મે માસમાં 25%ના વધારા સાથે 1.21 લાખ હવાઈ મુસાફરોની અવરજવર
ફ્યુલના ભાવ વધતા એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈ, દિલ્હીની ફ્લાઇટ 31 જુલાઈ સુધી બંધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ મે માસમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. યુધ્ધની અસર અને મોંઘવારી, મંદીના માહોલમાં પણ રંગીલા રાજકોટવાસી સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓએ હવાઇ મુસાફરી માટે રાજકોટના એરપોર્ટની પસંદગી ઉતારતા ગત મે માસમાં 1,21,158 પ્રવાસીઓ નોંધાયા હતા. જોકે હવે એર ફ્યૂઅલના ભાવમાં વધારાને કારણે એર ઇન્ડિયાની રાજકોટથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ 31 જુલાઈ સુધી કેન્સલ થતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ડેઇલી 14 ફ્લાઇટનાં ઉડ્ડયન સાથે હવાઇ મુસાફરોમાં 25 ટકા જેવો વધારો નોંધાયો છે. એસ.ટી., રેલ્વેની માફક એર લાઇન્સ કંપનીઓને પણ એરફેરથી બમણી આવક થઇ છે.મે માસમાં શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશનની રજા હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અનેક પરિવારો, ગ્રુપો દેશ-વિદેશની ટૂર યાત્રામાં આવવા-જવા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ સફર કરી હતી.ગત એપ્રિલ માસમાં 50,247 આગમન અને 45062 પ્રસ્થાન મળી કુલ 95,309 મુસાફરો સાથે 408 વિમાનો ઉડ્યા હતા. જેની સરખામણીમાં મે માસમાં 416 વિમાનોમાં 95,555 આગમન અને 61,603 મુસાફરોનું પ્રસ્થાન મળી કુલ 1,21,158 મુસાફરો નોંધાયા હતા.
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમેસ્ટિક સેવામાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાયન્સ ડેઇલી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ, નવી મુંબઇ અને સપ્તાહમાં ચાર દિવસ પુનાની ફ્લાઇટનું ઉડ્ડયન શરુ હોવાથી ડેઇલી 13 સહિત 14 ફ્લાઇટ ઉપરાંત આંતર જિલ્લાની હવાઇ સેવામાં ડેઇલી વેન્ચુરા એર કનેક્ટનું 9 સીટર વિમાનનું રાજકોટ-સુરત-રાજકોટ ઉડ્ડયન શરૂ હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને દેશ-વિદેશની હવાઇ સફર માટે રાજકોટનું એરપોર્ટ સુવિધાસભર રહ્યું છે.
જો કે હજુ એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં હોવાથી વિદેશ જવા અમદાવાદ, મુંબઇ, દિલ્હીથી કનેક્ટીંગ ફ્લાઇટ પકડવા દોડવું પડે છે. રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ કરવાની માંગ હજુ ઉડ્ડયન મંત્રાલયે સ્વીકારી નથી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે રાજકોટ એરપોર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કસ્ટમની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ નથી.મે માસમાં દિલ્હીની-4, મુંબઇ-4, નવી મુંબઇ-2, હૈદરાબાદ-1, બેંગ્લોર-1 અને પુના સપ્તાહમાં 4 દિવસ (મંગળ, બુધ, ગુરુ, રવિ) ઉડ્ડયન સાથે ડેઇલી 13-14 ફ્લાઇટ ઉડતા હવાઇ મુસાફરોમાં હવાઇ સફર ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે.
ઇરાન-અમેરિકા મીડલ વેસ્ટ યુધ્ધની પરિસ્થિતિના પગલે એરફ્યુલ મોંઘુદાટ થતાં અનેક એર લાઇન્સ કંપનીઓની મુશ્કેલીમાં વધારો થતાં ડોમેસ્ટિક સેવાની ફ્લાઇટના ઉડ્ડયનમાં મોટો કાપ મુક્તા તેમની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને અસર પડી છે. એર ઇન્ડિયા કંપનીએ સવાર-સાંજે રાજકોટ-દિલ્હી-રાજકોટ અને રાજકોટ-મુંબઇ-રાજકોટ તા.2 થી 31મી જુલાઇ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાની સવારે 10 કલાકની એસી 885/886 દિલ્હી-રાજકોટ-દિલ્હી અને સાંજની 16-00 કલાકની એસી 2730/2731 મુંબઇ-રાજકોટ-મુંબઇ આગામી તા.31 જુલાઇ સુધી બંધ કરવામાં આવી છે.
જ્યારે ઇન્ડિગો એર લાઇન્સ કંપની પણ આગામી તા.16મી જુનથી ડેઇલી હૈદરાબાદ અને નવી મુંબઇની ફ્લાઇટને એકાંતરા ઉડાડવા નિર્ણય લેતા ડેઇલી હવાઇ સેવામાં 4 ફ્લાઇટ કાપ મુકાયો છે.ઉનાળુ વેકેશન રજાઓ આગામી સપ્તાહથી પૂર્ણ થાય તે પૂર્વે જ ફ્યુઅલ વધારાનાં ધ્યાને લઇ હવાઇ સેવામાં કાપ મુકવાની શરુઆત કરી છે. જેથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમેસ્ટિક સેવાને અસર થઇ રહી છે.
આજથી રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી ફ્લાઇટ 14થી ઘટી 12 થઈ
ફ્લાઇટ નંબર રૂટ રાજકોટથી પ્રસ્થાન
ઈંૠઘ 6174/5004 દિલ્હી 7.55 દૈનિક
અઈંઈ 2785/2786 મુંબઈ 8.35 દૈનિક
ઈંૠઘ 7045/7046 નવી મુંબઈ 8.25 દૈનિક
ઈંૠઘ 5156/233 મુંબઈ 9.15 દૈનિક
ઈંૠઘ 956/957 પુણે 10.20 મંગળ, બુધ, ગુરુ, રવિવાર
ઈંૠઘ 2284/2283 મુંબઈ 13.45 દૈનિક
ઈંૠઘ 6507/6508 બેંગ્લોર 15.55 દૈનિક
ઈંૠઘ 273/5271 મુંબઈ 16.20 દૈનિક
ઈંૠઘ 6983/6984 દિલ્હી 17.50 દૈનિક
ઈંૠઘ 2100/2104 નવી મુંબઈ 19.35 દૈનિક
ઈંૠઘ 2537/2538 દિલ્હી 20.00 દૈનિક
ઈંૠઘ 6823/6824 હૈદરાબાદ 20.10 દૈનિક
- Advertisement -
છેલ્લા 5 માસમાં હવાઈ મુસાફરોની અવરજવર
માસ મુસાફરોની સંખ્યા ફ્લાઇટ
જાન્યુઆરી 1,39,693 381
ફેબ્રુઆરી 1,26,528 344
માર્ચ 1,16,786 376
એપ્રિલ 95,309 408
મે 1,21,158 416



