ભારતમાં કોરોનાના કેસો ફરી એક વાર રફ્તાર પકડતા દેખાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14506 નવા કેસ સામે આવ્યા છે.
- Advertisement -
ભારતમાં કોરોનાના કેસો ફરી એક વાર રફ્તાર પકડતા દેખાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14506 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 99,602 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણથી વધુ 30 લોકોના મોત થયા છે. મૃત્યાંક વદીને 5,25,077 થઈ ગઈ છે. દેશમાં કોવિડ 19ની સારવાર લઈ રહેલા કેસોની સંખ્યા વધીને 99,602 થઈ ગઈ છે. જે કુલ કેસમાં 0.23 ટકા છે. આંકડા મુજબ દર્દીઓનો સાજા થવાનો નેશનલ રેટ 98.56 ટકા છે.
દૈનિક સંક્રમણ દર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં દૈનિક સંક્રમણ દર 3.35 ટકા, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 3.30 ટકા, દેશમાં હાલમાં કુલ 4,28,08,666 લોકો સંક્રમણમુક્ત થઈ ચુક્યા છે. અને કોવિડ 19થી મૃત્યુદર 1.21 ટકા છે. જ્યારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત પણ કોવિડ 19 વિરોધી રસીના 197.46 કરોડથી વધારે ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
- Advertisement -
દેશમાં આવી રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ
અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં સાત ઓગસ્ટ 2020થી સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના 30 લાખ, અને પાંચ સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ મામલે 16 સપ્ટેમ્બર 2020ના 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કેસ થયા હતા.