રાજકોટ મહાપાલિકા દ્વારા 15,395 ઘરમાં પોરાનાશક કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થરળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.07/4/2025 થી તા.13/04/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 15,395 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 292 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઈ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 495 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 78 અને કોર્મશીયલ 84 આસામીને નોટીસ આ5વામાં આવી છે. મચ્છરજન્ય રોગોમાં અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો મેલેરિયા 0, ડેન્ગ્યુ 0, ચિકુનગુનિયા 0 અને અન્ય રોગચાળા સંબંધિત કેસોમાં શરદી – ઉધરસ 530, સામાન્ય તાવ 628, ઝાડા – ઉલટી 196, ટાઈફોઈડ તાવ 4, કમળો તાવ 4, મરડા 0 અને કોલેરા 0 કેસ નોંધાયા છે.