સ્કીમ રદ કરવાની માંગ છેલ્લા ઘણા સમય થી કરી રહ્યાં હતા પરંતુ જુડા કચેરી દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ નહિ આવતા ગુજરાત કિશાન સંઘના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકત કરીને યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી
જુનાગઢ મહાનગર પાલિકાનાં જુડા કચેરી દ્વારા ટી.પી.સ્કીમ નં 5/6/7/9 માં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ દ્વારાઆંદોલન કરી ટી.પી.સ્કીમ રદ કરવાની માંગ કરેલ છે હાલ જુડા કચેરી દ્વારા બોર્ડ બેઠક કરી ટી.પી. સ્કીમ 5 ને 7 સીધાંનતિક મંજુરી માટે સરકારમાં મોકલાવે તે ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કરે છે તે વિષયને ધ્યાને આવતા માન્ય મુખ્ય મંત્રી ભુપેન્દ્રપટેલે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશને બોલાવી તેમની ખેડૂતો પ્રત્યેની રજુઆતને ખેડૂતોનાં વાંધા ઓની વિષેશ જાણકારી મેળવીને હકારાત્મક નિર્ણય લેવામાં આવશેને જુડા કચેરી દ્વારા કઈ ખોટી કાર્યવાહી થય હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને મુખ્યમંત્રીની ઓફિસમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ આર્ય મહામંત્રી આર.કે. પટેલ ઉપાધ્યક્ષ શામજીભાઈ મિયાત્રા અને રાષ્ટ્રીય કાર્યકારણી સદસ્ય વિઠ્ઠલભાઈ દુધાત્રાને પ્રદેશ પ્રચાર પ્રમુખ મનસુખભાઇ પટોળીયાની રજૂઆત સાંભળી હકારત્મક નિર્ણય લેવામાં આવશે તેવી ખાત્રી મળી મળી હતી તેમ કિશાન સંઘ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.