મરાઠા અનામત મામલે બસને આગ ચાંપી: ત્રણ જિલ્લામાં નેટ બંધ
અંબાડમાં કર્ફયુ લગાવાયો
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે અંબાડ તાલુકામાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. કાયદો અને વ્યવસ્થા માટે સલામતી જાળવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અંબડ તાલુકામાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે. જાલના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કૃષ્ણ પંચાલે કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. આ પછી મનોજ જારંગે પાટીલ જાલનાથી પોતાના ગામ સૈરાતી પરત ફર્યા છે. તેઓ મુંબઈ જવાના હતા, પરંતુ ગઈ કાલે પોલીસે તેમને જાલના જિલ્લાની સરહદે અટકાવ્યા હતા. મનોજને કોઈક રીતે પોલીસે તેને સ્વાસ્થ્યનું કારણ દર્શાવીને અટકાવ્યા હતા. મોડી રાત્રે તે જાલના જિલ્લાના ભાંબોરી ગામમાં રોકાયા હતા. વહેલી સવારે પોલીસે જારંગે પાટીલના નજીકના લોકોની અટકાયત કરવાનું શરૂ કર્યું. શ્રીરામ કુરણકરની સાથે શૈલેન્દ્ર પાવર અને બાલાસાહેબ ઈંગલેની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન મનોજ જારંગે પાટીલે જાહેરાત કરી હતી કે તેઓ ફરી મુંબઈ જવા રવાના થશે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. આ પછી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જાલનામાં બસ સેવા રોકી દીધી છે. બીજી તરફ અંબાડમાં કર્ફૂયુ લગાવી દેવાયો છે અને હિંસાને ફેલાતી રોકવા ત્રણ જિલ્લા અંબાડ, જાલના અને સંભાજીનગરમાં નેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ પછી ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મરાઠા આંદોલનકારીઓ પણ મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા છે. જાલના જિલ્લામાં વધી રહેલા તણાવને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટે કલમ 144 લાગુ કરી છે. લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.