By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    24 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    21 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    21 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    21 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    23 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    24 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શીતળા સાતમ, શીતળાની રસી અને ધ ગ્રેટ ડૉકટર હોલવેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શીતળા સાતમ, શીતળાની રસી અને ધ ગ્રેટ ડૉકટર હોલવેલ
Author

શીતળા સાતમ, શીતળાની રસી અને ધ ગ્રેટ ડૉકટર હોલવેલ

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 4:38 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

કાર્તિકોલોજી:કાર્તિક મહેતા

શીતળા માતાજીનો મહિમા જેવો જહોન ઝેડ હોલવેલ નામનાં અંગ્રેજ સર્જને જાણ્યો એવો પછી કોઇ એ નથી જાણ્યો

- Advertisement -

એમાં બન્યું એવું કે ઇસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો કારોબાર વિકસાવી રહી હતી.હજી ઇસ 1757 વાળું પલાશી(ખાખરાના જંગલ)નું યુદ્ધ તાજુ હતું. રોબર્ટ ક્લાઇવ પોતાની સાથે લગભગ બારસો અંગ્રેજો લાવ્યો હતો જેમાં હિસાબનીશ/મુનશીઓ, વેપારીઓ, સૈનિકો, શ્રમિકો, દલાલો વગેરે સહિત અમુક અધિકારીઓ પણ હતા.
એમાંથી એક પ્રબુદ્ધ અધિકારી હતા જહોન ઝેડ હોલ્વેલ. હોલવેલ એક કટ્ટર સામ્રાજ્યવાદી હતા અર્થાત તે એમ માનતા કે ગોરાઓનો જન્મ બીજા ઉપર શાસન કરવા માટે થયો છે. છતાં હોલવેલની અંદરનો બુદ્ધિમાન માણસ જીવતો હતો. હોલવેલ ભારતને જાણવા માટે ફરતા રહેતા અને પોતાની ડાયરીમાં નોંધ ટપકાવતા રહેતા.
આવી એક ડાયરી નોંધમાં હોલવેલ એક નિરીક્ષણ નોંધે છે કે ભારતમાં બંગાળથી લઈને કાશી સુધી ગામેગામ, પંદરથી સોળ વર્ષના બાળકોના હાથ ઉપર અસ્ત્રાથી હળવો કાપો મૂકીને કઈક ઘસવામાં આવે છે.

હોલવેલ સાહેબે નોંધ્યું કે કાશીથી દીક્ષિત થયેલા બ્રાહ્મણ અને અન્ય જાતિઓના યુવાન લોકો એના ગુરુની આજ્ઞા અને શિક્ષા અનુસાર દસ વીસની ટુકડીઓમાં ગામેગામ પહોંચી જાય છે. આ લોકો પાસે સામાનમાં સોનાકે ચાંદીનો એકદમ ધારદાર અસ્ત્રો, એક સોય અને રૂમાં લપેટેલી એક “વસ્તુ” હોય છે. આ લોકોની ટુકડીઓ ગામેગામ પહોંચીને પંદરેક વર્ષના બાળકોને એકઠા કરતા. આ ટુકડીના લોકો બાળકોના હાથ ઉપર સોનાના ધારદાર અસ્ત્રા વડે લોહીનો ટશિયો ફૂટે એવો એક સૂક્ષ્મ કાપો બહુ કુશળતાથી મૂકતા. કાપો તાજો હોય ત્યાં જ એ કાપા ઉપર રૂમાં લપેટેલી “વસ્તુ” ને સોય વડે તે કાપા ઉપર ઘસતા.

હોલવેલે નોંધ્યું કે આ રૂમાં લપેટેલી વસ્તુ શીતળા સંક્રમિત ગાયના આંચળથી એકઠું કરેલું રસીદ્રવ્ય (પસ) હતું.
હોલવેલે આ નિરીક્ષણ ઉપરથી એક નિબંધ તૈયાર કર્યો જેનું મથાળું/શીર્ષક એણે “પૂર્વ ભારતમાં શીતળાના ઉપાય તરીકે રસીકરણ નો પ્રયોગ” એવું રાખ્યું. યાદ રહે કે આ શોધનિબંધ ઇસ 1767માં પ્રકાશિત થયો ત્યારે હજી એડવર્ડ જેનર નામનાં વિજ્ઞાની દ્વારા શીતળાની રસી શોધવાને લગભગ ત્રીસ વર્ષની વાર હતી.
ક્લાઇવના ગયા બાદ જહોન ઝેડ હોલવેલ બંગાળનો ગવર્નર પણ બન્યા.. પણ મૂળ તો શોધખોળના જીવ એટલે એણે ખૂબ અભ્યાસ કર્યો અને અનેક પુસ્તક અને નિબંધો પ્રકાશિત કર્યા. હોલવેલ એક કટ્ટર અંગ્રેજ હોવા છતાં કહેતા ગયા કે ગ્રીક અને લેટિન ગ્રંથો હિન્દુઓના ગ્રંથોની નકલ છે. હિન્દુઓના ગ્રંથોનો અભ્યાસ કરતા એમને પ્રતીત થયું કે હિન્દુઓનું ગણિત, ખગોળ અને તત્વદર્શન આ જગતમાં સર્વોચ્ચ છે. હોલ્વેલ શુદ્ધ શાકાહારી બની ગયા અને ઇંગ્લેન્ડ પરત ફરીને ત્યાં પણ એમણે શાકાહારનો

