By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    11 hours ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    12 hours ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    2 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    2 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    2 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    3 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    3 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    11 hours ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    5 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    3 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    4 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    5 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    6 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેંકડો હજારો વર્ષ પહેલાં દુનિયામાં અજીબો ગરીબ ચિકિત્સા પ્રથાઓ ચલણમાં હતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > સેંકડો હજારો વર્ષ પહેલાં દુનિયામાં અજીબો ગરીબ ચિકિત્સા પ્રથાઓ ચલણમાં હતી
મનીષ આચાર્ય

સેંકડો હજારો વર્ષ પહેલાં દુનિયામાં અજીબો ગરીબ ચિકિત્સા પ્રથાઓ ચલણમાં હતી

Khaskhabar Editor
Last updated: 2024/06/01 at 4:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

ઈંગ્લેન્ડમાં 17મી સદીમાં , રાજા ચાલ્ર્સ II “કિંગ્સ ડ્રોપ્સ” ના ડ્રાફ્ટનો આનંદ માણવા માટે જાણીતા હતા, જે માનવ ખોપરી-આલ્કોહોલમાંથી બનાવેલો ઉકાળો હતો

એક કાળખંડમાં સર્જરી કોઈ પણ જાતના એનેસ્થેસિયા વગર જ કરવામાં આવતી હતી

- Advertisement -

પ્રાચીન વિશ્ર્વમાં ગર્ભાશયને પોતાના સ્વતંત્ર મગજ સાથેનું એક જીવંત અસ્તિત્વ માનવામાં આવતું હતું

આજની આધુનિક અને આયુર્વેદ ચિકિત્સાના આ યુગ અગાઉ સેંકડો વર્ષ પહેલાંના સમયમાં દુનિયાના વિવિધ પ્રદેશોમાં ચિત્ર વિચિત્ર પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓ અમલમાં હતી. આજે તે સાંભળીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય પણ એક સમયે જીવનની તે જ રીત હતી. કોઈ પણ પ્રકારનો રોગ થઈ આવે ત્યારે અજ્ઞાની માણસ ગભરાઈ જાય અને આવો આખો સમાજ પછી તેમાંથી છૂટવાના બચવાના અજીબો ગરીબ રસ્તા શોધે. આ એક અનોખો યુગ હતો અને તેના વીશે વાંચીએ જાણીએ ત્યારે સમજાય કે આજે આપણે કેવા નશીબદાર યુગમાં જીવી રહ્યા છીએ!

તો ચાલો આજે આપણે એવા કેટલાક પ્રાચીન ચિકિત્સા પ્રયોગો જોઈએ..

- Advertisement -

રક્ત શોષણ
હજારો વર્ષો સુધી તબીબી પ્રેક્ટિશનરો એવી માન્યતાને વળગી રહ્યા હતા કે માંદગી માત્ર “ખરાબ લોહી”નું પરિણામ છે. રક્ત શોષણની શરૂઆત કદાચ પ્રાચીન સુમેરિયન અને ઇજિપ્તવાસીઓથી થઈ હતી, પરંતુ ગ્રીસ અને રોમના સમય સુધી તે સામાન્ય પ્રથા બની ન હતી. હિપ્પોક્રેટ્સ અને ગેલેન જેવા પ્રભાવશાળી ચિકિત્સકોએ એવો મત પ્રસ્થાપિત કર્યો હતો કે માનવ શરીર ચાર મૂળભૂત પદાર્થો કે પીળા પિત્ત, કાળા પિત્ત, કફ અને લોહી જેવા “હ્યુમર” થી ભરેલું છે – અને યોગ્ય સ્વાસ્થ્ય જાળવવા તેમજ શરીરને સંતુલિત રાખવા તેના સંતુલનની જરૂર હોય છે. આ માન્યતાના કારણે તાવ કે અન્ય બિમારીવાળા દર્દીઓના શરીરમાં લોહીની વધુ માત્રા હોવાનું નિદાન થતું હતું. તે સમયે શારીરિક સંવાદિતા પુન:સ્થાપિત કરવા માટે, તેમના ડોક્ટર નસને કાપી નાખતા અને તેમાંથી સારું એવું રક્ત વાસણમાં કાઢી નાખતા. કેટલાક કિસ્સાઓમાં, જળોનો ઉપયોગ ત્વચામાંથી સીધું લોહી ચૂસવા માટે પણ થતો હતો.

