By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    2 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    3 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેંકડો હજારો વર્ષ પહેલાં દુનિયામાં અજીબો ગરીબ ચિકિત્સા પ્રથાઓ ચલણમાં હતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > સેંકડો હજારો વર્ષ પહેલાં દુનિયામાં અજીબો ગરીબ ચિકિત્સા પ્રથાઓ ચલણમાં હતી
મનીષ આચાર્ય

સેંકડો હજારો વર્ષ પહેલાં દુનિયામાં અજીબો ગરીબ ચિકિત્સા પ્રથાઓ ચલણમાં હતી

Khaskhabar Editor
Last updated: 2024/06/01 at 4:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

ઈંગ્લેન્ડમાં 17મી સદીમાં , રાજા ચાલ્ર્સ II “કિંગ્સ ડ્રોપ્સ” ના ડ્રાફ્ટનો આનંદ માણવા માટે જાણીતા હતા, જે માનવ ખોપરી-આલ્કોહોલમાંથી બનાવેલો ઉકાળો હતો

એક કાળખંડમાં સર્જરી કોઈ પણ જાતના એનેસ્થેસિયા વગર જ કરવામાં આવતી હતી

- Advertisement -

પ્રાચીન વિશ્ર્વમાં ગર્ભાશયને પોતાના સ્વતંત્ર મગજ સાથેનું એક જીવંત અસ્તિત્વ માનવામાં આવતું હતું

આજની આધુનિક અને આયુર્વેદ ચિકિત્સાના આ યુગ અગાઉ સેંકડો વર્ષ પહેલાંના સમયમાં દુનિયાના વિવિધ પ્રદેશોમાં ચિત્ર વિચિત્ર પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓ અમલમાં હતી. આજે તે સાંભળીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય પણ એક સમયે જીવનની તે જ રીત હતી. કોઈ પણ પ્રકારનો રોગ થઈ આવે ત્યારે અજ્ઞાની માણસ ગભરાઈ જાય અને આવો આખો સમાજ પછી તેમાંથી છૂટવાના બચવાના અજીબો ગરીબ રસ્તા શોધે. આ એક અનોખો યુગ હતો અને તેના વીશે વાંચીએ જાણીએ ત્યારે સમજાય કે આજે આપણે કેવા નશીબદાર યુગમાં જીવી રહ્યા છીએ!

તો ચાલો આજે આપણે એવા કેટલાક પ્રાચીન ચિકિત્સા પ્રયોગો જોઈએ..

- Advertisement -

રક્ત શોષણ
હજારો વર્ષો સુધી તબીબી પ્રેક્ટિશનરો એવી માન્યતાને વળગી રહ્યા હતા કે માંદગી માત્ર “ખરાબ લોહી”નું પરિણામ છે. રક્ત શોષણની શરૂઆત કદાચ પ્રાચીન સુમેરિયન અને ઇજિપ્તવાસીઓથી થઈ હતી, પરંતુ ગ્રીસ અને રોમના સમય સુધી તે સામાન્ય પ્રથા બની ન હતી. હિપ્પોક્રેટ્સ અને ગેલેન જેવા પ્રભાવશાળી ચિકિત્સકોએ એવો મત પ્રસ્થાપિત કર્યો હતો કે માનવ શરીર ચાર મૂળભૂત પદાર્થો કે પીળા પિત્ત, કાળા પિત્ત, કફ અને લોહી જેવા “હ્યુમર” થી ભરેલું છે – અને યોગ્ય સ્વાસ્થ્ય જાળવવા તેમજ શરીરને સંતુલિત રાખવા તેના સંતુલનની જરૂર હોય છે. આ માન્યતાના કારણે તાવ કે અન્ય બિમારીવાળા દર્દીઓના શરીરમાં લોહીની વધુ માત્રા હોવાનું નિદાન થતું હતું. તે સમયે શારીરિક સંવાદિતા પુન:સ્થાપિત કરવા માટે, તેમના ડોક્ટર નસને કાપી નાખતા અને તેમાંથી સારું એવું રક્ત વાસણમાં કાઢી નાખતા. કેટલાક કિસ્સાઓમાં, જળોનો ઉપયોગ ત્વચામાંથી સીધું લોહી ચૂસવા માટે પણ થતો હતો.

