ફાયર સેફ્ટીના તમામ નિયમોનું ચુસ્ત પાલન થતું હોવાનો અને કોઈ જ નુકસાન ન થયાનો મેનેજર જયદીપસિંહ પરમારનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મોટા મોવા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત મનોરંજન કેન્દ્ર “ફન બ્લાસ્ટ” (ઋીક્ષ ઇહફતિ)ં અંગે ગઈકાલથી સોશિયલ મીડિયા અને અન્ય સ્થાનિક માધ્યમોમાં વિકરાળ આગ લાગવાની ઘટનાને લઈને અનેક અફવાઓ વહેતી થઈ હતી. સામાન્ય શોર્ટ સર્કિટની ઘટનાને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સાથે સાંકળી દેવામાં આવી હતી. આ અફવાઓને કારણે ત્યાં ઉપસ્થિત અને અનુપસ્થિત નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સંસ્થાના મેનેજમેન્ટ મેનેજર જયદીપસિંહ પરમાર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી અને સંસ્થા તમામ સુરક્ષા માપદંડો પર ખરી ઉતરે છે. મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સંસ્થાના સંકુલમાં એક સામાન્ય ઇલેક્ટ્રિકલ સ્પાર્કિંગ (શોર્ટ સર્કિટના કારણે ઉડેલો તણખો) જોવા મળ્યો હતો. તણખો થતાની સાથે જ ત્યાં લગાવેલી આધુનિક સેન્સર આધારિત એલાર્મ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. આધુનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને સતર્ક સ્ટાફને કારણે ગણતરીની સેક્ધડોમાં જ પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર જે પ્રકારે મોટી આગના દાવા કરવામાં આવી રહ્યા છે, તેમાં કોઈ તથ્ય નથી. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી.
રાજકોટ ફન બ્લાસ્ટ મેનેજમેન્ટે પુરાવા સાથે કરી સત્તાવાર સ્પષ્ટતા
શોર્ટ સર્કિટના સામાન્ય તણખાને મોટી દુર્ઘટના ગણાવી ફેલાવાયેલી અફવાઓનું ખંડન
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અગાઉ બનેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફન બ્લાસ્ટ મેનેજમેન્ટ સુરક્ષા બાબતે અત્યંત ગંભીર છે. મેનેજર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ અહીં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગત તા. 08-04-2026ના રોજ તંત્રએ ફાયર સેફ્ટી અંગે સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ગઘઈ) તાજેતરમાં જ રીન્યુ કરવામાં આવ્યું છે, જે 13-04-2026થી કાયદેસર રીતે માન્ય છે. આ ઉપરાંત ભીડભાડવાળા મનોરંજન કેન્દ્રોમાં સૌથી મહત્વની બાબત નિકાસની હોય છે ત્યારે સમગ્ર કેમ્પસમાં કુલ 8 ઇમરજન્સી એક્ઝિટ ગેટ્સ મૂકવામાં આવ્યા છે. આ તમામ ગેટ્સ હંમેશા ખુલ્લા રાખવામાં આવે છે, જેથી કટોકટીના સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે. આ તણખાની ઘટના વખતે પણ લોકો ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા.
ફન બ્લાસ્ટ માત્ર સાધનો લગાવીને બેસી રહ્યું નથી, પરંતુ તેનું સંચાલન પણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. ગેમ ઝોન જ્યારે પણ ચાલું હોય ત્યારે ક્વોલિફાઇડ સ્ટાફ સતત સ્થળ પર હાજર રહે છે. દર મહિને ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે, જેથી સ્ટાફ કોઈપણ પરિસ્થિતિ સામે લડવા તૈયાર રહે. કોઈપણ નવા સ્ટાફની નિમણૂક કરતા પહેલા તેને ફરજિયાતપણે ફાયર સેફ્ટીની સઘન તાલીમ આપવામાં આવે છે.
રવિવારે સાંજે બનેલી ઘટના સમયે હાજર ગ્રાહકો પ્રત્યે સંસ્થાએ ઉમદા અભિગમ દાખવ્યો હતો. જે ગ્રાહકોએ ગેમ્સ માટે રિચાર્જ કરાવ્યું હતું પરંતુ આ સામાન્ય ઘટનાને કારણે રમ્યા વિના બહાર આવવું પડ્યું, તેવા તમામ ગ્રાહકોને સંપૂર્ણ રકમ પરત (છયરીક્ષમ) કરી દેવામાં આવી હતી. આ બાબત દર્શાવે છે કે સંસ્થા માટે ગ્રાહકોની સુરક્ષા અને સંતોષ નફા કરતા વધુ મહત્વનો છે.
ફન બ્લાસ્ટના મેનેજર જયદીપસિંહ પરમારે જાહેર જનતાને નમ્ર અપીલ કરી છે કે, સોશિયલ મીડિયામાં ફરતા ખોટા વીડિયો કે ભ્રામક લખાણો પર વિશ્વાસ ન કરવો. અફવાઓ ફેલાવવી એ ગુનો છે અને તેનાથી બચવું જોઈએ. અમે તમામ સુરક્ષા નિયમોનું પાલન કરીએ છીએ અને લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાથી અને માત્ર નિરીક્ષણના ભાગરૂપે કામગીરી અટકાવવામાં આવી હોવાથી, મેનેજમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી એક-બે દિવસમાં જ ફન બ્લાસ્ટ ફરીથી રાબેતા મુજબ ધમધમતું થઈ જશે. રાજકોટના નાગરિકો ફરીથી સુરક્ષિત વાતાવરણમાં મનોરંજન માણી શકશે.
આમ રાજકોટમાં ફન બ્લાસ્ટની ઘટનાને લઈને ફેલાયેલી વાતોમાં કોઈ દમ નથી. ફાયર સેફ્ટીના સાધનો અને સ્ટાફની સતર્કતાને કારણે નાની અમથી સ્પાર્કિંગની ઘટનાને પણ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવી છે. શહેરીજનોએ સત્તાવાર માહિતીને જ સાચી માનવી જોઈએ.



