By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    15 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    15 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    15 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    15 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    17 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    17 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
રાજકોટ

આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી

Khaskhabar Editor
Last updated: 2025/10/31 at 5:57 PM
Khaskhabar Editor 6 months ago
Share
6 Min Read
SHARE

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના 73માં સ્થાપના દિન અવસરે ડો. વિશાલ ભાદાણીનું ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ વક્તવ્ય યોજાયું હતું અને તેમાં બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે સ્થાપના દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે બેંકનો અમૃત મહોત્સવ નજીકના વર્ષોમાં આવી રહ્યો છે. જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે અને આ આપણી બેંકની વિશેષતા છે. આપણી બેંકનો અમૃત મહોત્સવ પણ કંઈક વિશેષ હશે. આપણે સહુ અત્યારથી જ વિચાર કરીએ કે બેંકના અમૃત મહોત્સવની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? અને આ ઉજવણી એવી હોવી જોઈએ કે શતાબ્દી ઉત્સવ વખતે તેનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે. બેંકિંગની વાત કરીએ તો આપણી બેંક અત્યારે ટોપ પાંચ બેંકોમાં આવીએ છીએ. આપણે એવું શું કરીએ કે ટોપ-ત્રણમાં આવી શકીએ? હવેની હરિફાઈ ઘણી જ કઠિન રહેવાની છે. હજુ વધુ આગળ વધવા માટે આપણો વ્યવહાર ખૂબ જ મહત્ત્વનો છે. ખાતેદાર બેંકમાં આવે ત્યારે તેને મજા આવવી જોઈએ. તેનું કામ થશે અને જો તે ખુશ થશે તો બીજી વખત અવશ્ય આવશે. આ બધું જ સફળતાથી કરવા માટે એક વસ્તુ મહત્ત્વની છે આપણી પોતાની પ્રબળ ઈચ્છાશક્તિ. એક સૂત્ર છે, ‘નાગરિક બેંક આપણી બેંક.’

આપણી બેંક પ્રત્યે આ ભાવ અને વિશ્ર્વાસ મનમાં ઉભો થશે ત્યારે કોઈપણ વસ્તુ આપણને રોકી નહીં શકે. આપણી બેંક એક પરિવાર છે. પરિવાર કોને કહેવાય? પરિવારના સભ્યો એકબીજાની ચિંતા કરતા હોય, હુંફ આપતા હોય, ટેકો બનીને પડખે ઉભા રહેતા હોય ત્યારે પરિવાર બને છે. લોકભારતી યુનિવર્સિટી- સણોસરાના પ્રો. વાઈસ ચાન્સેલર ડો. વિશાલભાઈ ભાદાણીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે એક સૂત્ર કહેવાયું, નાગરિક બેંક આપણી બેંક. સહકાર આપવો એટલે શું? માધ્યમ બનવું, મોટા નહીં. રાજકોટ નાગરિક સહકારી બેંકનો કોઈપણ કર્મચારી પોતાનો પરિચય આપતી વખતે પોતાના નામની પહેલાં એટલું કહે કે હું રાજકોટ નાગરિક સહકારી બેંકનો કર્મચારી છું. આપણે છીએ, એટલે હું છું. વ્યક્તિઓ તો આવે ને જાય. પરંતુ સંસ્થાના મૂલ્યો શિરોમાન્ય હોય. સંસ્થાની વિચારધારાને અગ્રતાક્રમ આપીએ, તેને શિરોમાન્ય મૂલ્ય કહેવાય.

