ખાસ-ખબર સંવાદદાતા
મહિલા સશક્તિકરણ વેગ આપવા તેમજ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યરત છે. જેને અનુસંધાને પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠકકરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ નવરાત્રિ મેળા અંતર્ગત પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પાસે આવેલ ગ્રામહાટ પર તા.14 સુધી સખીમંડળ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુના વેચાણ માટે બજાર વ્યવસ્થપાન પૂરું પાડવામાં આવેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત વેચાણ મેળામા પોરબંદર શહેરના નાગરિકો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરાયો છે.
પોરબંદરમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ નવરાત્રિ મેળાનું આયોજન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/પોરબંદરમાં-રાષ્ટ્રીય-ગ્રામીણ-આજીવિકા-મિશન-હેઠળ-નવરાત્રિ-મેળાનું-આયોજન--860x519.jpg)