By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    30 વર્ષ જૂના અણુ પરીક્ષણ પરનો પ્રતિબંધ દૂર કરતા ટ્રમ્પ
    1 day ago
    ચીન અને અમેરિકા વચ્ચે એરપોર્ટ પર થયો વેપાર કરાર
    1 day ago
    મ્યાનમારના સ્કેમ સેન્ટરોમાંથી ભાગી આવેલા 500 ભારતીયોને થાઇલેન્ડથી પરત લાવશે ભારત સરકાર
    1 day ago
    ચીન: સોશિયલ મીડિયા પર સલાહ આપતા ઈન્ફ્લુએન્સર્સ પાસે હવે ડિગ્રી હોવી ફરજીયાત
    1 day ago
    બ્રાઝિલનું સૌથી ભયંકર પોલીસ ઓપરેશન: રિયોમાં ફોજદારી ગેંગ રેડ કમાન્ડ પર ક્રેકડાઉનમાં મૃત્યુઆંક વધીને 132 થયો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતને મોટી રાહત: અમેરિકાએ ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી
    1 hour ago
    મુખ્ય સચિવોએ રખડતા કૂતરાઓના કેસમાં હાજર રહેવું જોઈએ: સુપ્રીમ કોર્ટ
    4 hours ago
    ભારતમાં 12 વર્ષમાં પ્રદૂષણના કારણે મોતમાં 38 ટકાનો વધારો : રિપોર્ટ
    1 day ago
    વાવાઝોડું મોન્થા ઠંડું પડ્યું, પરંતુ અસર યુપી-બિહાર સુધી
    1 day ago
    તેજસ્વીના સમર્થકોએ તેજ પ્રતાપને ભગાડ્યો, પથ્થરમારો કર્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો
    4 hours ago
    રોહિત શર્મા સૌથી વયોવૃદ્ધ નંબર 1 ODI બેટ્સમેન બન્યો
    1 day ago
    17 વર્ષના ક્રિકેટર બેન ઑસ્ટિનને માથામાં બોલ વાગતા મોત થયું
    1 day ago
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    4 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સંસાર છોડી આ ટીવી અભિનેત્રી સંન્યાસ ધારણ કરી, ભિક્ષા માંગી જીવન ગુજારે છે
    3 hours ago
    અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા રૂપેરી પડદે નજર આવ્યો
    1 day ago
    દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી અને મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ પણ ન હોતો કર્યા: મમતા કુલકર્ણી
    1 day ago
    શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?
    2 days ago
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 days ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 hour ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 days ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
રાજકોટ

આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી

Khaskhabar Editor
Last updated: 2025/10/31 at 5:57 PM
Khaskhabar Editor 22 minutes ago
Share
6 Min Read
SHARE

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના 73માં સ્થાપના દિન અવસરે ડો. વિશાલ ભાદાણીનું ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ વક્તવ્ય યોજાયું હતું અને તેમાં બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે સ્થાપના દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે બેંકનો અમૃત મહોત્સવ નજીકના વર્ષોમાં આવી રહ્યો છે. જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે અને આ આપણી બેંકની વિશેષતા છે. આપણી બેંકનો અમૃત મહોત્સવ પણ કંઈક વિશેષ હશે. આપણે સહુ અત્યારથી જ વિચાર કરીએ કે બેંકના અમૃત મહોત્સવની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? અને આ ઉજવણી એવી હોવી જોઈએ કે શતાબ્દી ઉત્સવ વખતે તેનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે. બેંકિંગની વાત કરીએ તો આપણી બેંક અત્યારે ટોપ પાંચ બેંકોમાં આવીએ છીએ. આપણે એવું શું કરીએ કે ટોપ-ત્રણમાં આવી શકીએ? હવેની હરિફાઈ ઘણી જ કઠિન રહેવાની છે. હજુ વધુ આગળ વધવા માટે આપણો વ્યવહાર ખૂબ જ મહત્ત્વનો છે. ખાતેદાર બેંકમાં આવે ત્યારે તેને મજા આવવી જોઈએ. તેનું કામ થશે અને જો તે ખુશ થશે તો બીજી વખત અવશ્ય આવશે. આ બધું જ સફળતાથી કરવા માટે એક વસ્તુ મહત્ત્વની છે આપણી પોતાની પ્રબળ ઈચ્છાશક્તિ. એક સૂત્ર છે, ‘નાગરિક બેંક આપણી બેંક.’

