ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
બે કલાકનાં હવાઈ દર્શનનો ખર્ચ રૂા.40 હજાર
- Advertisement -
ઉતરાખંડના પિથૌરાગઢ જીલ્લામાં સ્થિત પ્રસિધ્ધ ધાર્મિક પર્યટક સ્થળો, કઅલાસ અને ઓમ પર્વત માટે સોમવારથી હેલીકોપ્ટર સેવા શરૂ થઈ ગઈ છે. આ હેલીકોપ્ટર સેવાની શરૂઆત પિથોરાગઢનાં સંયુકત મેજીસ્ટ્રેટ આશીષ ભિકાએ સૈની એરપોર્ટથી કરી હતી બે કલાકનાં આ પ્રવાસનો ખર્ચ વ્યકિતદીઠ 40 હજાર રૂપિયા થશે અને તેના પર જીએસટી અલગથી આપવો પડશે. તેમણે જણાવ્યું હતું કે, ઉતરાખંડ સરકારની હેલી દર્શન યોજના અંતર્ગત એમઆઈ-17 હેલીકોપ્ટર શ્રધ્ધાળૂઓને એરપોર્ટથી વ્યાસ ખીણ ક્ષેત્રમાં આદિ કૈલાસ અને ઓમ પર્વત સુધી લઈ જશે એવી શિખરોની ઉપર કેટલીક વાર ચકકર લગાવ્યા બાદ એરપોર્ટ પર પરત પહોંચાડવામાં આવશે. જિલ્લા પર્યટન વિકાસ અધિકારી કીર્તી ચંદ્ર આર્યે જણાવ્યું હતું કે, આગામી બેચ 3 એપ્રિલે આદિ કૈલાસ અને ઓમ પર્વતે જશે.ત્યારબાદ આગામી 15 એપ્રિલથી 10 મે સુધી આદિ કૈલાસ અને ઓમ પર્વતની 5 દિવસ અને 4 રાત્રીની યાત્રા કરાવશે. જે અંતર્ગત પહેલા દિવસ દિલ્હીથી પિથૌરાગઢની યાત્રા સડક માર્ગથી થશે.