કેશાેદ પાલીકા દ્વારા જયારથી 10 ટકા વેરા વધારાેે લાગું કરાયાે ત્યારથી શહેરના ખુણે ખુણે મિલકતધારકાેમાં રાેષ જાેવા મળી રહ્યાે છે જેને લઇને કોંગ્રેસ સમિતી દ્વારા ચારચાેક ખાતે પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છેે.
શહેરીજનાે જયાં સુધી વેરાે પરત ન ખેંચાય ત્યાં સુધી આંદાેલન ચાલું રહે તેવુું પરાેક્ષ રીતે ઇચ્છિ રહ્યાં હાેય તેમ તેમના દ્વારા અત્યાર સુધીમાંં છાવણીને 2100 વાંધા અરજીઓ આપવામાં આવી છે. આગામી દિવસાેમાં કાેંગ્રેસ કાર્યકરાે આંદાેલનનેે વધુ ઉગ્ર બનાવવા જેમ બને તેમ વધુને વધુ વાંધા અરજીઓ એકઠી કરવા મથી રહ્યા હાેય તેમ કાેમર્શીયલ અને રહેણાંક એમ એક-એક કરીને તમામ મિલકતધારકાેને રૂબરૂ મળી તેમની વાંધા અરજીઓ સ્વિકાર કરશે. હાલમાં જયારે પેટ્રાેલ, ડીઝલ, રાંધણગેસના ભાવ આસમાને હાેય આવક બંધ હાેય જેને લઇને માેંઘવારી સમયે પાલીકાએ કરેલા વેરા વધારાને શહેર પ્રમુખ સમીરભાઇ પાચાણીએ ચિંતાનાે વિષય ગણાવ્યાે હતાે. જયારથી આ ઉપવાસી છાવણીની જીલ્લા આગેવાનાેએ મુલાકાત લીધી ત્યારથી કાર્યકરાેનાે જુસ્સાે વધ્યાે હાેય તેમ જાે પાલીકા વેરાે પરત નહીં ખેંચેે તાે આવનારા સમયમાં આંદાેેેલન ઉગ્ર બને તેવા એંધાણ જાેવા મળી રહ્યાં છે.