શરીરમાં લોહીના ઘટાડાના કારણે ઘણી વખત દર્દીનું મૃત્યુ પણ થતું હતું, પરંતુ આવા અનેક બનાવો પછી પણ 19મી સદીમાં આ પ્રયોગો સામાન્ય તબીબી પ્રેક્ટિસ તરીકે અમલમાં હતા. મધ્યયુગીન ડોકટરોએ ગળાના દુખાવાથી લઈને પ્લેગ સુધીની દરેક વસ્તુની સારવાર તરીકે લોહી વહેવડાવવાનું સૂચન કરતા હતા, અને આ “સેવા” કેટલાક હજામની દુકાનો પર ઉપલબ્ધ રહેતી હતી. અમુક ખાસ બિમારીઓની સારવાર તરીકે આજે પણ લીચિંગ અને નિયંત્રિત રક્તસ્રાવનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રેપનેશન
શસ્ત્રક્રિયાનું માનવજાતનું આ સૌથી જૂનું સ્વરૂપ હોવાની સાથે તે સૌથી ભયાનક પણ છે. લગભગ 7,000 વર્ષ પહેલાં વિશ્વભરની તમામ સંસ્કૃતિઓ ટ્રેપેનેશન પદ્ધતિનો ઉપયોગ કરતી હતી. – માંદગીના ઉપચારના ઉપાય તરીકે તેમાં ખોપરીમાં છિદ્ર કરવાની પ્રથા હતી. મગજની શસ્ત્રક્રિયાની આવી ભયંકર વીધી પ્રથમ કેવી રીતે અમલમાં આવી અને કેવી રીતે તેનો વિકાસ થયો તે માત્ર એક ભયાવહ કલ્પનાનો વિષય જ બની રહે છે. તે આદિવાસી ધાર્મિક વિધિનું કોઈ સ્વરૂપ હોઈ શકે છે અથવા તો શારીરિક વ્યાધિ અને માનસિક બીમારીનું કારણ માનવામાં આવતા દુષ્ટ આત્માઓથી દર્દીને મુક્ત કરવાની પદ્ધતિ પણ હોઈ શકે છે. હજુ પણ કેટલાક લોકો દલીલ કરે છે કે તે પરંપરાગત શસ્ત્રક્રિયા હતી જેનો ઉપયોગ એપીલેપ્સી, માથાનો દુખાવો, ફોલ્લાઓ અને લોહીના ગંઠાવાની સારવાર માટે થતો હતો. પેરુમાંથી મલી આવેલું ટ્રેપેન્ડેડ હાડપિંજર સંકેત આપે છે કે તે ખોપરીના ફ્રેક્ચરથી પાછળ રહી ગયેલા હાડકાના ટુકડાને સાફ કરવા માટે પણ સામાન્ય કટોકટીની સારવાર હતી અને પુરાવા દર્શાવે છે કે ઘણા દર્દીઓ સર્જરીમાંથી બચી ગયા હતા.

પારો
પારો તેના ઝેરી ગુણધર્મો માટે જાણીતો છે, પરંતુ એક સમયે તે એક અમૃત અને બાહ્ય દવા તરીકે વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવતો હતો. પ્રાચીન પર્સિયન અને ગ્રીક લોકો તેને ઉપયોગી મલમ માનતા હતા, અને બીજી સદીના ચાઇનીઝ રસાયણશાસ્ત્રીઓએ આયુષ્ય અને જીવનશક્તિ વધારવાની તેની કથિત ક્ષમતા માટે પ્રવાહી પારો, અથવા “ક્વિકસિલ્વર” અને લાલ પારો સલ્ફાઇનો અભ્યાસ કર્યો હતો. કેટલાક ચિકિત્સકો તો પડકાર ફેંકીને કહેતા હતા કે ઝેરી પારો, સલ્ફર અને આર્સેનિક વાળો ઉકાળો પીવાથી તેના દર્દીઓએ શાશ્વત જીવન અને પાણી પર ચાલવાની ક્ષમતા પ્રાપ્ત કરી હતી. અમર બની જવાની લાલસામાં આવુ પીણું પીવાના કારણે એક ચીની સમ્રાટ કિન શી હુઆંગે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
20મી સદીની શરૂઆત સુધી મર્ક્યુરીનો ઉપયોગ સિફિલિસ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગની સારવાર માટે લોકપ્રિય હતો. તે ઉપરાંત હેવી મેટલની ખરાબ અસરો સામે લડવામાં પારાની સારવાર સફળ માનવામાં આવતી હતી. તે સમયે અનેક વાર દર્દીઓ પારાના ઝેરને કારણે લીવર અને કિડનીને થતા નુકસાનથી મૃત્યુ પામતા હતા.