- Advertisement -

પ્રચાર કર્યો જે યુરોપમાં બહુ નવતર વાત હતી.
હોલવેલ એ હતા જેણે ભારતને અને હિન્દુઓને પોતાના ભવ્ય ભૂતકાળની ક્રેડિટ આપી. (એટલે હોલવેલ ભારતની ઇતિહાસની પુસ્તકોમાંથી ગાયબ છે. કેમકે અમુક સ્થાપિત હિતોને ભારત એક પછાત દેશ હતો તે સાબિત કરવાનું ઝનૂન છે)
હવે જ્યાં વર્ષોથી રસીકરણ થતું હોય ત્યાં કોઈ રોગને માતાનું નામ આપીને પૂજવાની શી જરૂર?એવો પ્રશ્ર્ન સહેજે થાય.
ભારત દસમી સદી સુધી એક તંત્રમાર્ગી દેશ રહ્યો હતો એવું અનેક ઇતિહાસકારો માને છે.
તંત્ર માર્ગ થોડો અઘરો માર્ગ છે. જેમ આધુનિક દવાઓ ખાતી વખતે કે ઇન્જેક્શન લેતી વખતે આપણે એના ડોક્યુમેન્ટ કે રિપોર્ટ વાંચતા નથી એમ તંત્ર માર્ગી પ્રથાઓ ના મૂળ કોઈ જાણતું નથી (કે જાણવા પ્રયાસ કરતું નથી) પણ એને બસ પાળવામાં આવે છે. શીતળા પૂજા એક એવી તાંત્રિક પ્રેક્ટિસ છે જે વિશુદ્ધ વૈજ્ઞાનિક અભિગમથી પાળવામાં આવતી.
આપણા હોલવેલ સાહેબે એમના નિબંધમાં નોંધેલું છે કે રસી લીધા બાદ બાળકને શીતળાના દાણા ફૂટી નીકળતા, તાવ ચડતો અને છેવટે દાણા ફૂટી જતાં. આખો ક્રમ આઠ દિવસ ચાલતો. છેવટે બાળકને લીમડાના પાનના પાણીથી નવડાવીને એને શીતળા મુક્ત ઘોષિત કરાતો. આ આઠ દિવસ સુધી રસી આપનાર લોકોની ટુકડી શીતળા પૂજન કરતી. (જુઓ આવ્યાને વિજ્ઞાન અને માતાજી એકસાથે???) જેથી બાળકને ચડતાં તાવને લીધે બાળક ને હાનિ થાય નહિ.
શીતળા જવર એટલે કે તાવનો વિનાશ કરતી દેવી કહેવાય છે. એમનું વાહન ગદર્ભ એટલે કે ગધેડો જવરાસુર (તાવ રૂપી અસુર) ગણાય છે. આમ શીતળા પૂજન તાવને નિયંત્રણ કરવા માટે કરવામાં આવતું. બાળકને આઠ દિવસ આરામ અને સાથે મિષ્ટાન્ન ભોજન આપવાનો નિર્દેશ કરવામાં આવતો. આ સામૂહિક રસીકરણ નો કાર્યક્રમ પૂર્ણ થતા શિષ્યોનો સમૂહ પોતાના ગુરુ પાસે કાશી પરત ફરતો. (આજના કેટલા ડોક્ટરોમાં આવી નિસ્બત છે?)

અહી નોંધવા લાયક છે કે રસીકરણ કરવા વાળા વ્યક્તિઓ બ્રાહ્મણ સહિત અન્ય જાતિઓના પણ રહેતા.
આજે પણ ભારતમાં ગામેગામ રહેલા શીતળા માતાના મંદિરમાં પૂજારી તરીકે જાટવ અને માળી સમાજના ભાઈઓ હોય છે બ્રાહ્મણો નથી હોતા છતાં હિંદુ ધર્મના દરેક સમાજના લોકો શીતળા માતાને માથું ટેકવવા અચૂક આવતા હોય છે. આ ભારત ઉપર લાગેલા જાતિવાદ ના કલંક સામે એક ઐતિહાસિક અને ઊજળું પ્રકરણ છે તે ખાસ

