આજે સાંજે રક્તદાન કેમ્પ, સંતોના સામૈયાનો કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
આજ રોજ શનીવાર સાંજે 4 થી 9 સુધી જેતપુર નેશનલ હાઈવે પર આવેલ શ્રી હરિ વૃધ્ધાશ્રમ ખાતે પુ. જોષી બાપાના માર્ગદર્શન હેડળ આ ઋણસ્વીકાર સત્કાર સમારોહ યોજાશે. પૂ. મુકતાનંદબાપુના અધ્યક્ષ સ્થાને રકતદાન કેમ્પ ભોજન સમારંભ સહિતનાં કાર્યક્રમો પૂ. જોષીબાપાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી રાજગોર સમાજ ઉમટી પડશે. જેમાં બપોરે 2 વાગ્યાથી રકતદાન કેમ્પ શરૂ થશે અને સાંજે 4 કલાકે સંતોના સામૈયા અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 કલાક સુધી પૂ. ભાઈશ્રી નો સન્માન સમારોહ અને ત્યારબાદ ભોજન સમારંભનું આયોજન કરાયું છે. જેમાં સંતો મહંતોમાં જેતપુર થી પૂ. નિલકંઠ ચરણદાસજી, ધુનડાથી પૂ. જેન્તિરામબાપા, દાણીધારથી સુખદેવદાસ બાપુ, પૂ. ઈશ્વર ચેતન્ય બાપુ, પુર સુબોધાનંદબાપુ, પૂ. જગુરામબાપા, રામબાલકદાસબાપુ, પૂ.ડો. રતિદાદા, પૂ.નિજસ્વરૂપાનંદજી, પૂ. ગણેશાનંદબાપુ સહિતના સંતો પધારશે તેમજ રાજગોર સમાજના આગેવાનો પણ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ગત તા. 24 માર્ચના રોજ પૂ. જોષીબાપા એ સમાજના આગેવાનો સાથે પોરબંદર ખાતે પૂ. ભાઈશ્રીની મુલાકાત લઈ અને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું ત્યારે પૂ. ભાઈશ્રીએ આ વાત સ્વીકારી ઉપસ્થિત રહેવા રાજીપો વ્યકત કર્યો હતો.