અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર્વની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં મંદિરનું ભુતળ-ગ્રાઉન્ડ ફલોર તૈયાર થઈ ગયો છે અને તે લાઈટીંગથી ઝગમગી ઉઠયું છે.
રામમંદિર ટ્રસ્ટે શુક્રવારે મંદિર નિર્માણની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં મંદિર પરિસરના બહારના ક્ષેત્રમાં બાઉન્ડ્રી વોલના નિર્માણની સાથે ડિઝાઈન કરવામાં આવેલ પથ્થરોને સેટ કરતા દર્શાવવામાં આવ્યા છે.
- Advertisement -
તસવીરોમાં મંદિરનું વિહંગમ દ્દશ્ય જોવા મળી રહ્યું છે. મંદિરના ગ્રાઉન્ડ ફલોરનું નિર્માણકાર્ય લગભગ પુરું થઈ ગયું છે. સાથે સાથે પહેલા માળનું સ્ટ્રકચર પણ ઉભુ કરી દેવાયું છે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રના અનુસાર ગ્રાઉન્ડ ફલોરમાં ફિનીશીંગનું કામ ચાલી રહ્યું છે.
મંદિર પરિસરમાં પાવર સ્ટેશન શરૂ
શુક્રવારે મંદિર પરિસરમાં 33 કેવીએ પાવર સ્ટેશનનું સંચાલન શરૂ થઈ ગયું છે. આ પાવર સ્ટેશન મંદિર પરિસરમાં પાવર સપ્લાયનું સંચાલન કરશે, તેના ચાલુ થવાની સાથે જ મંદિરના આંતરિક લાઈટીંગના પુરા થયેલા કાર્યનું ટેસ્ટીંગ કરાયું હતું જે સફળ રહ્યું હતું.
ડો. અનિલ મિશ્રે જણાવ્યું હતું કે પાવર સ્ટેશનના સંચાલન બાદ જેવું મંદિરની અંદરનું લાઈટીંગ ચેક કરાયું કે ગર્ભગૃહ સુંદર લાઈટીંગથી ઝળહળી ઉઠયું હતું. ગર્ભગૃહ ઉપરાંત અન્ય ભાગોમાં પણ લાઈટીંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
- Advertisement -