નોંધ લેવા જેવી.
શીતળા રસીકરણ નો ઉલ્લેખ શાકતેય ગ્રંથ અને યોગ ચિંતામણી નામનાં ગ્રંથોમાં વિવરણ સહિત છે.
એડવર્ડ જેનર ની રસી ભારતમાં પ્રચલિત બનવા લાગતા જાન્યુઆરી 1819માં પ્રકાશિત મદ્રાસ કોર્તિયર નામનાં દૈનિકમાં એક તમિલ ભારતીય ઉકળાટ સહિત લખે છે કે આ રસી તો તમિલ પ્રદેશોમાં અમે વર્ષોથી આપીએ છીએ. તમિલ વાંચક સાથે સાથે ગ્રંથોના નામ અને વર્ણન આપે છે જેમાં રસીકરણ ભારતમાં સામાન્ય અને સોફિસ્તિકેટેડ હતું એવો પુરાવો પ્રાપ્ત થાય છે (મદ્રાસ કોર્તીયર ની નકલ આ લેખ સાથેના ફોટોમાં જુઓ). 1767માં હોલવેલે ભારતની પ્રાચીન રસીકરણ પદ્ધતિ વિશ્વ સમક્ષ મૂકી ત્યારબાદ 1772 માં એક અંગ્રેજ ગામડિયા બેન્જામિન જેસ્ટી એ પોતાના બાળકો અને પત્નીને સંક્રમિત ગાયોનાં આંચળ થી રસી લઈને એમના ઘાવ પર મૂક્યું. એના બાળકો અને પત્નીને શીતળા(સ્મોલ પોકસ)ના લક્ષણો આવ્યા પણ ભારતમાં બાળકોને થતું એમ તે દૂર પણ થઈ ગયા. બેન્જામિન એક ગામડિયો હતો જ્યારે એડવર્ડ જેનર એક પ્રતિષ્ઠિત અને વગદાર માણસ હતો.આથી બેન્જામિન જેસ્ટી પણ ઇતિહાસમાં ખોવાઈ ગયો. (જોકે એનું સન્માન રોયલ સોસાયટી દ્વારા થયેલું કેમકે એણે રસીના સફળ અખતરા થી અનેકને શીતળા થી બચાવ્યા હતા)
મજાની વાત એ છેકે એડવર્ડ જેનરે પણ સંક્રમિત ગાયોના આંચળ (ની લસિકા ગ્રંથિઓ) થી રસી દ્રવ્ય લીધું હતું. બેન્જામિન જેસ્ટિ એ પણ ત્યાંથી જ લીધું અને ભારતમાં તો એ પહેલા વર્ષોથી ગાયોનાં આંચળ ની લસિકા ગ્રંથિઓ થી જ પ્રવાહી લેવામાં આવતું. લસિકા ગ્રંથિની સિસ્ટમ શરીરની રોગ પ્રતિકાર માટે અનિવાર્ય સિસ્ટમ છે. અને તાવ આવે ત્યારે લસિકા ગ્રંથિના કોષો વધુ પ્રભાવક રીતે કાર્ય કરે છે એ એક વૈજ્ઞાનિક સત્ય છે. આથી તાવ રોગ નથી પણ તે દવા છે. પરંતુ તાવ નિયંત્રણ બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ માટે જે કોર્સ કરવો પડે તે શીતળા પૂજન. જેમાં આપણે માત્ર પૂજન યાદ રાખ્યું પણ શીતળા ની તાંત્રિક/વૈજ્ઞાનિક ઉપાસના વિસરી ગયા છીએ.

આ શીતળા સાતમ જેવા તહેવારો જીવંત ઇતિહાસ છે, એને ભૂલવા જેવા નથી. ભૂલી જશું તો હજી કોઈ એડવર્ડ જેનરનો બંદો આવીને કહેશે કે આ બધું તો અમે શોધેલું છે. તમે તો પછાત છો.
ભલું થજો ડોકટર જહોન ઝેડ હોલવેલનું જેણે રસીકરણના આ પ્રાચીન ભારતીય વારસાની ક્રેડિટ ભારતને જ મળે તેવા નક્કર પુરાવા એકઠા કરીને એને સાચવવાની જહેમત લીધી. કોઈ જૂઠો સંસ્કૃતિરક્ષક આવી જહેમત કદી નહી લે. માતા શીતળા જેવા ડોકટર જહોન ઝેડ હોલવેલને ફળ્યા એવા સહુને ફળજો.

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

TAGGED: shitla satam, The Great Doctor Holwell
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?
Next Article પોરબંદર SOG ટીમે સોની બજારમાં બંગાળી કારીગરોની ચકાસણી વધારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

ચાંદખેડા ઢોસા ખીરુ કાંડમાં FSL રિપોર્ટ આવ્યો, માતા-પિતાએ હવે ખીચડી-ચોકલેટનું રટણ શરૂ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?