શરીરમાં લોહીના ઘટાડાના કારણે ઘણી વખત દર્દીનું મૃત્યુ પણ થતું હતું, પરંતુ આવા અનેક બનાવો પછી પણ 19મી સદીમાં આ પ્રયોગો સામાન્ય તબીબી પ્રેક્ટિસ તરીકે અમલમાં હતા. મધ્યયુગીન ડોકટરોએ ગળાના દુખાવાથી લઈને પ્લેગ સુધીની દરેક વસ્તુની સારવાર તરીકે લોહી વહેવડાવવાનું સૂચન કરતા હતા, અને આ “સેવા” કેટલાક હજામની દુકાનો પર ઉપલબ્ધ રહેતી હતી. અમુક ખાસ બિમારીઓની સારવાર તરીકે આજે પણ લીચિંગ અને નિયંત્રિત રક્તસ્રાવનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રેપનેશન
શસ્ત્રક્રિયાનું માનવજાતનું આ સૌથી જૂનું સ્વરૂપ હોવાની સાથે તે સૌથી ભયાનક પણ છે. લગભગ 7,000 વર્ષ પહેલાં વિશ્વભરની તમામ સંસ્કૃતિઓ ટ્રેપેનેશન પદ્ધતિનો ઉપયોગ કરતી હતી. – માંદગીના ઉપચારના ઉપાય તરીકે તેમાં ખોપરીમાં છિદ્ર કરવાની પ્રથા હતી. મગજની શસ્ત્રક્રિયાની આવી ભયંકર વીધી પ્રથમ કેવી રીતે અમલમાં આવી અને કેવી રીતે તેનો વિકાસ થયો તે માત્ર એક ભયાવહ કલ્પનાનો વિષય જ બની રહે છે. તે આદિવાસી ધાર્મિક વિધિનું કોઈ સ્વરૂપ હોઈ શકે છે અથવા તો શારીરિક વ્યાધિ અને માનસિક બીમારીનું કારણ માનવામાં આવતા દુષ્ટ આત્માઓથી દર્દીને મુક્ત કરવાની પદ્ધતિ પણ હોઈ શકે છે. હજુ પણ કેટલાક લોકો દલીલ કરે છે કે તે પરંપરાગત શસ્ત્રક્રિયા હતી જેનો ઉપયોગ એપીલેપ્સી, માથાનો દુખાવો, ફોલ્લાઓ અને લોહીના ગંઠાવાની સારવાર માટે થતો હતો. પેરુમાંથી મલી આવેલું ટ્રેપેન્ડેડ હાડપિંજર સંકેત આપે છે કે તે ખોપરીના ફ્રેક્ચરથી પાછળ રહી ગયેલા હાડકાના ટુકડાને સાફ કરવા માટે પણ સામાન્ય કટોકટીની સારવાર હતી અને પુરાવા દર્શાવે છે કે ઘણા દર્દીઓ સર્જરીમાંથી બચી ગયા હતા.

