દિલ્હી-NCRમાં આજે બપોરે 2.30 વાગ્યા આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, એક-બે નહીં પરંતુ ઘણી જગ્યાએ લોકોએ ભૂકંપના ત્રણ આંચકા અનુભવ્યા હતા.
ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અને તેની તીવ્રતા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ નથી.
- Advertisement -
Strong earthquake tremors felt in Delhi pic.twitter.com/VZkRU4uyLy
— ANI (@ANI) January 24, 2023
- Advertisement -
ભૂકંપ શા માટે થાય છે?
વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.