૪૧ વર્ષોથી શોભાયાત્રા યોજાઇ છે આ વર્ષે ૪ સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા રાજકોટના માર્ગો પર નિકળશે : માવજીભાઇ ડોડીયા
શોભાયાત્રા માટે બેઠક યોજાઇ, વિવિધ પારંપરીક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો અંગે ચર્ચા કરાઇ
- Advertisement -
નાના મોટા ટ્રક અને અન્ય વાહનોની સંપૂર્ણપણે વ્યવસ્થા હસુભાઈ ભગદેવ અને શાંતુંભાઈ રૂપારેલીયા દ્વારા કરવામાં આવશે
શોભાયાત્રા સાથે ગોપી કિશન સ્પર્ધા, ભવ્ય લોક ડાયરો, કાન ગોપી રાસ મંડળ દ્વારા સંસ્ક્રુતીક કાર્યક્રમો યોજાશે
વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ જન્માષ્ટમીએ હોવાથી દેશભરમા કાર્યકર્તાઓ દ્વારા ખુબ જ ઉત્સાહભેર ઉજવવામા આવે છે અને આ ઉત્સવ દ્વારા સમાજના તમામ વર્ગોના લોકોને સાથે જોડવાનો નમ્ર પ્રયાસ કરવામા આવે છે. જન્માષ્ટમી એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતા દ્વારા દુનિયાને કર્મયોગ અને નિષ્કામ ભક્તિનો સંદેશ આપ્યો છે, જે આજે પણ સમસ્ત માનવજાતને સાચો રાહ બતાવે છે.
- Advertisement -
વિશ્વ હિંદુ પરિષદ – રાજકોટ મહાનગર દ્વારા તાજેતરમા જન્માષ્ટમી મહોસ્તવની પૂર્વ તૈયારીઓ માટે પ્રાંત કાર્યાલયે બેઠક યોજવામા આવી હતી. જેમા સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો મહોલ સર્જવા તેમજ મહોત્સવને સફળ બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ માર્ગદર્શક સમિતિની રચના કરવામાં આવી છે. માર્ગદર્શક સમિતિમાં માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા વગેરેની વરણી કરવામાં આવી છે. રાજકોટમા છેલ્લા ૪૧ વર્ષોથી જન્માષ્ટમી શોભાયાત્રાનુ આયોજન કરવામા આવે છે તેમ આ વર્ષે પણ ૪ સપ્ટેમ્બરના રોજ “શ્રી ક્રુષ્ણ કનૈયા લાલ કી જય” ના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા રાજકોટના ઐતીહાસીક માર્ગો પર નિકળશે તેમ માર્ગદર્શક સમીતીના માવજીભાઇ ડોડીયાએ જણાવ્યુ હતુ. “જન્માષ્ટમી મહોત્સવ સમીતી – ૨૦૨૬” ની રુપરેખા અને નિમણુકો આગામી બેઠકમા કરવામા આવશે તેમ નરેંદ્રભાઇ દવે એ જણાવ્યુ હતુ. ઉપરાંત સમીતી ભુપતભાઇ ગોવાણી અને વનરાજભાઇ ગરૈયાના કહેવા મુજબ દર વર્ષની જેમ શોભાયાત્રા, ગોપી કિશન સ્પર્ધા, ભવ્ય લોક ડાયરો, કાન ગોપી રાસ મંડળ દ્વારા સંસ્ક્રુતીક કાર્યક્રમો ઉપરાંત અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે. અનેક વિધ આયોજનો દ્વારા સમાજના તમામ વર્ગના લોકો, સંતો, મહંતો, ધર્માચાર્યો, ઉપરાંત ધાર્મીક, સામાજીક, શૈક્ષણીક અને વ્યવસાયીક સંગઠનો અને સેવાકીય મંડળો ઉપરાંત શહેરના જન જન ને તમામ આયોજનોમા જોડવાના પ્રયાસો કરવામા આવશે તેમ માર્ગદર્શક સમીતીના તમામ સભ્યો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. આ તકે શાંતુંભાઈ રૂપારેલીયા અને હસુભાઈ ભગદેવએ ફ્લોટ્સ માટે નાના મોટા ટ્રક અને અન્ય વાહનો જેટલા જોઈ તેની સંપૂર્ણપણે વ્યવસ્થા કરી આપવાની ખાત્રી આપી હતી.
માર્ગદર્શક સમીતીના હસુભાઇ ચંદારાણા અને અશોકભાઇ મકવાણાએ વધુમા જણાવ્યુ હતુ કે જન્માષ્ટમી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભાવિ પેઢીઓને સંસ્કાર આપતો, સમાજમાં એકતા અને બંધુત્વ પેદા કરતો ઉત્સવ છે. આથી, મહોત્સવને વધુ ઉજ્જવળ બનાવવા માટે સમાજના તમામ વર્ગોના પ્રતિનિધિઓની સક્રિય યોગદાન અને સહકારથી તમામ આયોજનો યોજવામા આવશે. જન્માષ્ટમી મહોત્સવમાં ભાવિકો માટે આરતી, ભજન, સંતોનો આશીર્વાદ, કથા, મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમો ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના સ્મરણથી જીવનમાં સદગુણો અને સકારાત્મકતા પ્રેરણા આપે તે હેતુથી આયોજન આવનાર છે તેમ સમીતીના નિતિશભાઇ કથીરીયાએ જણાવ્યુ હતુ. વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા મહોત્સવને સફળ બનાવવા માટે માર્ગદર્શન સમિતિના આગેવાનોનો અમૂલ્ય સહકાર અને માર્ગદર્શન પ્રાપ્ત થશે તેવા વિશ્વાસ સાથે જન્માષ્ટમીની શોભાયાત્રા પણ ભવ્ય અને ઐતીહાસીક રહેશે અને શહેરના સૌ ધર્મપ્રેમી ભાવિકોને આ જન્માષ્ટમી મહોત્સવ નિમિતે યોજાતા તમામ કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારવા આને જોડાવા માટે માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.