પારો
પારો તેના ઝેરી ગુણધર્મો માટે જાણીતો છે, પરંતુ એક સમયે તે એક અમૃત અને બાહ્ય દવા તરીકે વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવતો હતો. પ્રાચીન પર્સિયન અને ગ્રીક લોકો તેને ઉપયોગી મલમ માનતા હતા, અને બીજી સદીના ચાઇનીઝ રસાયણશાસ્ત્રીઓએ આયુષ્ય અને જીવનશક્તિ વધારવાની તેની કથિત ક્ષમતા માટે પ્રવાહી પારો, અથવા “ક્વિકસિલ્વર” અને લાલ પારો સલ્ફાઇનો અભ્યાસ કર્યો હતો. કેટલાક ચિકિત્સકો તો પડકાર ફેંકીને કહેતા હતા કે ઝેરી પારો, સલ્ફર અને આર્સેનિક વાળો ઉકાળો પીવાથી તેના દર્દીઓએ શાશ્વત જીવન અને પાણી પર ચાલવાની ક્ષમતા પ્રાપ્ત કરી હતી. અમર બની જવાની લાલસામાં આવુ પીણું પીવાના કારણે એક ચીની સમ્રાટ કિન શી હુઆંગે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
20મી સદીની શરૂઆત સુધી મર્ક્યુરીનો ઉપયોગ સિફિલિસ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગની સારવાર માટે લોકપ્રિય હતો. તે ઉપરાંત હેવી મેટલની ખરાબ અસરો સામે લડવામાં પારાની સારવાર સફળ માનવામાં આવતી હતી. તે સમયે અનેક વાર દર્દીઓ પારાના ઝેરને કારણે લીવર અને કિડનીને થતા નુકસાનથી મૃત્યુ પામતા હતા.

પશુ છાણના મલમ
પ્રાચીન ઇજિપ્તવાસીઓ પાસે નોંધપાત્ર રીતે સુવ્યવસ્થિત પ્રકારની તબીબી પ્રણાલી હતી. તેમાં ચોક્કસ બિમારીઓના ઉપચારમાં ખાસ લાયકાત ધરાવતા ડોકટરો પણ હતા. તેમ છતાં, તેઓ જે ઉપચાર સૂચવતા છે તે અત્યંત સુગ ચડે તેવા રહેતા. ગરોળીનું લોહી, મૃત ઉંદરની વિષ્ટા કાદવ અને સડેલી બ્રેડનો ઉપયોગ અનેક પ્રકારના મલમ અને ડ્રેસિંગ તરીકે કરવામાં આવતો હતો. સ્ત્રીઓની કેટલીક સમસ્યાઓ માટેના ઔષધ તરીકે ઘોડાની લાળનો પણ ઉપયોગ થતો હતો.
પ્રાચીન ઇજિપ્તના ચિકિત્સકોએ રોગો અને ઇજાઓની સારવાર તરીકે માનવ અને પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. એબર્સ પેપિરસના કહેવા મુજબ 4000 વર્ષ પહેલાં ગધેડા કૂતરા, ગરોળી ઉંદર અને માખીની વિષ્ટાનો ઉપયોગ ઔષધ તરીકે થતો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે આ વસ્તુઓ કેટલાક રોગ મટાડવા ઉપરાંત મલિન આત્માની પક્કડમાંથી દર્દીને મુક્તિ અપાવી શકે છે. જ્યારે આ વિચિત્ર ઉપાયો ક્યારેક ક્યારેક ધનુત અને અન્ય ચેપ પેદા કરતા હતા પરંતુ સંશોધકો માને છે કે આ પ્રકારના પદાર્થોમાં એન્ટી બેક્ટેરિયલ ક્ષમતા રહેતી હોવાથી તેના દ્વારા અમુક રોગમાં સારા પરિણામો મળ્યા હોવાનું શક્ય છે.

