ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એનોફીલીસ પ્રકારના ચેપી માદા મચ્છર તંદુરસ્ત વ્યક્તિને રાત્રે કરડવાથી મેલેરિયા રોગ ફેલાય છે. મેલેરિયા પરોપજીવી જંતુથી થતો રોગ છે. ચોમાસા ઋતુમાં વરસાદી પાણીના ખાડા-ખાબોચિયા ભરવાથી એનોફીલીસ પ્રકારના મચ્છર પેદા થાય છે. જે ખાડા-ખાબોચિયામાં માટી/રેતી પુરાવીને પાણીનો નિકાલ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે. ગંદા પાણીમાં પેદા થતા બધા મચ્છર રોગયાળા ફેલાવતા નથી.
ભારત સરકાર દ્વારા 2030 સુધીમાં મેલેરિયા નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત – અભિયાન અન્વયે આ ઉદેશને સાકાર કરવા વર્ષ 2017 થી સધન ઝુંબેશ શરુ કરેલ છે. જેના ભાગરૂપે હાથ ધરવાની થતી જુદી જુદી પ્રવુતિઓનું આયોજન અને અમલીકરણને કારણે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2022 કરતાં વર્ષ 2023માં મેલેરિયામાં 50% ઘટાડો છે. તેમજ વર્ષ 2023 કરતાં વર્ષ 2024માં મેલેરિયામાં 66% ઘટાડો હાંસલ કરેલ છે. જયારે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ વર્ષમાં જાન્યુઆરી-2025થી એપ્રિલ-2025 સુધીમાં મેલેરિયાના એકપણ કેસ નોંધાયેલ નથી.આરોગ્ય કર્મચારીની 55 ટીમ દ્વારા શહેરમાં હાઉસ ટુ હાઉસ 75000 ઘરોની ફિલ્ડ મુલાકાત કરી સર્વેલન્સ, પોરાનાશક, આરોગ્ય શિક્ષણ કામગીરીમાં રેલી, બેનર અને પોસ્ટર લગાવવા, પત્રીકા વિતરણ અન્ય આરોગ્ય શિક્ષણની કામગીરી ઝુંબેશમાં હાથ ધરવામાં આવશે.