ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં થયેલ 9.30 લાખની લૂંટ પ્રકરણ મામલે દિનેશ ગોવિંદભાઇ કાલરીયાએ પોલીસમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવાનું તરકટ રચ્યુ હતુ. જે મામલે પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરીને ફરીયાદી દિનેશ કાલરીયાએ લૂંટનું નાટક રચ્યાનો પર્દાફાશ થયો હતો. ત્યારે ફરીયાદી આરોપી નિકળતા તેની સામે સનલાઇટ કોટેક્સ સંદીપભાઇને રૂા.5 લાખ આપી વિશ્ર્વાસ અપાવી બાદમાં દિનેશ કાલરીયાએ રૂા.9.30 લાખ નહીં આપતા વિશ્ર્વાસ ઘાત કરતા ઉમેશભાઇ વિઠ્ઠલભાઇ આરદેસણાએ દિનેશ કાલરીયા વિરૂઘ્ધ માણાવદર પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
લૂંટ થયાનું નાટક રચનાર દિનેશ સામે 9.30 લાખની વિશ્ર્વાસઘાતની ફરિયાદ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/12-18.gif)