આદમખોર ઉપચાર
માથાના સત્તત દુખાવા, સ્નાયુઓમાં ખેંચાણ કે પેટના અલ્સરની પીડા જેવી સમસ્યાઓનો ઉપચાર પ્રાચીન સમયમાં માનવ માંસ, રક્ત અસ્થિ દ્વારા કરતા હતા. ક “શબની દવા” તરીકે ઓળખાતી આ ચિકિત્સા સેંકડો વર્ષો સુધી અનેક પ્રદેશમાં ચાલુ રહી હતી. અવ રોમનો માનતા હતા કે જંગમાં પડી ગયેલા યોદ્ધનું લોહી એપીલેપ્સીનો ઈલાજ કરી શકે છે. 12મી સદીના એપોથેકરીઝ “મમી પાઉડર”નો સ્ટોક રાખવા માટે જાણીતા હતા – ઇજિપ્તમાંથી લૂંટાયેલી ગ્રાઉન્ડ-અપ મમીમાંથી બનાવેલ મેકેબ્રે અર્કની વાતો બહુ જાણીતી છે. 17મી સદીમાં ઈંગ્લેન્ડમાં, રાજા ચાલ્ર્સ II “કિંગ્સ ડ્રોપ્સ” ના ડ્રાફ્ટનો આનંદ માણવા માટે જાણીતા હતા, જે માનવ ખોપરી અને આલ્કોહોલમાંથી બનાવેલ ઉકાળો હતો.

આ નરભક્ષી દવાઓમાં ચમત્કારિક ગુણધર્મો હોવાનું માનવામાં આવતું હતું. મૃત વ્યક્તિના અવશેષોનું સેવન કરીને દર્દીએ તેમની ભાવનાનો એક અંશ પણ પામે છે, જે જીવનશક્તિ અને સુખાકારીમાં વધારો કરે છે તેવું માનવામાં આવતું હતું. તેમાં ખોપરીનો ઉપયોગ માઇગ્રેઇન્સ માટે અને માનવ ચરબીનો ઉપયોગ સ્નાયુઓના દુખાવા માટે થતો હતો

ગર્ભ
પ્રાચીન ગ્રીક તબીબો માનતા હતા કે સ્ત્રીનું ગર્ભાશય તેના પોતાના મગજ સાથેનો એક અલગ જીવ છે. પ્લેટો અને હિપ્પોક્રેટ્સના લખાણો અનુસાર, જ્યારે સ્ત્રી લાંબા સમય સુધી બ્રહ્મચારી રહેતી હતી ત્યારે તેનું ગર્ભાશય-બાળકોને જન્મ આપવા માટે આતુર “જીવંત અસ્તિત્વ” તરીકે વર્ણવવામાં આવ્યું હતું, એવું માનવામાં આવતું હતું કે આ ગર્ભાશયસ્ત્રીઓના શરીરમાં ગૂંગળામણ, બેચેની અને ઉન્માદનું કારણ બને છે. તે પોતાની ઈચ્છાથી મુક્તપણે બહાર નીકળી શકે છે. આવી વિચિત્ર માન્યતા રોમનો અને બાયઝેન્ટાઇન્સના સમયમાં અમુક સ્વરૂપે ટકી રહી હતી. તેમના ગર્ભાશયને બહાર ફરવા જતું અટકાવવા માટે, પ્રાચીન સ્ત્રીઓને યુવાન સાથે લગ્ન કરવા અને શક્ય તેટલા બાળકોને જન્મ આપવાની સલાહ આપવામાં આવી હતી.

બેબીલોનીયન સ્કલ ક્યોર
પ્રાચીન બેબીલોનીઓ માટે મોટાભાગની બીમારીઓ શૈતાની શક્તિઓ અથવા ભૂતકાળના દુષ્કૃત્યો માટે દેવતાઓ દ્વારા સજાનું પરિણામ હોવાનું માનવામાં આવતું હતું. ચિકિત્સકો કરતાં તબીબો ઘણીવાર પાદરીઓ અને વળગાડ દૂર કરનારા ભુવાઓ સાથે વધુ સામ્યતા ધરાવતા હતા.

