નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે રાત્રે મેઘાલય નજીક ચેરાપુંજીમાં 3.5ની તીવ્રતા વાળો ભૂકંપ અનુભવાયો હતો. જે બાદ આજે વહેલી સવારે પણ 4.0 તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો હતો.જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી.
- Advertisement -
મેઘાલય નજીક તુરામાં વહેલી સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલય નજીક તુરાથી સોમવારે વહેલી સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્ર મેઘાલયના તુરાથી 43 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. ભારત ભૂકંપ ભારતીય સમય અનુસાર વહેલી સવારે 6.32 વાગ્યે આવ્યો હતો. જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી.
ગત મોડી રાત્રે પણ ચેરાપુંજીમાં પણ 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલય નજીક ચેરાપુંજીમાં રવિવારે રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્ર મેઘાલયના ચેરાપુંજીથી 19 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ (ENE)માં હતું. ભારત ભૂકંપ ભારતીય સમય અનુસાર રાત્રે 8:37 વાગ્યે સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી.
- Advertisement -
An earthquake of magnitude 4.0, occurred at 6:32am, located at 43km East-Northeast of Tura, Meghalaya pic.twitter.com/6XUEJA0pjL
— ANI (@ANI) June 13, 2022
ભૂકંપ આવે તો શું કરવું?
-ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
-વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
-ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
-ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
-ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
-ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
-ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
-દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.