પશુ છાણના મલમ
પ્રાચીન ઇજિપ્તવાસીઓ પાસે નોંધપાત્ર રીતે સુવ્યવસ્થિત પ્રકારની તબીબી પ્રણાલી હતી. તેમાં ચોક્કસ બિમારીઓના ઉપચારમાં ખાસ લાયકાત ધરાવતા ડોકટરો પણ હતા. તેમ છતાં, તેઓ જે ઉપચાર સૂચવતા છે તે અત્યંત સુગ ચડે તેવા રહેતા. ગરોળીનું લોહી, મૃત ઉંદરની વિષ્ટા કાદવ અને સડેલી બ્રેડનો ઉપયોગ અનેક પ્રકારના મલમ અને ડ્રેસિંગ તરીકે કરવામાં આવતો હતો. સ્ત્રીઓની કેટલીક સમસ્યાઓ માટેના ઔષધ તરીકે ઘોડાની લાળનો પણ ઉપયોગ થતો હતો.
પ્રાચીન ઇજિપ્તના ચિકિત્સકોએ રોગો અને ઇજાઓની સારવાર તરીકે માનવ અને પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. એબર્સ પેપિરસના કહેવા મુજબ 4000 વર્ષ પહેલાં ગધેડા કૂતરા, ગરોળી ઉંદર અને માખીની વિષ્ટાનો ઉપયોગ ઔષધ તરીકે થતો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે આ વસ્તુઓ કેટલાક રોગ મટાડવા ઉપરાંત મલિન આત્માની પક્કડમાંથી દર્દીને મુક્તિ અપાવી શકે છે. જ્યારે આ વિચિત્ર ઉપાયો ક્યારેક ક્યારેક ધનુત અને અન્ય ચેપ પેદા કરતા હતા પરંતુ સંશોધકો માને છે કે આ પ્રકારના પદાર્થોમાં એન્ટી બેક્ટેરિયલ ક્ષમતા રહેતી હોવાથી તેના દ્વારા અમુક રોગમાં સારા પરિણામો મળ્યા હોવાનું શક્ય છે.

આદમખોર ઉપચાર
માથાના સત્તત દુખાવા, સ્નાયુઓમાં ખેંચાણ કે પેટના અલ્સરની પીડા જેવી સમસ્યાઓનો ઉપચાર પ્રાચીન સમયમાં માનવ માંસ, રક્ત અસ્થિ દ્વારા કરતા હતા. ક “શબની દવા” તરીકે ઓળખાતી આ ચિકિત્સા સેંકડો વર્ષો સુધી અનેક પ્રદેશમાં ચાલુ રહી હતી. અવ રોમનો માનતા હતા કે જંગમાં પડી ગયેલા યોદ્ધનું લોહી એપીલેપ્સીનો ઈલાજ કરી શકે છે. 12મી સદીના એપોથેકરીઝ “મમી પાઉડર”નો સ્ટોક રાખવા માટે જાણીતા હતા – ઇજિપ્તમાંથી લૂંટાયેલી ગ્રાઉન્ડ-અપ મમીમાંથી બનાવેલ મેકેબ્રે અર્કની વાતો બહુ જાણીતી છે. 17મી સદીમાં ઈંગ્લેન્ડમાં, રાજા ચાલ્ર્સ II “કિંગ્સ ડ્રોપ્સ” ના ડ્રાફ્ટનો આનંદ માણવા માટે જાણીતા હતા, જે માનવ ખોપરી અને આલ્કોહોલમાંથી બનાવેલ ઉકાળો હતો.

આ નરભક્ષી દવાઓમાં ચમત્કારિક ગુણધર્મો હોવાનું માનવામાં આવતું હતું. મૃત વ્યક્તિના અવશેષોનું સેવન કરીને દર્દીએ તેમની ભાવનાનો એક અંશ પણ પામે છે, જે જીવનશક્તિ અને સુખાકારીમાં વધારો કરે છે તેવું માનવામાં આવતું હતું. તેમાં ખોપરીનો ઉપયોગ માઇગ્રેઇન્સ માટે અને માનવ ચરબીનો ઉપયોગ સ્નાયુઓના દુખાવા માટે થતો હતો

ગર્ભ
પ્રાચીન ગ્રીક તબીબો માનતા હતા કે સ્ત્રીનું ગર્ભાશય તેના પોતાના મગજ સાથેનો એક અલગ જીવ છે. પ્લેટો અને હિપ્પોક્રેટ્સના લખાણો અનુસાર, જ્યારે સ્ત્રી લાંબા સમય સુધી બ્રહ્મચારી રહેતી હતી ત્યારે તેનું ગર્ભાશય-બાળકોને જન્મ આપવા માટે આતુર “જીવંત અસ્તિત્વ” તરીકે વર્ણવવામાં આવ્યું હતું, એવું માનવામાં આવતું હતું કે આ ગર્ભાશયસ્ત્રીઓના શરીરમાં ગૂંગળામણ, બેચેની અને ઉન્માદનું કારણ બને છે. તે પોતાની ઈચ્છાથી મુક્તપણે બહાર નીકળી શકે છે. આવી વિચિત્ર માન્યતા રોમનો અને બાયઝેન્ટાઇન્સના સમયમાં અમુક સ્વરૂપે ટકી રહી હતી. તેમના ગર્ભાશયને બહાર ફરવા જતું અટકાવવા માટે, પ્રાચીન સ્ત્રીઓને યુવાન સાથે લગ્ન કરવા અને શક્ય તેટલા બાળકોને જન્મ આપવાની સલાહ આપવામાં આવી હતી.

