By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    17 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    17 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    17 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    17 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
રાજકોટ

આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી

Khaskhabar Editor
Last updated: 2025/10/31 at 5:57 PM
Khaskhabar Editor 10 months ago
Share
6 Min Read
SHARE

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના 73માં સ્થાપના દિન અવસરે ડો. વિશાલ ભાદાણીનું ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ વક્તવ્ય યોજાયું હતું અને તેમાં બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે સ્થાપના દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે બેંકનો અમૃત મહોત્સવ નજીકના વર્ષોમાં આવી રહ્યો છે. જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે અને આ આપણી બેંકની વિશેષતા છે. આપણી બેંકનો અમૃત મહોત્સવ પણ કંઈક વિશેષ હશે. આપણે સહુ અત્યારથી જ વિચાર કરીએ કે બેંકના અમૃત મહોત્સવની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? અને આ ઉજવણી એવી હોવી જોઈએ કે શતાબ્દી ઉત્સવ વખતે તેનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે. બેંકિંગની વાત કરીએ તો આપણી બેંક અત્યારે ટોપ પાંચ બેંકોમાં આવીએ છીએ. આપણે એવું શું કરીએ કે ટોપ-ત્રણમાં આવી શકીએ? હવેની હરિફાઈ ઘણી જ કઠિન રહેવાની છે. હજુ વધુ આગળ વધવા માટે આપણો વ્યવહાર ખૂબ જ મહત્ત્વનો છે. ખાતેદાર બેંકમાં આવે ત્યારે તેને મજા આવવી જોઈએ. તેનું કામ થશે અને જો તે ખુશ થશે તો બીજી વખત અવશ્ય આવશે. આ બધું જ સફળતાથી કરવા માટે એક વસ્તુ મહત્ત્વની છે આપણી પોતાની પ્રબળ ઈચ્છાશક્તિ. એક સૂત્ર છે, ‘નાગરિક બેંક આપણી બેંક.’

આપણી બેંક પ્રત્યે આ ભાવ અને વિશ્ર્વાસ મનમાં ઉભો થશે ત્યારે કોઈપણ વસ્તુ આપણને રોકી નહીં શકે. આપણી બેંક એક પરિવાર છે. પરિવાર કોને કહેવાય? પરિવારના સભ્યો એકબીજાની ચિંતા કરતા હોય, હુંફ આપતા હોય, ટેકો બનીને પડખે ઉભા રહેતા હોય ત્યારે પરિવાર બને છે. લોકભારતી યુનિવર્સિટી- સણોસરાના પ્રો. વાઈસ ચાન્સેલર ડો. વિશાલભાઈ ભાદાણીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે એક સૂત્ર કહેવાયું, નાગરિક બેંક આપણી બેંક. સહકાર આપવો એટલે શું? માધ્યમ બનવું, મોટા નહીં. રાજકોટ નાગરિક સહકારી બેંકનો કોઈપણ કર્મચારી પોતાનો પરિચય આપતી વખતે પોતાના નામની પહેલાં એટલું કહે કે હું રાજકોટ નાગરિક સહકારી બેંકનો કર્મચારી છું. આપણે છીએ, એટલે હું છું. વ્યક્તિઓ તો આવે ને જાય. પરંતુ સંસ્થાના મૂલ્યો શિરોમાન્ય હોય. સંસ્થાની વિચારધારાને અગ્રતાક્રમ આપીએ, તેને શિરોમાન્ય મૂલ્ય કહેવાય.

