રવિવારે D.H. કોલેજના ગ્રાઉન્ડમાં કુંવરજીભાઈ બાવળીયા, પરસોત્તમભાઈ સોલંકી અને ભૂપતભાઈ ડાભીની રક્તતુલા કરાશે
કોળી તથા સમસ્ત ઓબીસી સમાજના હિતાર્થે મહત્ત્વની જાહેરાત થશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત અને કોળી સેના ગુજરાતના પ્રવક્તા વિનોદભાઈ નાગાણીના જન્મદિવસ તા. 10 ડિસેમ્બર ને રવિવારે સવારે 8-30થી સાંજે 4 સુધી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ગ્રાઉન્ડ, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન બપોરે 11-30 કલાકે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહારક્તદાન થકી એકત્રિત થયેલા સેંકડો યુનિટ બ્લડથી કુંવરજીભાઈ બાવળીયા (પાણી પુરવઠા, જળ સંપત્તિ મંત્રી), પરસોત્તમભાઈ સોલંકી (મંત્રી, મત્સ્ય ઉદ્યોગ) અને ભૂપતભાઈ ડાભી (માજી ચેરમેન, કોળી ઠાકોર વિકાસ નિગમ)ની રક્તતુલા કરવામાં આવશે.
આ મહારક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન પ.પૂ. ગુરુજી (વિજયશાસ્ત્રીજી, ગજાનન આશ્રમ, માલસર), મહંત ઋષિભારતી (ભારતી આશ્રમ, સરખેજ), મહંત પ્રેમબાપુ (સતરંગ જગ્યા, જસદણ), મહંત વાલજી ભગત (કાળાસર જગ્યા), મહંત મોહનભગત (આણંદપર જગ્યા), મહંત કમલનાથબાપુ (વેલનાથ સમાધિ, ખડખડ)ના વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરશે.
આ અવસરે રામભાઈ મોકરીયા (સાંસદ રાજ્યસભા), કેસરીસિંહ ઝાલા (સાંસદ રાજ્યસભા), રમેશભાઈ ધડુક (સાંસદ પોરબંદર), ભાનુબેન બાબરીયા (કેબિનેટ મંત્રી), ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, કાળુભાઈ ડાભી (ધારાસભ્ય ધંધુકા), ઉમેશભાઈ મકવાણા (ધારાસભ્ય બોટાદ), શામજીભાઈ ચૌહાણ (ધારાસભ્ય ચોટીલા), જીતુભાઈ સોમાણી (ધારાસભ્ય વાંકાનેર), હિરાભાઈ સોલંકી (ધારાસભ્ય જાફરાબાદ), અલ્પેશભાઈ ઢોલરીયા (પ્રમુખ જિલ્લા ભાજપ), મુકેશભાઈ દોશી (પ્રમુખ રાજકોટ શહેર ભાજપ), ગોવિંદભાઈ પટેલ (માજીમંત્રી), ચેતનભાઈ રામાણી (આગેવાન ભાજપ), ડી. પી. મકવાણા (આગેવાન કોળી સમાજ), હેમલબેન વ્યાસ (પ્રિન્સિપાલ, ડી.એચ. કોલેજ), પ્રો. પુંજાણી (ડી.એચ. કોલેજ), પ્રો. ભારદ્વાજ (ડી.એચ. કોલેજ), નટુભાઈ કુંવરીયા (આગેવાન કોળી સમાજ), કે. એફ. બલોળીયા (એસ.પી. બોટાદ) સહિતના મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેશે. આ અવસરે કોળી સમાજ સહિત સમસ્ત ઓબીસી સમાજને સંબંધિત એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવનાર છે. જે મુજબ કોળી સમાજના કુળદેવી મા ચામુંડા તથા કોળી સમાજના આરાધ્યદેવ શ્રી વીર માંધાતાજીના આશીર્વાદથી એક રથયાત્રા આવનારા દિવસોમાં રાજ્યના એવા જિલ્લા- તાલુકાઓમાં ફરી વળશે જ્યાં કોળી સમાજની બહુસંખ્યક વસ્તી હોય. રાજ્યના તમામ તાલુકા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના છેવાડે સામાજિક ઉત્થાનનું કાર્ય કરનાર, વિવિધ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કરનાર કોળી સમાજના શ્રેષ્ઠ રત્નોને શોધી તેમની પ્રતિભા અને કાર્યોને બિરદાવવાનો આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ રહેશે.
વિનોદભાઈ નાગાણીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત રથયાત્રા સમાજ શ્રેષ્ઠીઓને શોધી-શોધીને તેમની પ્રતિભાનો લાભ એકાદ વિસ્તાર પૂરતો સિમિત ન રહેતાં વ્યાપકપણે તેમની પ્રતિભા-સેવાનો લાભ મળશે. આવા તમામ સમાજ શ્રેષ્ઠીઓના સાનિધ્યમાં કોઈ એક ગામમાં સમાજનું મહાસંમેલન કરવામાં આવશે. આ સમારોહ કોળી સમાજ સહિત સમસ્ત ઓબીસી માટે પ્રેરણાદાયી બનશે અને સમાજ વધુ સંગઠીત બનશે.
રવિવારે ડી. એચ. કોલેજના ગ્રાઉન્ડમાં આયોજિત મહારક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા માટે વિનોદભાઈ નાગાણીએ કોળી સમાજ સહિત અન્ય તમામ સમાજના લોકોને જાહેર અપીલ કરી છે. ઉક્ત રક્તદાન કેમ્પ અને રક્તતુલા કાર્યક્રમ સંબંધિત કોઈપણ વિશેષ માહિતી માટે મો. 9714080194નો સંપર્ક કરવા તેઓએ જણાવ્યું છે.
આ પ્રસંગે ‘ખાસ-ખબર’ની મુલાકાતે સર્વેશ્રી વિનોદભાઈ નાગાણી, હિરેનભાઈ ડાભી, મુકેશભાઈ મેર, વલ્લભભાઈ પરમાર, મયુરભાઈ પરનાળિયા, મયુરભાઈ વજકાણી, કેતનભાઈ કુમરખાણીયા, દેવાંગભાઈ કુકાવા, રાજુભાઈ શાપરા, પ્રવિણભાઈ બાવળીયા, ગોરધનભાઈ ચૌહાણ, કૈલાસભાઈ વાછીયા, મયુરભાઈ નાગાણી વગેરે
આવ્યા હતા.