By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    4 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    4 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    4 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    5 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મણિપુરમાં 11 આતંકીઓ ઠાર થયા બાદ તણાવ, જિરીબામ જિલ્લામાં કર્ફ્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મણિપુરમાં 11 આતંકીઓ ઠાર થયા બાદ તણાવ, જિરીબામ જિલ્લામાં કર્ફ્યુ
ખાસ-ખબરરાષ્ટ્રીય

મણિપુરમાં 11 આતંકીઓ ઠાર થયા બાદ તણાવ, જિરીબામ જિલ્લામાં કર્ફ્યુ

Khaskhabar Editor
Last updated: 2024/11/12 at 12:54 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

આતંકવાદીઓ ઠાર થયા બાદ કુકી-જો કાઉન્સિલે મંગળવારે સવારે 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના પહાડી વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે.

મણિપુરમાં ગત વર્ષે 3 મેના રોજ શરૂ થયેલ હિંસાનો સિલસિલો અટકવાનો કોઈ સંકેત દેખાતો નથી. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં હિંસાની 8 અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટના 11 નવેમ્બરે બની, જ્યારે સશસ્ત્ર કુકી આતંકવાદીઓએ જિરીબામ જિલ્લામાં બોરોબેકરા પોલીસ સ્ટેશન અને નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેઓએ બોરોબેકરા પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે આવેલા જકુરાડોર કરોંગ માર્કેટમાં અને તેની આસપાસની ઘણી દુકાનો અને મકાનોને પણ આગ લગાવી દીધી. CRPFની જવાબી કાર્યવાહીમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા. આ અથડામણ દરમિયાન સીઆરપીએફના બે જવાન પણ ઘાયલ થયા અને તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ શંકાસ્પદ આતંકવાદીઓ ઠાર થયા બાદ કુકી-જો કાઉન્સિલે મંગળવારે સવારે 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના પહાડી વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. મણિપુર પોલીસે એક પોસ્ટમાં જણાવ્યું કે ’11 નવેમ્બર 2024ના રોજ જિરીબામ જિલ્લામાં જકુરાડોર અને બોરોબેકરા પોલીસ સ્ટેશન પાસે આવેલ CRPF કેમ્પ પર બપોરે લગભગ 3 વાગે, સશસ્ત્ર ઉગ્રવદિઓએ હુમલો કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જેમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા. આતંકવાદીઓ સાથેના આ અથડામણમાં CRPF કોન્સ્ટેબલ સંજીવ કુમારને ગોળી વાગી ગઈ. તેને આસામની સિલચર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો અને તેની સારવાર ચાલી રહી છે.’

- Advertisement -

CRPFએ 11 આતંકવાદીઓને ઠાર કર્યા

સીઆરપીએફ અને પોલીસે હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને 40-45 મિનિટના ભારે ગોળીબાર બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી. ગોળીબાર બંધ થયા પછી, વિસ્તારની શોધખોળ કરવામાં આવી અને હથિયારો અને દારૂગોળો (3 AK, 4 SLR, 2 INSAS, 01 RPG, પમ્પ એક્શન ગન, BP હેલ્મેટ અને મેગેઝિન) સાથે સશસ્ત્ર આતંકવાદીઓના 11 મૃતદેહ મળી આવ્યા. આ હુમલાના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. મણિપુર પોલીસે કહ્યું કે આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આસામ રાઈફલ્સ, સીઆરપીએફ અને સિવિલ પોલીસની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

કુકી-જો કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું, ‘જિરીબામ ખાતેની દુ:ખદ ઘટનામાં, અમે અમારા કુકી-જો ગામના 11 સ્વયંસેવકોને CRPFના હાથે ગુમાવ્યા, જેમને નિર્દયતાથી ગોળી મારી દેવામાં આવી. કૂકી-જો કાઉન્સિલે પીડિતોના માનમાં અને અમારા સામૂહિક દુઃખ અને એકતા વ્યક્ત કરવા માટે 12 નવેમ્બરના રોજ સવારે 5:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરી છે. અમારા મૂલ્યવાન ગામના સ્વયંસેવકોની હત્યા માત્ર તેમના પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર કુકી-જો સમુદાય માટે વિનાશક ફટકો છે. કુકી-જો શાંતિ, ન્યાય અને સુરક્ષા માટેના આ સંઘર્ષમાં એક થયા છે. અમે આજે થયેલી હિંસાની સખત નિંદા કરીએ છીએ અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે તાત્કાલિક અને સંપૂર્ણ તપાસની માંગ કરીએ છીએ.’

