By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    3 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    2 hours ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    2 hours ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    2 hours ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    2 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    3 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 hours ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મરાઠી અસ્મિતાની લડાઈ કે વિભાજનનું રાજકારણ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > મરાઠી અસ્મિતાની લડાઈ કે વિભાજનનું રાજકારણ?
Hemadri Acharya Dave

મરાઠી અસ્મિતાની લડાઈ કે વિભાજનનું રાજકારણ?

Khaskhabar Editor
Last updated: 2025/07/05 at 4:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
10 Min Read
SHARE

મહારાષ્ટ્રમાં ભાષાનો ઉગ્ર વિવાદ

ભાષા એ માત્ર શબ્દોનો સમૂહ નથી, એ એક સંસ્કૃતિનું હૃદય છે, ઓળખનું ગૌરવ છે. પરંતુ જ્યારે આ જ ભાષા રાજકારણના રણમેદાનમાં શસ્ત્ર બની જાય ત્યારે તે એકતાના ગીતને બદલે વૈમનસ્યની આગ ભડકાવે છે, વિભાજનનું કારણ બની શકે છે. મહારાષ્ટ્રમાં તાજેતરનો ભાષાકીય વિવાદ, જેમાં શાળાઓમાં હિન્દીને ફરજિયાત કરવાની નીતિ વિરુદ્ધ શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) એ આક્રમક વલણ અપનાવ્યું, એ આ વાતનું જીવંત ઉદાહરણ છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને તાજેતરનો હિન્દીને શાળાઓમાં ફરજિયાત કરવાનાં પ્રસ્તાવનો વિરોધ, એક જટિલ રાજકીય અને સામાજિક મુદ્દો છે. આ વિવાદના મૂળમાં ભાષાકીય અસ્મિતા તેમજ પ્રાદેશિક ગૌરવની આડમાં રાજકીય એજન્ડા ગૂંથાયેલા છે. આ વિવાદના તાણાવાણામાં ભૂતકાળના પડઘા, વર્તમાનની ઉગ્રતા, અને ભવિષ્યની આશંકાઓ ગુંજે છે. આ વિવાદે માત્ર મરાઠી ભાષાના ગૌરવનો પ્રશ્ન ઉભો કર્યો નથી, પરંતુ ભૂતકાળના ભેદભાવના બીજને પણ ફરીથી ઉજાગર કર્યા છે.

- Advertisement -

વિવાદનો ઉદય: હિન્દીનો વિવાદાસ્પદ પ્રવેશ

2025ના પ્રારંભે, મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ) 2020ના ત્રણ ભાષા ફોમ્ર્યુલા હેઠળ ધોરણ 1થી 5 સુધી હિન્દીને ફરજિયાત વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જારી કર્યો. આ નિર્ણયથી મરાઠી અસ્મિતાના ઘડે ઘા લાગ્યો, જાણે કોઈએ મહારાષ્ટ્રના હૃદયમાં પર ઘા કર્યો હોય એમ, શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરે અને એમએનએસના રાજ ઠાકરે રસ્તા પર ઉતરી આવ્યા. ઉદ્ધવનો સૂર નરમ હતો: મરાઠીનું અપમાન સહન નહીં કરી લેવાય! પણ રાજ ઠાકરેએ તો જાણે રણશીંગુ ફુક્યું કે શાળાઓ હિન્દી ન શીખવે, દુકાનો હિન્દી પુસ્તકો ન વેચે! આ ઉગ્ર દબાણે 29 જૂન, 2025ના રોજ સરકારને નીતિ પાછી ખેંચવા ફરજ પાડી. સરકારની પીછેહઠને રાજ ઠાકરેએ મરાઠી માનુષની એકતાની વિજયગાથા ગણાવી, અને 5 જુલાઈએ મુંબઈમાં મરાઠી વિજય દિવસ રેલીની જાહેરાત કરી છે જે મંચ પર ઉદ્ધવ ઠાકરે જોડાશે અને લગભગ, બે દાયકામાં પ્રથમ વખત ઠાકરે પરિવારના આ બે સૂરમાઓ એકસાથે દેખાશે. આ પુનર્મિલન માત્ર ભાષાકીય ગૌરવની લડાઈ નથી, પણ આગામી ઇખઈ ચૂંટણીઓ માટે રાજકીય ગઠબંધનનો પડઘો પણ હોઈ શકે છે, જે ભાજપની રણનીતિને પડકારે છે. તમિલનાડુના રાજકારણમાં ઉખઊં અને અઈંઅઉખઊં જેવા પક્ષોનું લાંબા ગાળાનું વર્ચસ્વ હોય કે મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું સત્તા ધરી હોય, મોટાભાગના રાજ્યોના રાજકારણમાં, સ્થાનિક અસ્મિતાનું રાજકારણ રાજકીય પક્ષો માટે મુખ્ય રાજકીય હથિયાર રહ્યું છે. આઝાદી પછીથી તમિલનાડુ હિન્દી વિરોધી રહ્યું છે તે જ રીતે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ) એ રાજકારણમાં પ્રવેશતાની સાથે જ બિન-મરાઠી લોકો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું, જેનો ફાયદો તેને પહેલી ચૂંટણીમાં પણ મળ્યો હતો. અલબત્ત,પાછળથી મરાઠી અને બિન-મરાઠી (મોટાભાગે હિન્દી ભાષી)નું રાજકારણ નબળું પડવા લાગ્યું અને રાજ ઠાકરેનો પક્ષ પણ નબળો પડ્યો. મહારાષ્ટ્રમાં ત્રિભાષી નીતિ લાગુ કરવા માટે, રાજ ઠાકરેની મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઞઇઝ)

