2035 સુધીમાં નૌકાદળમાં 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક
ભારત અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ છે. વાત જાણે એમ છે કે, બંને દેશો વચ્ચે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્પર્ધા છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભારત પોતાની નૌકાદળને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો અને જહાજોનો ઓર્ડર આપ્યો છે. તેમની કુલ કિંમત 2 લાખ કરોડ રૂપિયા છે. ભારતનો ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં તેની નૌકાદળને મજબૂત કરવાનો છે.
- Advertisement -
ભારતીય નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી છે. આ સિવાય 8 નેક્સ્ટ જનરેશન કોર્વેટ (નાના યુદ્ધ જહાજો), 9 સબમરીન, 5 સર્વે શિપ અને 2 બહુહેતુક જહાજોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ આગામી વર્ષોમાં તૈયાર કરવામાં આવશે. નૌકાદળ બજેટની અછતનો સામનો કરી રહી હોવા છતાં, ભારતીય શિપયાર્ડની નિષ્ક્રિયતા અને મંદીનો સામનો કરી રહી છે. પરંતુ 2030 સુધીમાં નેવી પાસે 155 થી 160 યુદ્ધ જહાજ હશે.
2035 સુધીમાં નૌકાદળમાં 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક
મીડિયા અહેવાલ મુજબ ભલે આ આંકડો ઘણો સારો લાગે છે. પરંતુ ભારતીય નૌકાદળનો વાસ્તવિક ઉદ્દેશ્ય 2035 સુધીમાં તેના કાફલામાં ઓછામાં ઓછા 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો છે. આના દ્વારા માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં પરંતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ આપણી પહોંચ મજબૂત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન ફાઈટર પ્લેન, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.
- Advertisement -
ચીન તરફથી વધતો ખતરો
સમુદ્રમાં ચીન તરફથી વધી રહેલા ખતરાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી-નેવી હિંદ મહાસાગર ક્ષેત્ર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેના વર્તમાન લોજિસ્ટિક પડકારને દૂર કરવા માંગે છે. તેણે આફ્રિકાના હોર્નમાં જિબુટી, પાકિસ્તાનમાં કરાચી અને ગ્વાદરમાં પોતાનો બેઝ સ્થાપિત કર્યો છે. એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં ચીની નૌકાદળ પણ કંબોડિયાના રેમમાં પોતાનો વિદેશી બેઝ સ્થાપિત કરશે. તેનો ઉદ્દેશ્ય દરેક સમુદ્રમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે.