By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
    16 hours ago
    કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો
    17 hours ago
    અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે
    17 hours ago
    મુકેશ અંબાણી કતાર સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ગપસપ
    19 hours ago
    રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા
    16 hours ago
    “આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત
    19 hours ago
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું
    20 hours ago
    બિહારથી દિલ્હી જઈ રહેલી બસમાં લાગી ભીષણ આગ: 5 ના ઘટનાસ્થળે જ મોત
    21 hours ago
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    15 hours ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    15 hours ago
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    3 days ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    3 days ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    2 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    3 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    3 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 week ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    4 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    4 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 week ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટની સદાબહાર 7 સમસ્યાઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટની સદાબહાર 7 સમસ્યાઓ
રાજકોટ

રાજકોટની સદાબહાર 7 સમસ્યાઓ

Khaskhabar Editor
Last updated: 2020/08/30 at 12:53 AM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

રાજકોટ મજાનું શહેર છે પરંતુ તેનાં ઘણાં માઇનસ પોઇન્ટસ પણ છે. કેટલાક ઉધારપાસા તંત્રની દેન છે તો ઘણાં આવા મુદ્દાઓ રાજકોટવાસીઓની મનોવૃત્તિની નીપજ છે. આવા જ સાત મુદ્દાઓ વિશે વાત…

વિશાખા વૈદ્ય

(૧) આજી… ક્યારે થશે સાજી?

- Advertisement -

અમદાવાદે સાબરમતીને શહેરની શાન બનાવી, રાજકોટે આજીને શહેરની શરમ બનાવી નાંખી. ચારેકોર દબાણો, નદીમાં ઠલવાતી ગટરો અને ભયાનક ગંદકી. આજીને આપણે નદીમાંથી વોંકળો બનાવી દીધી. દસકાઓથી આજીના બ્યુટિફિકેશનની ઠાલી વાર્તાઓ આપણે સાંભળતા આવ્યા છીએ. કશું જ થતું નથી. વાસ્તવમાં આજીએ ‘મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર’ અને ‘રોગ ઉત્પત્તિ સેન્ટર’ બની ગઈ છે. ભલું થજો ઈન્દ્રદેવનું, દર વર્ષે ઝાઝોબધો વરસાદ મોકલે છે અને આજીની આપોઆપ સફાઈ થઈ જાય છે. આજીને એકદમ સ્વચ્છ બનાવી, તેમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન કરીને આખા પટ્ટાને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવી શકાય. વાતો તો ઘણી થઇ છે, નક્કર કામ થાય ત્યારે સાચું.

વાતો તો ખૂબ થઈ ગઈ. લાલપરી, રાંદરડા અને ન્યારીના સૌંદર્યકરણની વાતો પણ હજ્જારો વર્ષોથી સંભળાય છે. ગ્રામદેવતા એવા રામનાથ મહાદેવના જીર્ણોદ્ધારની વાતો પણ હજ્જારેક વખત વાંચી છે. મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ રાજુ ધ્રુવ જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષનું પદ શોભાવતા હતા ત્યારે તેમણે રામનાથ મહાદેવના પુનરોદ્ધાર વિશે હાથીના કાન ફાડી નાંખે તેવી વાતો કરી હતી. ઘણાને તો એવું લાગ્યું કે, નવું મંદિર બની ગયું છે. થયું કશું નહીં. આ બધા કાર્યો સત્વરે પૂર્ણ થાય તો શહેરની શોભા વધે. થશે?