શિવસેના-મનસે દ્વારા, દુકાનના પાટિયાં મરાઠીમાં લખવાથી માંડીને મરાઠી બોલવાનું દબાણ કરવામાં આવતું હોવાની નાની મોટી ઘટનાઓ બનતી રહી છે

- Advertisement -

એ મરાઠી રાજકારણના મેદાનમાં પોતાને ફરીથી સ્થાપિત કરવાની અને ભાજપ અને તેના સાથીપક્ષોને ઘેરવાની રાજકીય તક દેખાય છે. ફરી મુદ્દા પર આવીએ તો, મહારાષ્ટ્રમાં હિંદી ભાષા વિવાદના પડઘા હજુ તો શમ્યા નહોતા ત્યાં ફરી આ આક્રોશની ચિનગારીએ આગ પકડી. મુંબઈના મીરા રોડમાં એક મારવાડી વેપારી, બાબુલાલ ખીમજી ચૌધરી, મરાઠી ન બોલવાના ‘ગુના!’માં એમએનએસના કાર્યકર્તાઓના ગુસ્સાનો ભોગ બન્યા. એક વાયરલ વીડિયોમાં બાબુલાલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં બધી ભાષાઓ બોલાય છે! એ સાથે જ તેની ધોલાઈ થતી નજરે આવે છે. અંધેરીના ડી-માર્ટમાં એક કર્મચારીને પણ આ કારણે જ ઉપરોક્ત પક્ષના કાર્યકરો દ્વારા માર પડ્યો. આ હિંસાના કારણે મીરા-ભાયંદરના વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો દુકાનોના શટર બંધ કરી દેવામાં આવ્યા!

વિવાદનું મૂળ: આ સંઘર્ષના મૂળમાં મરાઠી અસ્મિતાનો ધખધખતો અગ્નિ રહેલો છે. મુંબઈ, જે વૈવિધ્યનું વિશ્વનગર છે, ત્યાં ગુજરાતી, મારવાડી, દક્ષિણ ભારતીય, અને ઉત્તર ભારતીય સમુદાયોનું સહઅસ્તિત્વ ખીલે છે. પરંતુ શિવસેના અને એમએનએસે હિન્દીને બહારની ભાષા તરીકે નિશાન બનાવી, મરાઠીભાષાને મહારાષ્ટ્રનો ગૌરવ ધ્વજ બનાવી દીધી! રાજ ઠાકરેનો ઉદ્ગાર, મરાઠીનું અપમાન સહન નહીં,જાણે કોઈ ઐતિહાસિક વલણને ફરી જગાડવામાં આવતું હોય એમ અત્યારે તો કાર્યકર્તાઓમાં ઝનૂન છે. ઇતિહાસમાં જઈએ તો, આ ઉગ્રતાના બીજ ભૂતકાળમાં; 1960ના દાયકામાં રોપાયા. આ વિવાદના મૂળ શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની નીતિઓમાં રહેલા છે, જેમણે 1966માં “મરાઠી માનુષ”ના હિતોની રક્ષા માટે શિવસેનાની સ્થાપના કરી. તેમનો ઉદ્દેશ મુંબઈમાં મરાઠી લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનો હતો. આ સમયે મુંબઈના આર્થિક વિકાસમાં ગુજરાતી અને દક્ષિણ ભારતીય સમુદાયોનું વર્ચસ્વ હતું એને મુદ્દો બનાવી, મરાઠી યુવાનોની નોકરીઓ અને તકો છીનવાતી હોવાનો આક્ષેપ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ ઉઠાવ્યો. આ આક્ષેપે મરાઠી માનુષના ખ્યાલને જન્મ આપ્યો- જે એક શક્તિશાળી રાજકીય હથિયાર બન્યું. એક એવો ખ્યાલ, જે આજે પણ મહારાષ્ટ્રના રાજકીય આકાશમાં ધગધગે છે. આ ખ્યાલ એક બળવાખોર ચેતના હતી, જે મરાઠી ગૌરવનો દીવો પ્રગટાવતી હતી, પરંતુ સાથે બિન-મરાઠીઓ સામે ભેદભાવની ચિનગારીઓ પણ ચાંપતી હતી.