આપણી બેંક પ્રત્યે આ ભાવ અને વિશ્ર્વાસ મનમાં ઉભો થશે ત્યારે કોઈપણ વસ્તુ આપણને રોકી નહીં શકે. આપણી બેંક એક પરિવાર છે. પરિવાર કોને કહેવાય? પરિવારના સભ્યો એકબીજાની ચિંતા કરતા હોય, હુંફ આપતા હોય, ટેકો બનીને પડખે ઉભા રહેતા હોય ત્યારે પરિવાર બને છે. લોકભારતી યુનિવર્સિટી- સણોસરાના પ્રો. વાઈસ ચાન્સેલર ડો. વિશાલભાઈ ભાદાણીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે એક સૂત્ર કહેવાયું, નાગરિક બેંક આપણી બેંક. સહકાર આપવો એટલે શું? માધ્યમ બનવું, મોટા નહીં. રાજકોટ નાગરિક સહકારી બેંકનો કોઈપણ કર્મચારી પોતાનો પરિચય આપતી વખતે પોતાના નામની પહેલાં એટલું કહે કે હું રાજકોટ નાગરિક સહકારી બેંકનો કર્મચારી છું. આપણે છીએ, એટલે હું છું. વ્યક્તિઓ તો આવે ને જાય. પરંતુ સંસ્થાના મૂલ્યો શિરોમાન્ય હોય. સંસ્થાની વિચારધારાને અગ્રતાક્રમ આપીએ, તેને શિરોમાન્ય મૂલ્ય કહેવાય.

- Advertisement -

જ્યાં સુધી આપણા સહુના મનમાં અન્યને મદદ કરવી એવો ભાવ છે, ત્યાં સુધી વાંધો નથી. જે સંસ્થામાં મદદ માંગી શકાતી હોય ત્યાં પારદર્શી વહિવટ છે તેમ કહેવાય. વિશ્ર્વની પહેલી બેંકમાં જે થાપણ મૂકાઈ હશે તે પૈસાની નહીં વિશ્ર્વાસની હશે. અહીં જનવિશ્ર્વાસની આરાધના સૂત્ર એ જ દર્શાવે છે.
નાગરિક બેંક આપણી બેંક, એવો ભાવ ક્યારે આવે, બેંકના દરેક કર્મચારી કે પદાધિકારી એકબીજાને સર કે મેડમ નહીં, ભાઈ કે બહેન તરીકે સંબોધે. આ બેંકના મૂળમાં ભારતીય દર્શન છે. બેંક જો આ પહેલ કરશે તો નવી કેડી કંડારાશે. આ એક માનવીય સંબંધો છે. આ ત્યારે જ શક્ય બને કે દિલની ડીલ થાય. પરિવાર એટલે જેની ભાષામાં ભાવ હોય, ઓર્ડર નહીં. ભરોસો જ ભવ્યતા છે. હંમેશા મૂલ્યોનું જતન કરવું. જ્યારે આપણે નાના-નાના નિર્ણયો લેવા માટે કર્મચારીને પ્રોત્સાહન આપતાં નથી ત્યારે તે સંસ્થા તે કર્મચારીને પોતાની ક્યાંથી લાગે? સ્વતંત્ર નિર્ણય શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. જો આવું હોય ત્યારે સંસ્થા ઉપર કંઈપણ મુસીબત આવે તો બધા જ કર્મચારી તેની સાથે ઉભા રહે છે. નાગરિક બેંક એવી પહેલ કરે કે સામાન્ય લોકોની આર્થિક વ્યવસ્થા જાળવવામાં મદદ કરે. આપણી હરિફાઈ કોઈ સાથે નહીં, પરંતુ મોટા ઉદ્દેશને સાકાર કરવા માટે છે.