- Advertisement -

જ્યાં સુધી આપણા સહુના મનમાં અન્યને મદદ કરવી એવો ભાવ છે, ત્યાં સુધી વાંધો નથી. જે સંસ્થામાં મદદ માંગી શકાતી હોય ત્યાં પારદર્શી વહિવટ છે તેમ કહેવાય. વિશ્ર્વની પહેલી બેંકમાં જે થાપણ મૂકાઈ હશે તે પૈસાની નહીં વિશ્ર્વાસની હશે. અહીં જનવિશ્ર્વાસની આરાધના સૂત્ર એ જ દર્શાવે છે.
નાગરિક બેંક આપણી બેંક, એવો ભાવ ક્યારે આવે, બેંકના દરેક કર્મચારી કે પદાધિકારી એકબીજાને સર કે મેડમ નહીં, ભાઈ કે બહેન તરીકે સંબોધે. આ બેંકના મૂળમાં ભારતીય દર્શન છે. બેંક જો આ પહેલ કરશે તો નવી કેડી કંડારાશે. આ એક માનવીય સંબંધો છે. આ ત્યારે જ શક્ય બને કે દિલની ડીલ થાય. પરિવાર એટલે જેની ભાષામાં ભાવ હોય, ઓર્ડર નહીં. ભરોસો જ ભવ્યતા છે. હંમેશા મૂલ્યોનું જતન કરવું. જ્યારે આપણે નાના-નાના નિર્ણયો લેવા માટે કર્મચારીને પ્રોત્સાહન આપતાં નથી ત્યારે તે સંસ્થા તે કર્મચારીને પોતાની ક્યાંથી લાગે? સ્વતંત્ર નિર્ણય શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. જો આવું હોય ત્યારે સંસ્થા ઉપર કંઈપણ મુસીબત આવે તો બધા જ કર્મચારી તેની સાથે ઉભા રહે છે. નાગરિક બેંક એવી પહેલ કરે કે સામાન્ય લોકોની આર્થિક વ્યવસ્થા જાળવવામાં મદદ કરે. આપણી હરિફાઈ કોઈ સાથે નહીં, પરંતુ મોટા ઉદ્દેશને સાકાર કરવા માટે છે.

બેંકના જનરલ મેનેજર વિનોદકુમાર શર્માએ હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે આપણી બેંકની ઓળખ ‘નાના માણસની મોટી બેંક’ તરીકેની છે. આજના દિવસે આપણને એક તક મળે છે કે બેંક અત્યાર સુધીની યાત્રાને યાદ કરીને આગળની યાત્રા વધુ ને વધુ સરળ અને સફળ કેમ બનાવવી, આપણી સંસ્થા ફકત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા જ નથી પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતિક છે. ફકત 59 સભાસદોથી શરૂ થયેલી આપણી સંસ્થા આજે 3.50 લાખથી પણ વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવે છે. અન્ય મોટી સરકારી કે ખાનગી બેંકોની સરખામણીમાં આપણે માનવીય સ્પર્શ વધુ સારો જાળવી શક્યા છીએ. આપણા ખાતેદારને આપણે વધુ સારી રીતે સેવા આપી શકીએ ત્યારે તેને થશે કે આ બેંક બીજા કરતાં અલગ અને વધુ સારી છે. આપણી વાતો ભૂલી શકાય છે, આપણા કાર્યો પણ ભૂલી શકાય છે પરંતુ આપણી વર્તણુંક ક્યારેય પણ ભૂલી શકાતી નથી. આજના હરિફાઈના યુગમાં આ જ આપણી શક્તિ છે. આજના દિવસે આપણે એક નિયમ લઈએ કે સેવા આપણી ઓળખ રહેશે. પ્રામાણિકતા આપણી શક્તિ રહેશે અને સમાજ પ્રત્યેનું સમર્પણ આપણી પરંપરા રહેશે.

આ કાર્યક્રમમાં ડો. વિશાલભાઈ ભાદાણી ઉપરાંત બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી હસમુખભાઈ ચંદારાણા, વિક્રમસિંહ પરમાર, બ્રિજેશભાઈ મલકાણ, ચિરાગભાઈ રાજકોટીયા, દીપકભાઈ બકરાણીયા, હસમુખભાઈ હીંડોચા, લલિતભાઈ વોરા, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર- સીઈઓ), બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી સતીષજી ઉતેકર (ચેરમેન), કાર્તિકેયભાઈ પારેખ (વાઈસ ચેરમેન), જીમ્મીભાઈ દક્ષીણી, હંસરાજભાઈ ગજેરા, અર્જુનભાઈ શિંગાળા, દીપકભાઈ મકવાણા, રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ શ્રી ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો હતો. આભારદર્શન હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.

જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે: દિનેશભાઈ પાઠક
આપણી સંસ્થા ફક્ત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા નથી, પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતીક છે: વિનોદકુમાર શર્મા

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી
Next Article રાજુલા 72 ગામનાં સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?