-દિલ્હીમાં કુકી આદિવાસીઓ ગૃહમંત્રીના નિવાસે પહોંચી જતા પોલીસ તંત્ર-સુરક્ષા એજન્સીઓમાં દોડધામ: બંદોબસ્ત વધારાયો
મણીપુરમાં છેલ્લા એકાદ મહિનાથી હિંસા-તોફાનોના ઘટનાક્રમ વચ્ચે આજે આદિવાસીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે ધરણા કરતા સુરક્ષાતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. દિલ્હી પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે મણીપુરનાં કુકી સંપ્રદાયનાં લોકો આજે સવારે એકાએક ગૃહમંત્રી અમીત શાહના નિવાસસ્થાને એકત્રીત થઈ ગયા હતા.
- Advertisement -
અને ધરણા શરૂ કર્યા હતા. અમીત શાહ તેઓ સાથે બેઠક કરે તેવી માંગ કરી હતી. પોલીસ દ્વારા ગૃહમંત્રીનાં નિવાસસ્થાન નજીક સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. સુત્રોએ કહ્યું કે ધરણા કરતા મણીપુરનાં કુકી આદિવાસીઓનાં પ્રતિનિધિઓને મળવા અમીત શાહે મંજુરી આપી હતી. એટલે મામલો થોડો હળવો થયો હતો.. મણીપુરમાં એકાદ મહિનાથી હિંસાની આગમાં હોમાયુ છે અને તેમાં કુકી આદીવાસીઓ વિસ્થપિતની દશામાં આવી ગયા છે.કેટલાંક દિવસોથી તેઓ જંતરમંતર પર પ્રદર્શન કરતા હતા
છતા સરકારે કોઈ પ્રતિભાવ ન આપવા આજે અમીત શાહના નિવાસે પહોંચીને ધરણા શરૂ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તે હિંસામાં હોમાયેલા મણીપુરમાં હાલતને નિયંત્રણમાં લેવા કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે ત્રણ દિવસ રાજયમાં કેમ્પ કર્યો હતો પરંતુ તેમની વિદાય સાથે જ ફરી તોફાનો થયા હતા. કુકી સમુદાયનાં ઘર સળગાવી દેવાયા હતા. અત્યાર સુધીમાં 92 લોકોનો ભોગ લેવાયો છે. તોફાનોને કારણે રાજયમાં આવશ્યક ચીજવસ્તુઓની પણ અછત વર્તાઈ રહી છે અને ભાવો બેફામ બન્યા છે. કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે.