જૂનાગઢ ભવનાથ પારસધામ ખાતે પર્યુષણ પર્વના દિવસોમાં રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજ ની ઉપસ્થિતિમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નમ્રમુની મહારાજે રાષ્ટ્રધર્મ નિભાવનો સંદેશ આપ્યો હતો અને આ પર્યુષણ પર્વ નિમિતે સ્થાનિક શ્રાવકો ઉપરાંત દેશ વિદેશના શ્રાવકો ઓનલાઇન જોડાયા હતા જેમાં પાંચ કરોડ નવકાર મહામંત્રનો ઉદઘોસ થતા સમગ્ર વાતાવરણ ભક્તિ મય બન્યું હતું જયારે પારસધામ ખાતે રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજે જણાવ્યું હતું કે સ્વાર્થ ત્યજીને રાષ્ટ્રધર્મ નિભાવીને ખરા અર્થમાં વારસદાર બનવા ભાવપૂર્ણ આહવાન કર્યું હતું આ પ્રસંગે દેશભક્તિ ના સંવેદના સભર સૂરોથી રાષ્ટ્ર ગૌરવ જળવાના નાદથી સર્વત્ર દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું