આઠ ઠગોની ટોળકીએ બોગસ કંપનીઓ ઊભી કરી અનેકને છેતર્યા
હજારો લોકોના ડેટા અને બનાવટી દસ્તાવેજો બનાવી કરોડો સેરવી લીધા
- Advertisement -
8000 લોકોનાં પાનકાર્ડ સાથે દસ્તાવેજો જપ્ત કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
નોઈડાની એક કંપનીએ દેશનાં આર્થિક ભાગેડુ વિજય માલ્યા અને નીરવ મોદીને પણ ટક્કર મારે તેવું કરોડોનું કૌભાંડ આચર્યું છે. નોઈડાની આ કંપની દ્વારા રૂ. 15,000 કરોડનું ચોંકાવનારું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનાં અહેવાલોથી સનસનાટી મચી ગઈ છે. ઠગોની ટોળકી દ્વારા 2600 બોગસ કંપનીઓ ઊભી કરીને અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. હજારો લોકોનાં ડેટા અને બનાવટી દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયા સેરવી લીધા છે.
નોઈડા પોલીસે હજારો લોકોનાં પાનકાર્ડ તેમજ બનાવટી દસ્તાવેજો અને ડેટાનો ઉપયોગ કરીને ચીટિંગ કરનાર 8 ઠગોની ટોળકીને પકડી પાડી છે. ઠગોનાં સૂત્રધાર સહિત 8ની ધરપકડ કરી છે. આ ટોળકીએ 2600 જેટલી શેલ કંપનીઓ રચીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડયું છે. વિજય માલ્યાએ રૂ. 9000 કરોડનું જ્યારે નીરવ મોદીએ રૂ. 14,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું જ્યારે આ ઠગ ટોળકીએ તેમને ટક્કર મારીને રૂ. 15,000 કરોડનું કૌભાંડ સર્જ્યું છે.
- Advertisement -
પોલીસ દ્વારા 8ની ધરપકડ નોઈડા પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે જણાવ્યું હતું કે, આરોપીઓએ દિલ્હી તેમજ ગાઝિયાબાદનાં ત્રણ સ્થળે ઓફિસો ખોલીને લોકોને છેતર્યા હતા. બનાવટી દસ્તાવેજો દ્વારા 2600 શેલ કંપનીઓ ખોલી હતી. પોલીસે આ કેસમાં ઠગ ટોળકીનાં મુખ્ય સૂત્રધાર દીપક મુરજાની, વિનીતા, અશ્વની, યાસીન, આકાશ સૈની, રાજીવ, અતુલ તેમજ વિશાલની દિલ્હીથી ધરપકડ કરી છે. ઠગ ટોળકીમાં સામેલ 8 લોકોનાં કામ જુદાજુદા હતા. 12 સીએ દ્વારા કરોડોનું જીએસટી રિફંડ લેવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.