વર્ષના અંત સુધીમાં આંગણવાડીઓમાં સાધનો મૂકવા તાકીદ
મહિનામાં એક વાર વોર્ડ કમિટીની બેઠક યોજવા 5ણ સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તમામ સિવિક સેન્ટરો સવારે 9 30થી સાંજે 7-00 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અખઈની સાતેય ઝોનલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટરો આવેલા છે અને આ સિવિક સેન્ટરો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ બનાવવા, રોડ રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે અને તા. 31 ડિસેમ્બર સુધીમાં 85 રોડના કામ પૂરા થશે. અખઈ દ્વારા કોન્ટ્રાક્ટથી આપવામાં આવેલા ‘પે એન્ડ પાર્કિંગ’માં વાહનો મૂકવા માટેના ભાડાની વિગતો, કોન્ટ્રાક્ટરનું નામ, મોબાઈલ નંબર, વગેરે માહિતી દર્શાવતા બોર્ડ ફરજિયાતપણે મૂકવાની તાકીદ કરવામાં આવી છે. શહેરના દરેક વોર્ડમાં મહિનામાં એકવાર વોર્ડ કમિટીની બેઠક યોજવા અને ઉઢખઈ દ્વારા તેનું મોનિટરિંગ કરીને તે અંગેનું બ્રીફિંગ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની સૂચના અપાઈ છે. આંગણવાડીઓમાં બાળકોની સગવડતા માટે પાથરણાં સહિત જરૂરી સાધનો મૂકવા સૂચના અપાઈ છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ જણાવ્યું હતું કે, નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા, જન્મ- મરણ, ગુમાસ્તાધારા, વગેરે સર્ટિફિકેટ મેળવવા સહિતની સુવિધાઓ સિવિક સેન્ટરો ખાતેથી આપવામાં આવે છે. ઝોનલ ઓફિસોમાં આવેલ સિવિક સેન્ટરો સાંજે 7 સુધી ખુલ્લા રહે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં આવેલા સિવિક સેન્ટરો સાંજે 4-30 પછી બંધ થઈ જતા હોવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો અને રજુઆતોને ધ્યાનમાં લઈને તમા સિવિક સેન્ટર સાંજે 7-00 વાગ્યા સુધી ખુલ્લા રાખવા અને તે અંગેના બોર્ડ મૂકવાની સૂચના અપાઈ છે.
અમદાવાદના તમામ સિવિક સેન્ટરો સાંજે સાત સુધી ખુલ્લાં રાખવાનો નિર્ણય
