ચાર રાજયોમાં 22 ઠેકાણા ફેરવ્યા પણ તે સતત ‘વોચ’ હેઠળ હતો: પત્ની-પરિવાર દબાણ આવતા ખાલીસ્તાની સમર્થક ઢીલો પડી ગયો
પંજાબમાં ફરી એક વખત ખાલીસ્તાની ચળવળ જીવંત કરવાના પ્રયાસ કરવા માટે ભીંદરેવાલે સ્ટાઈલ અપનાવનાર અમૃતપાલ સિંહને ઝડપીને ફકત અલગતાવાદી જ નહી પાકિસ્તાનની ચાલ પણ ઉંધી વળી ગઈ છે. અમૃતપાલસિંહ નાસી છુટયા બાદ તેણે પંજાબ, હરિયાણા, ઉતરાખંડ અને દિલ્હીની સરહદોની આસપાસ જ રહેલા એક બાદ એક ગુરુવારામાં આશરો લીધો હતો અને 36 દિવસમાં 22 ઠેકાણા બદલાયા હતા. છેક સમયે પંજાબ પોલીસ તથા કેન્દ્રનું ગુપ્તચર વિભાગ તેનો ઓછો કરતું હતું અને અંતે તેને શરણે લાવવા માટે
- Advertisement -
જે તેના પરિવાર પર દબાણ લવાયું તે સફળ રહ્યું હતું. અમૃતપાલસિંહના પત્ની જે બ્રિટીશ નાગરિક છે તે ભારત છોડવા માટે રવાના થયા પણ તેમને અમૃતસર વિમાની મથક જ રોકી દેવાઈ જેથી અમૃતપાલને માટે ભારત છોડવાનો વિકલ્પ પણ બંધ કરી દેવાયો તે ફરી નેપાળના માર્ગે દુબઈ જવા માંગતો હતો પણ તેની દરેક ચાલ ઉંધી વાળવામાં આવી અને પછી શરણે થવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતા. હવે તેને પંજાબથી 2400 કિમી દુર આસામની દિબુગઢ જેલમાં ખસેડાયા છે અને તપાસનો દૌર કેન્દ્રીય એજન્સીઓ સંભાળી લેશે.
વાસ્તવમાં અમૃતપાલસિંહના પાકની જાસૂસી એજન્સી આઈએસઆઈ એક પ્યાદા તરીકે ઉપયોગ કરીને પંજાબમાં અશાંતિ ફેલાવવા માંગતી હતી અને તેને તબકકાવાર ભિંદરેવાલે જેવી સ્થિતિમાં લાવવા માટે ભંડોળ અને શસ્ત્રોની પણ ખાતરી આપવામાં આવી હતી. પંજાબના યુવકોને ફરી પાકમાં તાલીમ આપવા સહિતના આયોજનો હતો પણ અમૃતપાલસિંહ એક ક્રિમીનલથી વધુ આગળ જઈ શકે તેમ ન હતો. પંજાબમાં તેને મર્યાદીત ટેકો હતો અને તે પણ તેનાથી છૂટતા તેના સાથીઓ પણ દુર રહ્યા હતા.