બાલાસાહેબનું બળવાખોર સ્વપ્ન: 1966માં બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી, જે મરાઠી ગૌરવની બળવાખોર ઓળખ બની. તેમના ‘સામના’ અખબારના ચોટદાર લેખો, અખબારમાં બિન-મરાઠી સમુદાયો, ખાસ કરીને દક્ષિણ ભારતીય અને પછીથી ઉત્તર ભારતીયો, વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા. આ લેખોમાં મરાઠી લોકોને તેમના હક્કો માટે લડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. વળી, બાળાસાહેબના જ્વલંત ભાષણો કે જેમાં તેમણે મરાઠી ગૌરવ અને “બહારના લોકો” દ્વારા થતા કથિત અન્યાયની વાત કરી, આ ભાષણોએ લોકોના મનમાં ઊંડો પડઘો પાડ્યો. તેમના કાર્ટૂનો અને વ્યંગ્યો દ્વારા પણ તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું. ઉપરાંત, શિવસેનાએ નોકરીઓ, આવાસ અને આર્થિક તકો જેવા સ્થાનિક મુદ્દાઓને “મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી”ના રંગમાં રજૂ કરીને લોકોની લાગણીઓને ઉશ્કેરી. સાથોસાથ છત્રપતિ શિવાજી મહારાજ જેવા ઐતિહાસિક મરાઠી નાયકોના પ્રતીકોનો ઉપયોગ કરીને મરાઠી ગૌરવને ઉજાગર કર્યું. આનાથી મરાઠી લોકોમાં એકતા અને આત્મવિશ્વાસની ભાવના જન્મી. આવી વીરત્વભરી આકૃતિને પ્રતીક બનાવીને તેમણે મરાઠી હૃદયોમાં “મરાઠી માનુષ”ના ખ્યાલને જડબેસલાક રોપ્યો, મરાઠી અસ્મિતાનો એવો દીવો પ્રગટાવ્યો કે જે ત્યારપછીની મહારાષ્ટ્રની રાજનીતિમાં હોટકેક તો સાબિત થયો પણ બિન-મરાઠીઓ સામે ભેદભાવની ચિનગારીઓ ચાંપતો ગયો. આ નીતિએ બિન-મરાઠી સમુદાયો, ખાસ કરીને ઉત્તર ભારતીય સ્થળાંતરીઓ, વિરુદ્ધ ભેદભાવને પણ વેગ આપ્યો. બાળાસાહેબની આક્રમક નીતિએ શિવસેનાને મુંબઈ અને થાણેમાં લોકપ્રિય બનાવી, પરંતુ તેની સાથે હિંસા અને વિવાદો પણ જન્મ્યા.