બેંકના જનરલ મેનેજર વિનોદકુમાર શર્માએ હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે આપણી બેંકની ઓળખ ‘નાના માણસની મોટી બેંક’ તરીકેની છે. આજના દિવસે આપણને એક તક મળે છે કે બેંક અત્યાર સુધીની યાત્રાને યાદ કરીને આગળની યાત્રા વધુ ને વધુ સરળ અને સફળ કેમ બનાવવી, આપણી સંસ્થા ફકત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા જ નથી પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતિક છે. ફકત 59 સભાસદોથી શરૂ થયેલી આપણી સંસ્થા આજે 3.50 લાખથી પણ વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવે છે. અન્ય મોટી સરકારી કે ખાનગી બેંકોની સરખામણીમાં આપણે માનવીય સ્પર્શ વધુ સારો જાળવી શક્યા છીએ. આપણા ખાતેદારને આપણે વધુ સારી રીતે સેવા આપી શકીએ ત્યારે તેને થશે કે આ બેંક બીજા કરતાં અલગ અને વધુ સારી છે. આપણી વાતો ભૂલી શકાય છે, આપણા કાર્યો પણ ભૂલી શકાય છે પરંતુ આપણી વર્તણુંક ક્યારેય પણ ભૂલી શકાતી નથી. આજના હરિફાઈના યુગમાં આ જ આપણી શક્તિ છે. આજના દિવસે આપણે એક નિયમ લઈએ કે સેવા આપણી ઓળખ રહેશે. પ્રામાણિકતા આપણી શક્તિ રહેશે અને સમાજ પ્રત્યેનું સમર્પણ આપણી પરંપરા રહેશે.

આ કાર્યક્રમમાં ડો. વિશાલભાઈ ભાદાણી ઉપરાંત બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી હસમુખભાઈ ચંદારાણા, વિક્રમસિંહ પરમાર, બ્રિજેશભાઈ મલકાણ, ચિરાગભાઈ રાજકોટીયા, દીપકભાઈ બકરાણીયા, હસમુખભાઈ હીંડોચા, લલિતભાઈ વોરા, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર- સીઈઓ), બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી સતીષજી ઉતેકર (ચેરમેન), કાર્તિકેયભાઈ પારેખ (વાઈસ ચેરમેન), જીમ્મીભાઈ દક્ષીણી, હંસરાજભાઈ ગજેરા, અર્જુનભાઈ શિંગાળા, દીપકભાઈ મકવાણા, રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ શ્રી ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો હતો. આભારદર્શન હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.

જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે: દિનેશભાઈ પાઠક
આપણી સંસ્થા ફક્ત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા નથી, પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતીક છે: વિનોદકુમાર શર્મા

You Might Also Like

રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી: ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ

ગીરગંગા પરિવાર એક વર્ષમાં 151 તળાવ અને ચેકડેમનું કરશે નિર્માણ

CBSE ધો.10-12ની 17 ફેબ્રુ.થી પરીક્ષા: 110 દિવસ પૂર્વે ટાઈમટેબલ જાહેર

રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી

પેંડા અને મરઘાં ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા શરુ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી
Next Article રાજુલા 72 ગામનાં સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી: ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
ગીરગંગા પરિવાર એક વર્ષમાં 151 તળાવ અને ચેકડેમનું કરશે નિર્માણ
CBSE ધો.10-12ની 17 ફેબ્રુ.થી પરીક્ષા: 110 દિવસ પૂર્વે ટાઈમટેબલ જાહેર
રાજુલા 72 ગામનાં સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો
રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી
પેંડા અને મરઘાં ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા શરુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી: ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

ગીરગંગા પરિવાર એક વર્ષમાં 151 તળાવ અને ચેકડેમનું કરશે નિર્માણ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

CBSE ધો.10-12ની 17 ફેબ્રુ.થી પરીક્ષા: 110 દિવસ પૂર્વે ટાઈમટેબલ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?