- Advertisement -

જિરીબામમાં આગામી આદેશ સુધી કર્ફ્યુ

અધિકારીઓએ જણાવ્યું, ‘જે બોરાબેકરા પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તેના પરિસરમાં એક રાહત શિબિર પણ છે અને ઘટના બાદ ત્યાં રહેતા પાંચ લોકો ગુમ છે. તે સ્પષ્ટ નથી કે આતંકવાદીઓએ આ નાગરિકોનું અપહરણ કરી લીધું કે પછી હુમલો શરૂ થયા પછી તેઓ છુપાઈ ગયા હતા. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. કેટલાક અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃતિઓને કારણે આ વિસ્તારમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની અને માનવ જીવન અને સંપત્તિઓને ગંભીર ખતરો છે. તેથી, આગામી આદેશો સુધી BNSS ની કલમ 163 હેઠળ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ અમલમાં રહેશે.’

બોરોબેકરા સબ-ડિવિઝનમાં જૂન મહિનાથી હિંસાની ઘણી ઘટનાઓ જોવા મળી છે. આ જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે. ગયા અઠવાડિયે, જારોન હમાર ગામ પર સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 31 વર્ષીય મહિલાનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં ઓછામાં ઓછા છ ઘર બળીને રાખ થઈ ગયા. ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને પહાડીઓમાં રહેતા કુકી-જો સમુદાય વચ્ચે ગયા વર્ષે 3 મેથી શરૂ થયેલી વંશીય હિંસામાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે. જિરીબામ આ જાતિ હિંસાથી મોટાભાગે અસ્પૃશ્ય હતા. પરંતુ આ વર્ષે જૂનમાં ખેતરોમાં એક ખેડૂતની લાશ મળી આવ્યા બાદ અહીં પણ હિંસા જોવા મળી હતી. આગજનીની ઘટનાઓને કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો હતો. જુલાઇના મધ્યમાં પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓના હુમલામાં સીઆરપીએફનો એક જવાન પણ માર્યો ગયો હતો.

મણિપુરમાં હિંસા કેવી રીતે શરૂ થઈ?

મણિપુરમાં હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી, જ્યારે મણિપુર હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કુકી-જો આદિવાસી સમુદાય દ્વારા પ્રદર્શન દરમિયાન આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. વાસ્તવમાં, મેઇતેઇ સમુદાયે મણિપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમને જનજાતિનો દરજ્જો આપવામાં આવે. મેઇતેઇ સમુદાયે દલીલ કરી હતી કે 1949માં મણિપુરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું. તે પહેલા તેમને આદિજાતિનો દરજ્જો હતો. અરજી પર સુનાવણી પૂર્ણ થયા બાદ, મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવા માટે વિચારણા કરવામાં આવે.

કુકી-જો સમુદાય મેઇતેઇને આદિવાસીનો દરજ્જો આપવા વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકો પહેલેથી જ મેઇતેઇ પ્રભુત્વ ધરાવતી ઇમ્ફાલ ઘાટીમાં છે. આવી સ્થિતિમાં, જો મેઇતેઇને આદિજાતિનો દરજ્જો મળે છે, તો અનામતમાં કુકી-જો સમુદાયનો હિસ્સો ઘટશે. મેઇતેઇની મોટાભાગની વસ્તી ઇમ્ફાલ ઘાટી અને મણિપુરના મેદાનોમાં રહે છે, જ્યારે કુકી-જો સમુદાયના મોટા ભાગના લોકો પહાડી વિસ્તારોમાં રહે છે. મેઇતેઇ હિન્દુ છે, જ્યારે કુકી ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. મણિપુરમાં આ બે સમુદાયો વચ્ચે દોઢ વર્ષથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન, 237 લોકોના મોત થયા છે અને 1500 થી વધુ લોકો ઘાયલ થયા છે.

60 હજાર લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે. છેલ્લા દોઢ વર્ષમાં મણિપુરમાં લગભગ 11 હજાર એફઆઈઆર નોંધવામાં આવી છે અને 500ની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર રાજ્ય પર્વતીય અને મેદાની ભાગોમાં વહેંચાયેલું છે. મેઇટીસ મેદાની જિલ્લાઓમાં રહે છે અને કુકી પહાડી જિલ્લાઓમાં રહે છે. બે સમુદાયો વચ્ચે એવી દુશ્મનાવટ ચાલી રહી છે કે જો મેદાની વિસ્તારમાંથી કોઈ મેઇતેઇ પહાડી વિસ્તારમાં આવે અને પહાડી વિસ્તારમાંથી કોઈ કુકી મેદાનમાં આવે તો તેના માટે જીવિત પાછા જવું શક્ય ન બને.

You Might Also Like

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી

સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા

TAGGED: curfew in Jiribam District, Kuki-Meitei Clash, MANIPUR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન ધન એકાઉન્ટ ધારકો માટે આવી સૌથી મોટી અપડેટ: બેંકોને પણ અપાયો આદેશ
Next Article કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા: ગુલમર્ગ-સોનમર્ગ સહીતનાં ભાગોમાં બરફની ચાદર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?