બેબીલોનીયન સ્કલ ક્યોર
પ્રાચીન બેબીલોનીઓ માટે મોટાભાગની બીમારીઓ શૈતાની શક્તિઓ અથવા ભૂતકાળના દુષ્કૃત્યો માટે દેવતાઓ દ્વારા સજાનું પરિણામ હોવાનું માનવામાં આવતું હતું. ચિકિત્સકો કરતાં તબીબો ઘણીવાર પાદરીઓ અને વળગાડ દૂર કરનારા ભુવાઓ સાથે વધુ સામ્યતા ધરાવતા હતા.

ક્લોરોફોર્મ
ક્લોરોફોર્મનો ઉપયોગ 19મી સદી દરમિયાન અમેરિકામાં એનેસ્થેસિયા તરીકે કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં એવું પ્રસ્થાપિત થઈ શક્યું હતું કે તે લીવર અને કિડની અને શ્વસનતંત્રનને નુકશાન પહોચાડી શકવા ઉપરાંત કેન્સરનું કારણ પણ બની શકે છે. ઘણા વર્ષો સુધી તેનો ઉપયોગ થયા બાદ તેનું સ્થાન પ્રમાણમાં સુરક્ષિત જણાતા એનેસ્થેસિયાએ લીધું હતું.

મૂત્ર સેવન – પેશાબ
પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ અને રોમમાં તેમજ પ્રાચીન ભારતીય યોગિક અને ચીની તબીબી પદ્ધતિઓમાં મૂત્ર સેવન એક લોકપ્રિય તબીબી પ્રથા હતી. એવું માનવામાં આવતું હતું કે તે ઉપચારાત્મક ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ કિડની તથા યકૃતની સમસ્યાઓ સહિત વિવિધ બિમારીઓની સારવાર માટે કરવામાં આવતો હતો.

લીચિંગ –
લીચિંગ એ એક એવી તબીબી પ્રેક્ટિસ હતી જેમાં લોહી નીકળવા માટે અથવા અનિચ્છનીય લોહીના ગંઠાવાનું દૂર કરવા માટે જળોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જળો દર્દીની ત્વચા પર ચીપકી જાય છે અને પોતે તૃપ્ત થઈ જાય ત્યાં સુધી ત્યાં સુધી લોહી ચૂસે છે. અંતે તે નીચે પડી જાય છે. યુરોપમાં મધ્ય યુગથી 19મી સદી સુધી લીચિંગ એક લોકપ્રિય પ્રથા હતી. આપણા દેશમાં હજુ આજે પણ તેનો થોડો ઘણો ઉપયોગ થાય છે.

મમી પાઉડર
આ પાઉડર મમીમાંથી બનેલી એક દવા હતી જેનો ઉપયોગ મધ્યયુગીન યુરોપમાં થતો હતો. એવું માનવામાં આવતું હતું કે તે ઉપચારાત્મક ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ ઘા, માથાનો દુખાવો અને પાચન સમસ્યાઓ સહિત વિવિધ બિમારીઓના ઉપચાર માટે કરવામાં આવતો હતો. મમી પાવડરનો ઉપયોગ એ માન્યતા પર આધારિત હતો કે મમીમાં ખાસ હીલિંગ શક્તિઓ હોય છે અને તે તે સમય દરમિયાન મમી પર મૂકવામાં આવેલા ઉચ્ચ મૂલ્યનું પ્રતિબિંબ હતું.

નાઇટશેડ
તે એ એક ઝેરી છોડ છે જેનો ઉપયોગ પ્રાચીન સમયમાં પેઇનકિલર અને એનેસ્થેસિયા તરીકે થતો હતો. તેમાં એલ્કલોઇડ્સ છે જે પીડા શામક અસર કરી શકે છે. પરંતુ તે અત્યંત ઝેરી પણ હોય છે. તે આભાસ, અજંપો અને મૃત્યુ સહિત ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

 

 

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

TAGGED: Medical practices, Strange poor medical practices
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું
Next Article તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ, અમે બેઠાં લઈ પોપચામાં અધૂરપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Authorમનીષ આચાર્ય

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?