(૨) ટ્રાફિક, નગર આયોજન અને અધૂરાં વચનો…

- Advertisement -

શાસકો જેને મીની મુંબઈ કહે છે, તેવાં રાજકોટને હજુ મીની અમદાવાદ કે મીની સુરત બનવામાં પણ દસકો વીતી જશે. સુરતમાં નગર આયોજન અંગે ત્રણ દાયકા પહેલાં જ ગંભીરતા આવી ગઈ હતી. ત્યાં શહેરમાં ફ્લાયઓવર્સની હારમાળા સર્જાઇ. જેથી ટ્રાફિકમાં રાહત થઈ. રાજકોટમાં આવું કામ બહુ મોડે- મોડે શરૂ થયું. આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રિજ કરવો કે ઓવર બ્રિજ એ વિચારવામાં જ આપણે દસ વર્ષ કાઢી નાખ્યાં. છેવટે કોઈએ સિક્કો ઉછાળીને અંડરબ્રિજનું નક્કી કર્યું. લક્ષ્મીનગરનું ગરનાળું હવે પુરાતત્વ વિભાગની સાઈટ કરતાં પણ વધુ જર્જરિત છે. કોઈ વિદેશીને કહો કે, આ ધોળાવીરા છે. તો એ માની જ લે.

પૂર્વાયોજન કરવામાં આવ્યું હોત તો આજે માધાપર ચોકડીએ ફ્લાયઓવર ઉભો હોત. સમયસર આયોજન થયું હોત તો કોટેચા ચોકમાં ક્યારેય ટ્રાફિક સમસ્યા સર્જાતી ન હોત. આ બધી સમસ્યાઓ ઓછી હોય તેમ મીટર વગર દોડતી રિક્ષાઓ અને રાજકોટથી નાના ગામો વચ્ચે ચાલતી ‘તૂફાન’નો ત્રાસ. તમે માસ્ક વગર નીકળો તો 1000 રૂપિયા દંડ લેવા પોલીસ તૈયાર ઉભી છે, ટ્રાફિકની પારાવાર સમસ્યા સર્જતા ‘તૂફાન’ને કોઈ રોકતું નથી .રાજકોટમાં અનેક કહેવાતા ‘જાંબાઝ’ પોલીસ કમિશનરો આવ્યા અને ગયા, કોઈમાં એવી મર્દાનગી નહોતી/ નથી કે, આ દૂષણ દૂર કરી શકે.

(૩)  રખડતાં ઢોર અને તંત્રની લૂંટાતી આબરૂ!

રખડતાં શ્વાન દર મહિને કેટલાં નિર્દોષ શહેરીજનોને કરડી ખાય છે? સંખ્યા હજારોમાં છે. માન્યું કે, કુતરાંઓ પકડવા બાબતે સુપ્રીમકોર્ટનો ઓર્ડર બહુ અટપટો છે. પરંતુ ખસીકરણનો રસ્તો તો ખુલ્લો જ છે. દર વર્ષે ખસીકરણ અંગે સાવ ભ્રામક આંકડાઓ આપવામાં આવે છે અને બીજી તરફ શહેરમાં શ્વાનની વસ્તી માણસો જેટલી થઇ ગઇ છે! શેરીમાં જેટલાં ઘર નથી હોતાં એટલાં કુતરાં હોય છે. અમુક વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ પણ ઓછો નથી. જો કે, સૌથી વધુ ત્રાસ તો રખડતી ગાયો અને ખૂંટિયાઓનો છે. ખૂંટિયાઓમાં પાછા અંદરોઅંદર ડખ્ખા બહુ હોય છે. તેમની વચ્ચે ધિંગાણું થાય ત્યારે કેટલાંય નિર્દોષ મનુષ્યોનો ખો નીકળી જાય. ગાયો – ખૂંટીયાઓને કારણે અનેક લોકોને ગંભીર ઇજા થઇ છે, કેટલાંય લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. છતાં આ સમસ્યા પ્રત્યે ગંભીરતા સેવાતી નથી. દેખાવમાં, બુદ્ધિમત્તામાં અને કાર્યદક્ષતામાં સાવ નાના બાબલા જેવા મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલના કાર્યકાળમાં તો આ સમસ્યા ઓર વકરી છે. જ્યાં સુધી એકાદ મોટા નેતા કે મોટા અધિકારીને કોઈ જાંબાઝ ખૂંટિયો ઢિંકે નહીં ચડાવે ત્યાં સુધી આ સમસ્યા દૂર થવાની નથી.

(૪)  હામું હું જોવસ? કેમ એલા કાતર મારસ?