ક્લોરોફોર્મ
ક્લોરોફોર્મનો ઉપયોગ 19મી સદી દરમિયાન અમેરિકામાં એનેસ્થેસિયા તરીકે કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં એવું પ્રસ્થાપિત થઈ શક્યું હતું કે તે લીવર અને કિડની અને શ્વસનતંત્રનને નુકશાન પહોચાડી શકવા ઉપરાંત કેન્સરનું કારણ પણ બની શકે છે. ઘણા વર્ષો સુધી તેનો ઉપયોગ થયા બાદ તેનું સ્થાન પ્રમાણમાં સુરક્ષિત જણાતા એનેસ્થેસિયાએ લીધું હતું.

મૂત્ર સેવન – પેશાબ
પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ અને રોમમાં તેમજ પ્રાચીન ભારતીય યોગિક અને ચીની તબીબી પદ્ધતિઓમાં મૂત્ર સેવન એક લોકપ્રિય તબીબી પ્રથા હતી. એવું માનવામાં આવતું હતું કે તે ઉપચારાત્મક ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ કિડની તથા યકૃતની સમસ્યાઓ સહિત વિવિધ બિમારીઓની સારવાર માટે કરવામાં આવતો હતો.

લીચિંગ –
લીચિંગ એ એક એવી તબીબી પ્રેક્ટિસ હતી જેમાં લોહી નીકળવા માટે અથવા અનિચ્છનીય લોહીના ગંઠાવાનું દૂર કરવા માટે જળોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જળો દર્દીની ત્વચા પર ચીપકી જાય છે અને પોતે તૃપ્ત થઈ જાય ત્યાં સુધી ત્યાં સુધી લોહી ચૂસે છે. અંતે તે નીચે પડી જાય છે. યુરોપમાં મધ્ય યુગથી 19મી સદી સુધી લીચિંગ એક લોકપ્રિય પ્રથા હતી. આપણા દેશમાં હજુ આજે પણ તેનો થોડો ઘણો ઉપયોગ થાય છે.

મમી પાઉડર
આ પાઉડર મમીમાંથી બનેલી એક દવા હતી જેનો ઉપયોગ મધ્યયુગીન યુરોપમાં થતો હતો. એવું માનવામાં આવતું હતું કે તે ઉપચારાત્મક ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ ઘા, માથાનો દુખાવો અને પાચન સમસ્યાઓ સહિત વિવિધ બિમારીઓના ઉપચાર માટે કરવામાં આવતો હતો. મમી પાવડરનો ઉપયોગ એ માન્યતા પર આધારિત હતો કે મમીમાં ખાસ હીલિંગ શક્તિઓ હોય છે અને તે તે સમય દરમિયાન મમી પર મૂકવામાં આવેલા ઉચ્ચ મૂલ્યનું પ્રતિબિંબ હતું.

નાઇટશેડ
તે એ એક ઝેરી છોડ છે જેનો ઉપયોગ પ્રાચીન સમયમાં પેઇનકિલર અને એનેસ્થેસિયા તરીકે થતો હતો. તેમાં એલ્કલોઇડ્સ છે જે પીડા શામક અસર કરી શકે છે. પરંતુ તે અત્યંત ઝેરી પણ હોય છે. તે આભાસ, અજંપો અને મૃત્યુ સહિત ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

 

 

You Might Also Like

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર

TAGGED: Medical practices, Strange poor medical practices
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું
Next Article તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ, અમે બેઠાં લઈ પોપચામાં અધૂરપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આજે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળો: અઠવાડિયાના તાવ, શરદી અને ઝાડા-ઉલ્ટીના 1190 કેસ
LRD કોન્સ્ટેબલ પરીક્ષાઃ કટ-ઓફ 130 આસપાસ રહેશે: નીરજ ભંડેરી (સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત)
ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
ખાણી પીણીમાં ભેળસેળ કરનારા ભોં ભેગા થશે: રાજકોટ મનપાની ‘ફૂડ સર્જિકલ સ્ટ્રાઈક’
T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનીષ આચાર્ય

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?