1970ના દાયકામાં, શિવસેનાના કાર્યકર્તાઓએ દક્ષિણ ભારતીયોની ઉડુપી હોટેલ્સ પર હુમલા કર્યા, એવો દાવો કરીને કે તેઓ મરાઠી યુવાનોની તકો ઝુંટવે છે. 2000ના દાયકામાં ઉત્તર ભારતીય સ્થળાંતરીઓ (ખાસ કરીને યુપી-બિહાર) વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી .2008માં, શિવસેનાના કાર્યકર્તાઓએ ઉત્તર ભારતીય રેલવે પરીક્ષાર્થીઓ પર હુમલો કર્યો, આવી ઘટનાઓએ મહારાષ્ટ્રની વૈવિધ્યસભર ઓળખને નુકસાન પહોંચાડ્યું. પરીક્ષાર્થીઓ પરના હુમલાઓની રાષ્ટ્રવ્યાપી આલોચના થઈ. આગળ જતાં, બાળાસાહેબનો આ વારસો એમએનએસે જાળવ્યો. 2025માં, રાજ ઠાકરેએ બેંકોમાં મરાઠીના ઉપયોગ માટે ઝુંબેશ ચલાવી, જેમાં યસ બેંકના કર્મચારીઓને મરાઠી બોલવા દબાણ કરાયું. આ ઉપરાંત, શિવસેના- મનસે દ્વારા, દુકાનના પાટિયાં મરાઠીમાં લખવાથી માંડીને મરાઠી બોલવાનું દબાણ કરવામાં આવતું હોવાની નાની મોટી ઘટનાઓ બનતી રહી છે. ભાજપ અને મહારાષ્ટ્ર: ભૂતકાળથી લઈને હજુ 2019 સુધી ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાના મરાઠી માનુષ એજન્ડાને પોતાના રાષ્ટ્રવાદી રથ સાથે જોડ્યો હતો. 1984થી 2019 સુધીના ગઠબંધનથી ભાજપે મુંબઈ અને થાણેના મરાઠી મતદારોનો ટેકો મેળવ્યો. 2019માં ગઠબંધન તૂટ્યું, તો એકનાથ શિંદેના શિવસેના જૂથ સાથે નવો સંબંધ ગૂંથાયો, જેણે 2024ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને મજબૂતી આપી. આજે, ભાજપ આ વિવાદને હિન્દુત્વના રંગે રંગે છે. ભાજપના એક નેતા નીતિષ રાણેનું કથન, મરાઠી ન બોલવા બદલ હિન્દુને માર્યો, પણ મુસલમાનને મારી જુઓ!

આ કથન હિન્દુત્વની રણનીતિનું ચિત્ર રજૂ કરે છે. આ શબ્દો ભાષાના વિવાદને ધાર્મિક રંગ આપે છે. બીજી બાજુ, ભાજપના નેતાઓ વળી એમ પણ બોલે છે કે, આ મુદ્દે હિંસાનો વિરોધ છે પણ મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી આવડવું જોઈએ. મરાઠી ગૌરવને ટેકો આપવાની આ નીતિ ભાજપની રાજકીય ચાલાકી દર્શાવે છે, જે મરાઠી મતદારોનો વિશ્વાસ જાળવી રાખે છે, સાથે હિન્દુત્વનો રાગ આલાપે છે. છેલ્લે, બાળાસાહેબનો વારસો એક શક્તિશાળી ચેતના હતી, પરંતુ તેની આગે સૌના હૃદયોને એક કરવાને દૂર કર્યા છે ત્યારે આજે, જ્યારે શિવસેના(ઉદ્ધવ) અને એમએનએસ આ વારસાને આગળ ધપાવે છે, ત્યારે ચિંતાની વાત તો એ છે કે આ ગૌરવની લડાઈ આપણી વચ્ચેની દીવાલોને વધુ મજબુત કરશે. બીજું, મહારાષ્ટ્રમાંથી ગુજરાતી-મારવાડી- ઉતરભારતીય કે દક્ષીણ ભારતીયોને બાદ કરી નાખવામાં આવે તો(જે કદી શક્ય નથી) તેના વિકાસ સામે કેવડા પડકાર છે એ રાજનેતાઓ સમજે જ છે પરંતું ફક્ત વોટબેંક માટે તેનો ઉપયોગ કરે છે. ભાષા એક શસ્ત્ર નહીં, પુલ છે, જે હૃદયોને જોડે છે, પણ મહારાષ્ટ્રમાં એ જ ભાષાના નામ પર ખાડા ખોદાઇ રહ્યાં છે. મહારાષ્ટ્રની વૈવિધ્યસભર ધરતી પર આ ઝેર પ્રસરી રહ્યું છે તેનો અટકાવ જરુરી છે. દુ:ખ તો એ પણ છે કે વાણીને મા સરસ્વતિની કૃપા માનનાર, વિશ્વને ’વસુધૈવ કુટુંકમ’ની વિભાવના આપનારી આ ભૂમિના સંતાનોને, તેમના નેતાઓ આજે અંદરોઅંદર ભાષા નામે લડાવી રહ્યાં છે!

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

TAGGED: Fierce language controversy in Maharashtra, maharashtra, Marathi identity
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાન ખુદા ગવાહ, ખુદા પનાહ
Next Article ચોટીલાના ખેરડી ગામ નજીક વિદેશી દારૂના કટીંગ સમયે ગાંધીનગર SMC ટીમ ત્રાટકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?