આ રાજકોટવાસીઓનો રાષ્ટ્રીય ડાયલોગ છે. કોઈની સામે જુઓ કે તીરછી નજરે જુઓ તો એ અહીં 302 જેવો ગંભીર ગુનો ગણાય છે. રાજકોટનો સરેરાશ લુખ્ખેશ યુવાન દરરોજ સવારે ઊઠીને ભગવાનને પ્રાર્થના કરે છે કે, “હે પ્રભુ! આજે ક્યાંક ડખ્ખાનો મેળ કરી દેજે !” એનાં જીવનનો સાર જ ડખ્ખો છે. શહેરનો દરેક લુખ્ખેશ પાછો છેડાં ધરાવતો હોય છે. બપોરે બે વાગ્યે ઊઠીને ૪ વાગ્યે જ્યારે એ બાબરી પાડીને નીકળે ત્યારે બે-ચાર પાગીયા –  ભાગીયા એની ભેળા હોય. રોડ પર તેઓ હંમેશા રોંગ સાઈડમાં વાહન ચલાવે, સાચી સાઈડમાં આવતા લોકોમાંથી કોઈ ગુસ્સાથી તેમની સામે જુએ એટલે પેલો સ્ટાન્ડર્ડ ડાયલોગ આવે: “સામું હું જોવસ? કાતર કેમ મારસ?”

(૫)  ભલભલાને ભૂ પીવડાવતા ભૂમાફિયા

અગાઉ થયેલાં બે – ત્રણ અધિકૃત સર્વે મુજબ રાજકોટ એ દેશનું ‘લેન્ડ-સ્કેમ કેપિટલ’ છે સરળ ભાષામાં કહીએ તો જમીન કૌભાંડનું રાષ્ટ્રીય પાટનગર. અહીં શેરી દીઠ એકાદ જમીન કૌભાંડીયો મળી રહે તમને. પાનની દુકાને કોઈને પૂછો કે, તમે શું કરો છો? જવાબ બેમાંથી એક જ હોય:(૧) શેરબજારનું અથવા (૨) જમીન- મકાનનું! આ ‘જમીન -મકાન’નું એટલે ટૂંકમાં કહીએ તો કોઠા- કબાડા. અહીં ખાલી પ્લોટને ઘરની જુવાન દીકરીની જેમ સાચવવો પડે. થોડી ગફલત કરો તો ગાય-ભેંસ ત્યાં બંધાઈ જાય. નાનું ઝૂંપડું પણ બની જાય. થોડા દિવસ પછી ત્યાં લાઈટ -પાણીનું કનેક્શન પણ આવી ગયું હોય. પછી તમારી જ જમીન તમારે દબાણકર્તા મહાનુભાવ પાસેથી ખરીદવી પડે. અહીં એક જ જમીનનું સાટાખત અનેક લોકોને કરી આપવાની ફેશન છે. જમીન કૌભાંડોનો કોઈ પાર નથી. આખેઆખી સોસાયટીઓ ગેરકાયદે ઉભી થઇ ગઈ હોય એવા અગણિત ઉદાહરણો છે. સરકારી જમીન પણ પચાવી પાડવામાં આવી હોય તેવાં અનેક દાખલાઓ છે. શહેરને અમસ્તું જ ‘લેન્ડસ્કેમ કેપિટલ’ નથી કહેવાયું.

(૬) ઈઝી મની…. આઇ લવ ઇટ, હની!