- Advertisement -

જ્યાં સુધી આપણા સહુના મનમાં અન્યને મદદ કરવી એવો ભાવ છે, ત્યાં સુધી વાંધો નથી. જે સંસ્થામાં મદદ માંગી શકાતી હોય ત્યાં પારદર્શી વહિવટ છે તેમ કહેવાય. વિશ્ર્વની પહેલી બેંકમાં જે થાપણ મૂકાઈ હશે તે પૈસાની નહીં વિશ્ર્વાસની હશે. અહીં જનવિશ્ર્વાસની આરાધના સૂત્ર એ જ દર્શાવે છે.
નાગરિક બેંક આપણી બેંક, એવો ભાવ ક્યારે આવે, બેંકના દરેક કર્મચારી કે પદાધિકારી એકબીજાને સર કે મેડમ નહીં, ભાઈ કે બહેન તરીકે સંબોધે. આ બેંકના મૂળમાં ભારતીય દર્શન છે. બેંક જો આ પહેલ કરશે તો નવી કેડી કંડારાશે. આ એક માનવીય સંબંધો છે. આ ત્યારે જ શક્ય બને કે દિલની ડીલ થાય. પરિવાર એટલે જેની ભાષામાં ભાવ હોય, ઓર્ડર નહીં. ભરોસો જ ભવ્યતા છે. હંમેશા મૂલ્યોનું જતન કરવું. જ્યારે આપણે નાના-નાના નિર્ણયો લેવા માટે કર્મચારીને પ્રોત્સાહન આપતાં નથી ત્યારે તે સંસ્થા તે કર્મચારીને પોતાની ક્યાંથી લાગે? સ્વતંત્ર નિર્ણય શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. જો આવું હોય ત્યારે સંસ્થા ઉપર કંઈપણ મુસીબત આવે તો બધા જ કર્મચારી તેની સાથે ઉભા રહે છે. નાગરિક બેંક એવી પહેલ કરે કે સામાન્ય લોકોની આર્થિક વ્યવસ્થા જાળવવામાં મદદ કરે. આપણી હરિફાઈ કોઈ સાથે નહીં, પરંતુ મોટા ઉદ્દેશને સાકાર કરવા માટે છે.

બેંકના જનરલ મેનેજર વિનોદકુમાર શર્માએ હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે આપણી બેંકની ઓળખ ‘નાના માણસની મોટી બેંક’ તરીકેની છે. આજના દિવસે આપણને એક તક મળે છે કે બેંક અત્યાર સુધીની યાત્રાને યાદ કરીને આગળની યાત્રા વધુ ને વધુ સરળ અને સફળ કેમ બનાવવી, આપણી સંસ્થા ફકત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા જ નથી પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતિક છે. ફકત 59 સભાસદોથી શરૂ થયેલી આપણી સંસ્થા આજે 3.50 લાખથી પણ વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવે છે. અન્ય મોટી સરકારી કે ખાનગી બેંકોની સરખામણીમાં આપણે માનવીય સ્પર્શ વધુ સારો જાળવી શક્યા છીએ. આપણા ખાતેદારને આપણે વધુ સારી રીતે સેવા આપી શકીએ ત્યારે તેને થશે કે આ બેંક બીજા કરતાં અલગ અને વધુ સારી છે. આપણી વાતો ભૂલી શકાય છે, આપણા કાર્યો પણ ભૂલી શકાય છે પરંતુ આપણી વર્તણુંક ક્યારેય પણ ભૂલી શકાતી નથી. આજના હરિફાઈના યુગમાં આ જ આપણી શક્તિ છે. આજના દિવસે આપણે એક નિયમ લઈએ કે સેવા આપણી ઓળખ રહેશે. પ્રામાણિકતા આપણી શક્તિ રહેશે અને સમાજ પ્રત્યેનું સમર્પણ આપણી પરંપરા રહેશે.

આ કાર્યક્રમમાં ડો. વિશાલભાઈ ભાદાણી ઉપરાંત બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી હસમુખભાઈ ચંદારાણા, વિક્રમસિંહ પરમાર, બ્રિજેશભાઈ મલકાણ, ચિરાગભાઈ રાજકોટીયા, દીપકભાઈ બકરાણીયા, હસમુખભાઈ હીંડોચા, લલિતભાઈ વોરા, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર- સીઈઓ), બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી સતીષજી ઉતેકર (ચેરમેન), કાર્તિકેયભાઈ પારેખ (વાઈસ ચેરમેન), જીમ્મીભાઈ દક્ષીણી, હંસરાજભાઈ ગજેરા, અર્જુનભાઈ શિંગાળા, દીપકભાઈ મકવાણા, રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ શ્રી ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો હતો. આભારદર્શન હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.

જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે: દિનેશભાઈ પાઠક
આપણી સંસ્થા ફક્ત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા નથી, પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતીક છે: વિનોદકુમાર શર્મા

You Might Also Like

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી
Next Article રાજુલા 72 ગામનાં સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?