વિશી હોય કે શેરબજાર, કોમોડિટી હોય કે બીટકોઈન કે પછી જમીન કે લોટરી… દરેક સટ્ટામાં રાજકોટ આગળ પડતું જ હોય. ‘ઈઝી મની’ અથવા ટૂંકા રસ્તે પૈસા કમાવાનું અપલખ્ખણ આ શહેરના ડી.એન.એ.માં છે. વીશીના અને લોટરીના વિષચક્રમાં અનેક હોમાઈ ગયા. શેરબજારમાં ઘણા ફના થઇ ગયા તો અનેક તરી ગયા. ડબ્બા ટ્રેડિંગમાં ઘણાંના ડબલાં ડૂલ થઇ ગયા અને કેટલાયની પેઢીઓ તરી ગઈ. કોમોડિટીનો સટ્ટો, બીટકોઈન વગેરે અહીં લેટેસ્ટ ટ્રેન્ડ છે. ક્રિકેટ પરનો સટ્ટો ઓલ ટાઇમ હિટ છે. આ મનોવૃત્તિએ રાજકોટની અનેક પેઢીના યુવાધનને યુવાધણ બનાવી દીધું, તેમનું ધનોત-પનોત કાઢી નાખ્યું. અઢાર – વીસ વર્ષના જુવાનિયાઓ પણ ડબ્બાના ચક્કરમાં હોમાઈ ગયા હોય એવા ઉદાહરણો સગી આંખે જોયા છે. ઈઝી મનીની લાહ્યમાં યુવાઓની  કારકિર્દી ખતમ થઇ જાય છે. સટ્ટા – જુગારમાં દસમાંથી એક- બે વ્યક્તિ કમાય છે અને સાત-આઠ પોતે બરબાદ થાય છે, પરિવારને પણ રઝળાવી દે છે.

(૭)  પ્રોફેશનલિઝમ? સર્વિસ? એ કઈ બલાનું નામ?

આફ્ટર સેલ સર્વિસ જેવું અહીં કશું નથી. બીફોર સેલ સર્વિસ પણ નથી. ‘માલ લેવો હોય તો લો, નહિતર ચાલતા થાઓ!’ આવું અહીંના સરેરાશ વેપારીઓનું વલણ છે. એ જ અહીં ચલણ છે. વેપારીઓની વાત જવા દો, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, મિસ્ત્રી વગેરે બધા જ લોકોમાં તમને ટણી જોવા મળે. મોટી કંપનીઓ પણ અહીં સાવ દેશી પદ્ધતિથી ચાલે છે. પ્રોફેશનલિઝમનો સદંતર અભાવ. મોટી કંપનીમાં ઘણી વખત ચાવીરૂપ પોઝીશન પર જે- તે વિષયના એક્સપર્ટની જરૂર હોય છે. પરંતુ કાઠીયાવાડી કંપનીઓમાં ઝાઝાભાગે આવા સ્થાન પર પણ મામા -માસીના દિકરાઓ કે ફોઇ -કાકાના લલ્લુ જેવા પુત્રરત્નો જ ગુડાયા હોય છે. આવા લોકો સ્લો- પોઈઝનની માફક કંપનીને એક દિવસ વૈકુંઠવાસી કરાવી નાંખે છે. વેપાર, સર્વિસ, કોર્પોરેટ… દરેક ક્ષેત્રે અહીં વ્યાવસાયિક અભિગમનો અભાવ છે. દેશી કોઠાસૂઝથી કંપનીઓ- વ્યાપાર ચલાવવાનો જમાનો હવે ગયો, હવે ગ્રાહકોને ભરપૂર સેવા આપવી પડે, નિષ્ણાંતોની સેવાઓ લેવી પડે. આ વાત હજુ નહીં સમજાય તો બધો જ વેપાર એમેઝોન -ફ્લિપકાર્ટ હડપી જશે.

You Might Also Like

હવે નાગરિકોને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન

35 હજાર મુસાફરને રઝળપાટ

રાજકોટમાં વેંચાતા મોટાભાગના મિનરલ વોટર પીવાલાયક નથી !

સેનાના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રા નીકળી

ફ્લિપકાર્ટના ડિલિવરી બોયે 3.76 લાખના 32 મોબાઇલ ચોરી લીધા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરનું ફૂડ જ છે ઉત્તમ ઔષધ!
Next Article માણાવદરના મહિલા પ્રમુખે ધસમસતા પાણીમાં ઊતરી તણાઈ રહેલી ગાયને બહાર કાઢી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની આવક મર્યાદા વધારીને રૂ. એક લાખ કરાઇ
હવે નાગરિકોને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન
35 હજાર મુસાફરને રઝળપાટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

હવે નાગરિકોને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

35 હજાર મુસાફરને રઝળપાટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટમાં વેંચાતા મોટાભાગના મિનરલ વોટર પીવાલાયક નથી !

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?